શોધખોળ કરો

સરકારના એક નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, સમગ્ર સૌરાષ્ટ્રમાં હરાજી બંધ

15 દિવસ પહેલા ડુંગળીના મણના 700 થી 800 રૂપિયા મળતા હતા, તે ડુંગળીનાં હાલ ખેડૂતોને 250 થી 300 મળી રહ્યાં છે.

Onion Export Ban: સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરવામાં આવતા ખેડૂતો અને વેપારીઓએ હરાજી બંધ રાખી છે. આજે રાજકોટ, ગોંડલ સહિત આખા રાજ્યમાં ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ ત્યારે જ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીને નિકાસબંધી કરવામાં આવી છે. જેના કારણે ડુંગળીનાં ભાવમાં ધરખમ ઘટાડો થયો છે.

15 દિવસ પહેલા ડુંગળીના મણના 700 થી 800 રૂપિયા મળતા હતા, તે ડુંગળીનાં હાલ ખેડૂતોને 250 થી 300 મળી રહ્યાં છે. ડિસેમ્બરથી માર્ચ સુધીમાં લાલપતિ ડુંગળી માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી રહી છે. આ ડુંગળી સંગ્રહ પણ કરી શકાય નહીં. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ રહી છે સાથે જ સરકાર દ્વારા નિકાસ બંધી કરવામાં આવી છે. જેના કારણે ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે. સરકાર દ્વારા જો ડુંગળીની નિકાસને છૂટ આપવામાં આવે તો ખરેખર પોષણક્ષમ ભાવ મળે તેવું ખેડૂતોનું કહેવું છે.

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના વિરોધમાં મહારાષ્ટ્રમાં આજે ત્રીજા દિવસે બજારો બંધ રહ્યા છે. રવિવારે પણ આંદોલનકારી લોકોના સમર્થનમાં નાશિકના તમામ ડુંગળી બજારો બંધ છે. સરકારના નિર્ણય સામે નાસિકમાં ડુંગળી ઉત્પાદક ખેડૂતોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકાર સામે લડત આપવાના અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતો અને વેપારીઓ સરકાર સાથે જોડાવાના મૂડમાં હોવાનું જણાય છે.

ડુંગળી ઉત્પાદક ખેડૂતોની બેઠકમાં બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આંદોલનકારીઓએ નક્કી કર્યું છે કે ડુંગળીને લઈને સરકારની નિકાસ નીતિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવશે. ડુંગળી 3 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઓછા ભાવે વેચવામાં આવશે નહીં.

ડુંગળીના ખેડૂતોના વધતા જતા આંદોલનને જોઈને મહારાષ્ટ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી અને ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ પાછો ખેંચવાની માંગ કરી. આ મુદ્દે શિવસેના (શિંદે જૂથ)ના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પણ પીયૂષ ગોયલને મળ્યું છે અને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે.

તમને જણાવી દઈએ કે ડુંગળીની વધતી કિંમતોને રોકવા માટે કેન્દ્ર સરકારે 7 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ડુંગળી ઉત્પાદક ખેડૂતોનો આરોપ છે કે સરકારના આ નિર્ણયથી તેમને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ્યથી આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થાનિક વિક્રેતાઓ 70-80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
Advertisement

વિડિઓઝ

Bhavnagar Rescue : ભાવનગરમાં પૂરના પાણીમાં કારમાં ફસાયેલા 3 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Junagadh Flood : જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ધારાસભ્ય લાડાણીના મતવિસ્તારના 9 ગામો બન્યા સંપર્ક વિહોણા
Crime Story With Poonam : ધક્કાના બદલામાં મોત , ગુનાખોરીની પરાકાષ્ઠા... સગીર બન્યો હત્યારો
Hun To Bolish : હું તો બોલીશ :  ક્રેડિટ કાર્ડ, બરબાદીનો રસ્તો?
Hun To Bolish : હું તો બોલીશ :  સમરસતાનો માર્ગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પદ પરથી હટાવવાના બિલ પર શશી થરૂરની પ્રતિક્રિયા: 'મને કંઈ ખોટું નથી લાગતું, પરંતુ...'
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પદ પરથી હટાવવાના બિલ પર શશી થરૂરની પ્રતિક્રિયા: 'મને કંઈ ખોટું નથી લાગતું, પરંતુ...'
શું વિધવા પુત્રવધૂ સસરાની મિલકતમાંથી ભરણપોષણ મેળવી શકે છે? દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
શું વિધવા પુત્રવધૂ સસરાની મિલકતમાંથી ભરણપોષણ મેળવી શકે છે? દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
શું CM રેખા ગુપ્તાના હુમલાખોરનું AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે છે કોઈ કનેક્શન? જાણો હકિકત
શું CM રેખા ગુપ્તાના હુમલાખોરનું AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે છે કોઈ કનેક્શન? જાણો હકિકત
Gujarat Rain: આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ જાહેર
Embed widget