શોધખોળ કરો

Spicejet Plane Emergency Landing: દિલ્હીથી જબલપુર જઇ રહેલી સ્પાઇસ જેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ધુમાડાથી મુસાફરો થયા પરેશાન

વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની માહિતી મળ્યા બાદ શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ DGCA પર નિશાન સાધ્યું હતું

નવી દિલ્હીઃ દિલ્હીથી જબલપુર જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ શનિવારે સવારે ઉડાણ ભર્યાના થોડી મિનિટો બાદ દિલ્હી એરપોર્ટ પર પરત ફરી હતી. સ્પાઈસજેટના પ્રવક્તાએ માહિતી આપી હતી કે ફ્લાઈટના ટેકઓફ બાદ જ્યારે વિમાન 5000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે પાઈલટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી પ્લેનને દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું હતું.

વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની માહિતી મળ્યા બાદ શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ DGCA પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે હોર્સ ટ્રેડિંગ માટે પસંદગીની એરલાઇન હોવાને કારણે DGCA એરલાઇન સામે પગલાં લઈ શકે નહીં. તેમણે કહ્યું કે મુસાફરોનો જીવ બચાવવાનારા ક્રૂ મેમ્બર્સને સલામ.

સમાચાર એજન્સી ANI દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે પ્લેનમાં ધુમાડો છવાયો હતો. ધુમાડાના કારણે અંદર બેઠેલા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને હાલ પૂરતા એરપોર્ટ પર રાખવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોને અન્ય પ્લેન મારફતે જબલપુર મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 19 જૂનના રોજ સ્પાઇસ જેટના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં આગના સમાચાર મળ્યા બાદ દિલ્હી જઈ રહેલા પ્લેનને પટના એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું. આ પ્લેનમાં 185 લોકો સવાર હતા. પ્લેનના પંખામાં લાગેલી આગને નીચેથી લોકોએ જોઈ હતી, ત્યારબાદ લોકોએ તરત જ પટના પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ પછી ઘટનાની જાણ એરપોર્ટને કરવામાં આવી હતી. ત્યારબાદ આ વિમાનને પરત લાવવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

DRDO એ ડ્રૉનથી ફાયર કરનારી મિસાઇલ ULPGM-V3 નું સફળ ટેસ્ટિંગ કર્યુ, જાણો શું છે આની ખાસિયત
DRDO એ ડ્રૉનથી ફાયર કરનારી મિસાઇલ ULPGM-V3 નું સફળ ટેસ્ટિંગ કર્યુ, જાણો શું છે આની ખાસિયત
School Building Collapse: ચાલું ક્લાસમાં છત ધરાશાયી થતા 4 બાળકોના મોત, મચી અફરાતફરી
School Building Collapse: ચાલું ક્લાસમાં છત ધરાશાયી થતા 4 બાળકોના મોત, મચી અફરાતફરી
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
IND VS ENG: કોણ લેશે ઋષભ પંતનું સ્થાન? એક-બે નહીં પરંતુ ત્રણ છે દાવેદાર
IND VS ENG: કોણ લેશે ઋષભ પંતનું સ્થાન? એક-બે નહીં પરંતુ ત્રણ છે દાવેદાર
Advertisement

વિડિઓઝ

Gandhinagar Hit And Run: બેફામ કારે ચાર લોકોને ઉડાવ્યા, જુઓ વીડિયોમાં હીટ એન્ડ રન | Abp Asmita
Donald Trump: ‘ભારતીયોને ટેક કંપનીમાં નોકરી ન આપશો..’ ટ્રમ્પે ભારતને આપ્યો ઝાટકો
Thailand Vs cambodia News: થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત
Gandhinagar WaterShutdown: ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગરમાં બે દિવસ વોટર શટડાઉન | Abp Asmita
Porbanadar Crime News: પાર્ટી પ્લોટમાં સગીરા પર ગેંગરેપ | Abp Asmita | 25-7-2025
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DRDO એ ડ્રૉનથી ફાયર કરનારી મિસાઇલ ULPGM-V3 નું સફળ ટેસ્ટિંગ કર્યુ, જાણો શું છે આની ખાસિયત
DRDO એ ડ્રૉનથી ફાયર કરનારી મિસાઇલ ULPGM-V3 નું સફળ ટેસ્ટિંગ કર્યુ, જાણો શું છે આની ખાસિયત
School Building Collapse: ચાલું ક્લાસમાં છત ધરાશાયી થતા 4 બાળકોના મોત, મચી અફરાતફરી
School Building Collapse: ચાલું ક્લાસમાં છત ધરાશાયી થતા 4 બાળકોના મોત, મચી અફરાતફરી
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
IND VS ENG: કોણ લેશે ઋષભ પંતનું સ્થાન? એક-બે નહીં પરંતુ ત્રણ છે દાવેદાર
IND VS ENG: કોણ લેશે ઋષભ પંતનું સ્થાન? એક-બે નહીં પરંતુ ત્રણ છે દાવેદાર
જો તમે પણ દરરોજ તમારા બાળકને  બિસ્કિટ અને ચિપ્સ આપતા હોય તો ચેતીજજો,શરીરનું આ અંગ થઈ શકે છે ખરાબ
જો તમે પણ દરરોજ તમારા બાળકને બિસ્કિટ અને ચિપ્સ આપતા હોય તો ચેતીજજો,શરીરનું આ અંગ થઈ શકે છે ખરાબ
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
આયુષ્યમાન કાર્ડથી એક વર્ષમાં કેટલી વખત કરાવી શકો છો સારવાર, જાણો તમારા કામની વાત
આયુષ્યમાન કાર્ડથી એક વર્ષમાં કેટલી વખત કરાવી શકો છો સારવાર, જાણો તમારા કામની વાત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
Embed widget