Cyclone Michaung : મિચોંગ વાવાઝોડાએ દક્ષિણમાં કહેર વર્તાવ્યો, જાણો ઉત્તર ભારતમાં કેવી અસર રહેશે ?
ચક્રવાત મિચોંગે દક્ષિણ ભારતના રાજ્યોમાં તબાહી મચાવી છે. ખાસ કરીને ચેન્નાઈ, તમિલનાડુમાં ચક્રવાતના કારણે થયેલા વરસાદે પૂર જેવી સ્થિતિ સર્જી છે.
![Cyclone Michaung : મિચોંગ વાવાઝોડાએ દક્ષિણમાં કહેર વર્તાવ્યો, જાણો ઉત્તર ભારતમાં કેવી અસર રહેશે ? cyclone michong will have no impact on north india says imd director general mrutyunjay mohapatra Cyclone Michaung : મિચોંગ વાવાઝોડાએ દક્ષિણમાં કહેર વર્તાવ્યો, જાણો ઉત્તર ભારતમાં કેવી અસર રહેશે ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/7d8a62b29482bc10a990448bd49cddce170179370878978_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cyclone Michaung Impact: ચક્રવાત મિચોંગે દક્ષિણ ભારતના રાજ્યોમાં તબાહી મચાવી છે. ખાસ કરીને ચેન્નાઈ, તમિલનાડુમાં ચક્રવાતના કારણે થયેલા વરસાદે પૂર જેવી સ્થિતિ સર્જી છે. તમિલનાડુમાં ચક્રવાત મિચોંગને કારણે અત્યાર સુધીમાં લગભગ 8 લોકોના મોત થયા છે. આ દરમિયાન ઉત્તર ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર ભારતમાં મિચોંગની કોઈ અસર નહીં થાય.
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, "ચક્રવાત મિચોંગની ઉત્તર ભારત પર કોઈ અસર નહીં થાય. તેની અસર આંધ્ર પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને ઓડિશા સુધી મર્યાદિત રહેશે. જો કે, પૂર્વોત્તર રાજ્યો પર તેની પરોક્ષ અસર પડી શકે છે. ઝારખંડ અને બિહારમાં હળવા વરસાદની અપેક્ષા છે."
#WATCH | Andhra Pradesh: #CycloneMichuang, Several parts of Kadapa district witness severe waterlogging due to incessant rainfall.
— ANI (@ANI) December 5, 2023
(Earlier visuals) pic.twitter.com/T1kSSGSRFL
ચેન્નાઈમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે
તમને જણાવી દઈએ કે ચક્રવાત મિચોંગના કારણે ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સાથે જ રાજ્યની નદીઓ પણ બે કાંઠે થઈ છે. તમિલનાડુની કૂવમ નદીમાં વરસાદને કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી બન્યો છે.
આંધ્રપ્રદેશ એલર્ટ પર છે
આંધ્રપ્રદેશમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ચક્રવાતને જોતા આંધ્ર પ્રદેશ સરકારે 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં બાપટલા, પ્રકાશમ, પલાનાડુ, ગુંટુર, કૃષ્ણા, એનટીઆર, પીએ, એલુરુ અને કોનાસીમાનો સમાવેશ થાય છે. આ સિવાય 5 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
એટલું જ નહીં, રાજ્ય સરકારે રાહત અને બચાવ માટે આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (APSDMA)ના અધિકારીઓને પણ તૈનાત કર્યા છે. એપીએસડીએમએ સાત જિલ્લામાંથી 9 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.
તેલંગાણામાં વહીવટીતંત્ર એલર્ટ
આ સિવાય તેલંગાણા પ્રશાસન પણ ચક્રવાતી તોફાન મિચોંગને લઈને એલર્ટ પર છે. જે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે તેલંગાણાના મુલુગુ, ભદ્રાદ્રી-કોઠાગુડમ અને ખમ્મમ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)