શોધખોળ કરો

CM પદની ચર્ચા વચ્ચે અમિત શાહે આ નેતાને કર્યો ફોન, જાણો શું વાતચીત થઈ ?  

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો બહાર આવ્યા બાદ હવે રાષ્ટ્રીય રાજધાનીના મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.

Delhi CM Candidate BJP: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો બહાર આવ્યા બાદ હવે રાષ્ટ્રીય રાજધાનીના મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.  આ દરમિયાન મુસ્તફાબાદ સીટ પરથી ચૂંટણી જીતેલા બીજેપીના વરિષ્ઠ નેતા મોહન સિંહ બિષ્ટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કેમેરા પર કહ્યું કે તેમને ગૃહમંત્રી અમિત શાહનો ફોન આવ્યો હતો.

અમિત શાહના ફોન અંગે તેમણે વધુમાં કહ્યું કે, 'તેમણે જીતના અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો, પરંતુ વાતચીત માટે બોલાવ્યા નથી.'

મુસ્તફાબાદથી છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા 

વાસ્તવમાં મોહન સિંહ બિષ્ટે દિલ્હીની મુસ્તફાબાદ વિધાનસભા સીટ પર છઠ્ઠી વખત જીત મેળવી છે. ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટે એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે છઠ્ઠી વખત જનતાએ ધારાસભ્યને ચૂંટ્યા છે. આ વખતે સરકાર પણ અમારી છે, તેથી રસ્તાથી લઈને પાણી, વીજળી સુધી તમામ બાબતોમાં મુસ્તફાબાદનો વિકાસ પ્રાથમિકતા રહેશે.

યમુનાને સાફ કરવા માટે પ્લાન્ટ બનાવવામાં આવશે

આટલું જ નહીં, મોહન બિષ્ટના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં પૂર્વાંચલ સમુદાયના લોકોનો મુખ્ય મુદ્દો યમુનાની સ્વચ્છતા છે. જે રીતે ભાજપે 1993 થી 1998 દરમિયાન યમુનામાં ઘણા સફાઈ પ્લાન્ટ બનાવ્યા હતા, તે જ રીતે વધુ પ્લાન્ટ બનાવવામાં આવશે.

આયુષ્માન યોજના લાગુ થશે, ગરીબોને મળશે લાભ

મોહન બિષ્ટના જણાવ્યા અનુસાર હવે દિલ્હીમાં પણ મુખ્યમંત્રી આયુષ્માન યોજના લાગુ કરવામાં આવશે. તેનાથી ગરીબોને ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મળશે. દિલ્હીનો સર્વાંગી વિકાસ હવે ભાજપ સરકારની પ્રાથમિકતા છે.

ગેસ સિલિન્ડર પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

મોહન સિંહ બિષ્ટના કહેવા પ્રમાણે, સરકાર બનતાની સાથે જ સૌથી પહેલા સિલિન્ડર પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેથી મધ્યમ વર્ગને ફાયદો થઈ શકે. 

તમને જણાવી દઈએ કે દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા નવી દિલ્હી સરકારની રચના અને સીએમ પદના નામ નક્કી કરવાને લઈને સંસદીય સીટ અનુસાર ધારાસભ્યોના વિવિધ જૂથો સાથે વાત કરશે. બીજી તરફ અમિત શાહ અને જેપી નડ્ડા પણ ભાવિ રણનીતિ નક્કી કરવા માટે વાતચીત કરશે.        

Delhi Election Result 2025: 27 વર્ષ બાદ આખરે દિલ્લીમાં ખીલ્યું કમળ, ભાજપના જીતના આ છે 5 મુખ્ય કારણો               

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Advertisement

વિડિઓઝ

Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
Embed widget