શોધખોળ કરો

ખેડૂત આંદોલન: ખેડૂતોએ કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને ઉજવ્યો લોહડીનો તહેવાર

હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતા લોહડીના તહેવારને ખેડૂતોએ અલગ અંદાજમાં ઉજવ્યો હતો. આંદોલન કરી રહેલા ખેડૂતોએ કૃષિ કાયદાની કોપીઓ સળગાવીને ઉજવણી કરી હતી

નવી દિલ્હી:   દિલ્હીની સીમાઓ પર નવા કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને 50 દિવસ થવા આવ્યા છે. સરકાર સાથે અનેક તબક્કામાં વાતચીત અને સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ પણ ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર અડગ છે. ત્યારે બીજી તરફ બુધવારે લોહડીનાં તહેવારનાં પ્રસંગે ખેડૂતોએ ત્રણેય કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો અને લોહડી ઉજવી હતી. નેતાઓએ આંદોલન  વ્યાપક કરવાને લઈ રણનીતિ બનાવી છે. હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતા લોહડીના તહેવારને ખેડૂતોએ અલગ અંદાજમાં ઉજવ્યો હતો. આંદોલન કરી રહેલા ખેડૂતોએ કૃષિ કાયદાની કોપીઓ સળગાવીને ઉજવણી કરી હતી અને કાયદો પરત નહીં લે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ લીધો હતો. સિંધુ બોર્ડર પર સંયુક્ત ખેડૂત મોર્ચાના નેતાઓએ આગળની રણનીતિ બનાવવાને લઈ બેઠક યોજી હતી તેના બાદ કાયદાની કોપીઓ સળગાવી હતી. ખેડૂત સંગઠનોએ સિંધુ બોર્ડર પર એક લાખ કોપીઓ સળગાવાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે,  સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર એક મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર હાલ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે કોર્ટ એક કમિટીની પણ રચના કરી છે. જેમાં ભારતીય કિશાન યુનિયનના પ્રેસિડન્ટ ભૂપિંદર માનસિંહ, ઇન્ટરનેશનલ પોલીસી હેડ ડો. પ્રમોદ જોશી, એગ્રિકલ્ચર ઇકોનોમિસ્ટ અશોક ગુલાટી, શેતકરી સંગઠનના અનિલ ધનવતનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget