શોધખોળ કરો

Aditya-L1 Solar Mission: સૂર્ય અંગે ડેટા મોકલી રહ્યું છે આદિત્ય મિશન, ઇસરો ચીફે આપી જાણકારી

Aditya-L1 Solar Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ. સોમનાથે રવિવારે કહ્યું હતું કે આદિત્ય-એલ (1) સોલર મિશન સૂર્ય વિશે સતત ડેટા મોકલી રહ્યું છે

Aditya-L1 Solar Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ. સોમનાથે રવિવારે કહ્યું હતું કે આદિત્ય-એલ (1) સોલર મિશન સૂર્ય વિશે સતત ડેટા મોકલી રહ્યું છે. જ્વેલરી કંપની પી.સી. ચંદ્રા ગ્રુપ દ્વારા વિશેષ પુરસ્કારથી સન્માનિત થયા બાદ સોમનાથે પત્રકારોને જણાવ્યું હતું કે અવકાશયાનના અનેક ડિવાઇસ ઘણા પાસાઓ પર ડેટા ફીડ કરવા માટે સતત કામ કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે “અમે સૂર્યનું સતત અવલોકન કરી રહ્યા છીએ જેમાં અલ્ટ્રાવાયોલેટ મેગ્નેટિક ચાર્જની ગણતરી, કોરોના ગ્રાફ અવલોકન, એક્સ-રે અવલોકનો અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભારતનું પ્રથમ સૌર મિશન યાન આદિત્ય-એલ (1) 2 સપ્ટેમ્બર, 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. સોમનાથે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે આ ઉપગ્રહને પાંચ વર્ષ માટે રાખી રહ્યા છીએ અને પ્રાપ્ત ગણતરીઓનું લાંબા ગાળાના ઉપાયના રૂપમાં વિશ્લેષણ કરવામાં આવશે." આ તમારા બ્રેકિંગ ન્યૂઝ જેવું નથી કે આજે સૂર્ય વિશે કંઈક બતાવવામાં આવ્યું અને કાલે કાંઇ બીજું જણાવવામાં આવશે. ચીજો દરરોજ બદલાતી રહેતી હોય છે.

તેમણે કહ્યું કે હવે તમામ ગણતરીઓ કરવામાં આવશે, પરંતુ પરિણામ પછીથી જાણવા મળશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ મિશન સૂર્યગ્રહણ પરની જાણકારી આપશે. તો સોમનાથે કહ્યું કે જ્યારે સૂર્ય ચંદ્ર દ્વારા અવરોધિત થાય છે ત્યારે ગ્રહણ થાય છે. સ્વાભાવિક રીતે અમારું મિશન ગ્રહણ પહેલાં, ગ્રહણદરમિયાન અને પછી સૂર્ય વિશેની માહિતી પણ એકત્રિત કરી રહ્યું છે. અન્ય અવકાશ એજન્સીઓ સાથે સહયોગ અંગે તેમણે કહ્યું કે ISRO એક સંયુક્ત ઉપગ્રહ ‘NISAR’ (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) બનાવી રહ્યું છે.

શું છે ISROનું આદિત્ય L1 મિશન ?

ISRO એ સૌર વાયુમંડળનો અભ્યાસ કરવા માટે 2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી પોલર સેટેલાઇટ વ્હીકલ (PSLV-C57) દ્વારા આદિત્ય L1 મિશન લોન્ચ કર્યું હતું.

મિશનનો ઉદ્દેશ્ય પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર લેગ્રેન્જ પોઈન્ટ  1 (L1) ની પ્રભામંડળ કક્ષામાં  સ્થાપિત કરવાનો છે. લેગ્રેન્જ પોઈન્ટ  અવકાશમાં એવા સ્થાનો છે જ્યાં જ્યારે કોઈ વસ્તુ મૂકવામાં આવે છે ત્યારે તેને લાંબા સમય સુધી ત્યાં રાખી શકાય છે. વૈજ્ઞાનિક જોસેફ લુઈ  લાંગ્રેજ નામ પરથી આ પોઈન્ટનું નામ આપવામાં આવ્યું છે. સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સિસ્ટમમાં આવા પાંચ બિંદુઓ છે. L1 એ એક બિંદુ છે જ્યાંથી સૂર્યનું અવિરત અવલોકન 24 કલાક કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget