શોધખોળ કરો

UNમાં ભારતે રોકડું પરખાવ્યું. કહ્યું, કાશ્મીર મુદ્દે તુર્કી જ્ઞાન અ આપે, પાકિસ્તાનને પણ ઝાટકી નાખ્યું

India reply in UN: ભારતીય સેક્રેટરીએ યુએન પ્લેટફોર્મ પર કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને તુર્કીને જોરદાર ઠપકો આપ્યો છે. કાશ્મીર પર તુર્કી અને પાકિસ્તાનના તાજેતરના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે, આ ભારતનો આંતરિક મામલો છે.

India reply in UN: ભારતીય સેક્રેટરીએ યુએન પ્લેટફોર્મ પર કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને તુર્કીને જોરદાર ઠપકો આપ્યો છે. કાશ્મીર પર તુર્કી અને પાકિસ્તાનના તાજેતરના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે, આ ભારતનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ દેશે દખલ ન કરવી જોઈએ. આ સાથે ભારતે આશા વ્યક્ત કરી કે તુર્કી બીજી વખત આવું નહીં કરે.

 

તો બીજી તરફ, ભારતે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દુરુપયોગ કરવા અંગે પાકિસ્તાનના વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પાકિસ્તાન અલગ-અલગ વિષયો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે, પરંતુ આ વખતે તુર્કીએ પણ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની 55મી માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તુર્કીએ પણ આ મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. ભારત પરના આરોપોનો જવાબ આપતાં ભારતના ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી અને તુર્કીને ચેતવણી પણ આપી હતી કે તે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરે.

ભારતનો જડબાતોડ જવાબ
ભારત પરના આરોપોનો જવાબ આપતા ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે કહ્યું,ભારતના આંતરિક મામલામાં તુર્કીની ટિપ્પણીઓ દુઃખદ છે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તુર્કી અમારી આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળશે. ઉપરોક્ત આરોપો અંગે અમે કહેવા માંગીએ છીએ કે એક વખત ભારત પર પાયાવિહોણા આક્ષેપો કરવા માટે ફરી કાઉન્સિલના પ્લેટફોર્મનો દુરુપયોગ દુર્ભાગ્યપૂર્ણ છે. આખું જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. ભારત સરકારે અહીં સામાજિક અને આર્થિક વિકાસની સાથે સારું શાસન પ્રદાન કર્યું છે. બંધારણીય ફેરફારો કરવામાં આવ્યા છે. આ ભારતનો આંતરિક મામલો છે.

શું હતું તુર્કીએનું નિવેદન?

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે કાશ્મીરમાં ન્યાય સાથે શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે. ભારત-પાકિસ્તાને આ મામલો વાતચીત અને સહયોગ દ્વારા ઉકેલવો પડશે. કાશ્મીરમાં શાંતિ માટે જે પણ પગલાં લેવામાં આવશે તેને તુર્કી સમર્થન આપશે.

અગાઉ તુર્કી દ્વારા UNHRCમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તે સમયે એર્દોગને કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ દ્વારા ઉકેલવાની વાત કરી હતી. ગત વર્ષે પણ તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે કાશ્મીરની સમસ્યા 74 વર્ષથી ચાલી રહી છે. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને આનો ઉકેલ લાવવો જોઈએ. 2019માં કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ તુર્કીએ કહ્યું હતું કે આનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Geniben Thakor: 'જીત બાદ સમાજને કેમ ભૂલી જાવ છો?'': મંત્રી કુંવરજી બાવળિયા પર ગેનીબેનનો પ્રહારGujarat Rajput Sangathan: બોટાદના સાળંગપુરમાં ગુજરાત રાજપુત સંગઠનના 12માં વાર્ષિક સંમેલનનું આયોજનGordhan Zadafia : ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ઝડફિયાનું ચોંકાવનારું નિવેદનGujarat Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં | બાવળિયા મુદ્દે ગેનીબેન શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ:  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Embed widget