શોધખોળ કરો

Cyrus Mistry Death: સાયરસ મિસ્ત્રીનું અકસ્માત બાદ તરત જ મોત કઈ રીતે થયું? પોસ્ટમોર્ટ રિપોર્ટમાં થયો આ ખુલાસો

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલેનું એક કાર અકસ્માતમાં મોત થયું હતું.

Cyrus Mistry Post Mortem Report: ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલેનું એક કાર અકસ્માતમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેને અકસ્માતમાં ઘણી ઈજાઓ થઈ હતી અને 'બ્લન્ટ થોરેક્સ ટ્રોમા'ને કારણે તરત જ મૃત્યુ થયું હતું. જેજે હોસ્પિટલના મેડિકલ ઓફિસરે મંગળવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે મિસ્ત્રીને થયેલી ઈજાના કારણે શરીરની અંદર લોહી પણ વહી રહ્યું હતું. મિસ્ત્રી અને પંડોલે રવિવારે બપોરે અન્ય બે વ્યક્તિઓ સાથે ગુજરાતથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સૂર્યા નદી પરના પુલ પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા મિસ્ત્રી અને જહાંગીરનું મોત થયું હતું. ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે કાર ચલાવી રહી હતી અને તેમના પતિ ડેરિયસ પંડોલે પણ આગળ બેઠા હતા જે બચી ગયો હતા. મિસ્ત્રી અને જહાંગીરના મૃતદેહોને બાદમાં જેજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે મિસ્ત્રી અને પંડોલે બંનેના શરીર પર અચાનક આંચકો લાગ્યો હતો કારણ કે, કાર ફુલ સ્પિડમાં હતી. આના પરિણામે તેમને ઘણી ઇજાઓ થઈ હતી અને તેની અસર રુપે બ્લન્ટ થોરેક્સ ટ્રોમા થયો હતો.

ઓટોપ્સી રિપોર્ટમાં પણ આ બાબતો બહાર આવી

તેમણે કહ્યું કે, અકસ્માતને કારણે સાયરસ મિસ્ત્રીના શરીરની અંદરની ધમનીઓ ફાટી ગઈ હતી, જેના કારણે આંતરિક રક્તસ્રાવ થયો હતો. જો કે, પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માત્ર થોડા લક્ષણો જોવા મળ્યા હતા. વિગતવાર વિશ્લેષણમાં બધું સ્પષ્ટ થશે અને મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. તેમણે કહ્યું કે પ્રમાણભૂત પ્રક્રિયા મુજબ, વિસેરાના નમૂનાને તપાસ માટે કાલીનાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર કરાયા

તમને જણાવી દઈએ કે ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે સવારે 11 વાગ્યે વર્લીના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. રતન ટાટાની સાવકી માતા સિમોન ટાટા પણ અન્ય ઘણા લોકો સાથે તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. નોંધપાત્ર વાત એ છે કે, સાયરસ મિસ્ત્રીને અચાનક ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ ટાટા ગ્રુપ અને મિસ્ત્રી વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
Operation Sindoor: ઓવૈસીનો પાક. પર પ્રહાર: ‘પાકિસ્તાન ખરેખર મુસ્લિમોના શુભેચ્છક છે તો....’
Operation Sindoor: ઓવૈસીનો પાક. પર પ્રહાર: ‘પાકિસ્તાન ખરેખર મુસ્લિમોના શુભેચ્છક છે તો....’
ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નગુણા દેશSabarmati River : અમદાવાદની સાબરમતી નદીનું પાણી કરાશે ખાલીSurat news : સુરતમાં માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈ યુનુસની પોલીસે કરી ધરપકડIndia Pakistan Ceasefire: તુર્કીને બોયકોટ કરવા ગુજરાત સહિત દેશભરમાં ઉઠી માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
Operation Sindoor: ઓવૈસીનો પાક. પર પ્રહાર: ‘પાકિસ્તાન ખરેખર મુસ્લિમોના શુભેચ્છક છે તો....’
Operation Sindoor: ઓવૈસીનો પાક. પર પ્રહાર: ‘પાકિસ્તાન ખરેખર મુસ્લિમોના શુભેચ્છક છે તો....’
ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'રાવલપિંડી સુધી ભારતીય સેનાની ધાક, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
'રાવલપિંડી સુધી ભારતીય સેનાની ધાક, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
ભારત સાથે તણાવ પાકિસ્તાનને ભારે પડ્યો? માત્ર ત્રણ દિવસમાં જ થઈ ગયું આટલું મોટું નુકસાન
ભારત સાથે તણાવ પાકિસ્તાનને ભારે પડ્યો? માત્ર ત્રણ દિવસમાં જ થઈ ગયું આટલું મોટું નુકસાન
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
Embed widget