શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

Talvar Garba: ક્ષત્રિય બહેનોએ રણજીત વિલાસ પેલેસમાં રમ્યા તલવાર ગરબા, સાથે તલવારબાજીના કરતબ પણ....

નવરાત્રિની શરૂઆત થઇ ગઇ છે, આજે ત્રીજી નોરતું છે, રાજ્યમાં ઠેર ઠેર માતાજીના ગરબાની રમઝટ જામી છે, આ બધાની વચ્ચે રાજકોટમાંથી ખાસ વીડિયો સામે આવ્યા છે

Rajkot Garba News: નવરાત્રિની શરૂઆત થઇ ગઇ છે, આજે ત્રીજી નોરતું છે, રાજ્યમાં ઠેર ઠેર માતાજીના ગરબાની રમઝટ જામી છે, આ બધાની વચ્ચે રાજકોટમાંથી ખાસ વીડિયો સામે આવ્યા છે, જેમાં નારી શક્તિના દર્શન દેખાઇ રહ્યાં છે, ખરેખરમાં, રાજકોટમાં આવેલા રણજીત વિલાસ પેલેસમાં ગઇકાલે નવરાત્રિ નિમિત્તે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ખાસ અંદાજમાં તલવાર ગરબા રમાયા હતા. દર વર્ષે આવું આયોજન રાણી સાહેબ કાદમ્બરી દેવી કરવામાં આવે છે.


Talvar Garba: ક્ષત્રિય બહેનોએ રણજીત વિલાસ પેલેસમાં રમ્યા તલવાર ગરબા, સાથે તલવારબાજીના કરતબ પણ....

રાજકોટમાં ગઇકાલે નવરાત્રિ નિમિત્તે ખાસ આયોજન રણજીત વિલાસ પેલેસમાં કરવામાં આવ્યુ હતુ, અહીં રાજકોટની ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર રાસ રજૂ કર્યો હતો.


Talvar Garba: ક્ષત્રિય બહેનોએ રણજીત વિલાસ પેલેસમાં રમ્યા તલવાર ગરબા, સાથે તલવારબાજીના કરતબ પણ....

રણજીત વિલાસ પેલેસ ખાતે ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા આ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ, અને નવરાત્રિમાં તલવાર સાથે નારી શક્તિના દર્શન થયા હતા.


Talvar Garba: ક્ષત્રિય બહેનોએ રણજીત વિલાસ પેલેસમાં રમ્યા તલવાર ગરબા, સાથે તલવારબાજીના કરતબ પણ....

ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાકમાં તલવારબાજીના કરતબ રજૂ કર્યા હતા. પેલેસમાં મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ખાસ વાત છે કે, દરવર્ષ રણજીત વિલાસ પેલેસ ખાતે રાણી સાહેબ કાદમ્બરી દેવી દ્વારા અદભુત આયોજન કરવામાં આવે છે. 


Talvar Garba: ક્ષત્રિય બહેનોએ રણજીત વિલાસ પેલેસમાં રમ્યા તલવાર ગરબા, સાથે તલવારબાજીના કરતબ પણ....

 

માતા ચંદ્રઘંટાની પૂજા કરવાની દૂર થાય છે મંગળ દોષ

નવરાત્રિના ત્રીજા નોરતા એ માતા ચંદ્રઘંટાની પૂજા કરવાની પરંપરા છે. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. ચંદ્રઘંટા માતાની ઉપાસનાથી હિંમતવાન અને પરાક્રમી બનવાનું વરદાન મળે છે. દેવી ચંદ્રઘંટાનો રંગ સોના જેવો તેજસ્વી છે અને તેમનું વાહન સિંહ છે.

માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ કેવું છે

 માતાના કપાળ પર અર્ધચંદ્રાકાર છે, જે ઘંટડી જેવો છે. તેથી જ માતાને ચંદ્રઘંટા કહેવામાં આવે છે.  એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી કુંડળીમાં મંગળ બળવાન બને છે. માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે ત્રીજા દિવસે તેમની આરતી કરો.

દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે. વાઘ પર સવાર માતા ચંદ્રઘંટાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે. માતા ચંદ્રઘંટા 10 હાથવાળા છે. તેમના દરેક હાથમાં અલગ-અલગ શસ્ત્રો છે. સફેદ ફૂલોની માળા તેના ગળાને શણગારે છે. માતા ચંદ્રઘંટા યુદ્ધની મુદ્રામાં બેઠેલી રહે છે. અત્યાચારી રાક્ષસો, દાનવો અને હંમેશા તેમના અવાજથી ધ્રૂજતા હોય છે. દુષ્ટોનો નાશ કરવા માટે હંમેશા તત્પર હોવા છતાં તેમનું સ્વરૂપ ભક્તો અને ઉપાસકો માટે સૌમ્યતા અને શાંતિથી ભરેલું રહે છે. તેથી તે ભક્તોની સમસ્યાઓ ઝડપથી હલ કરે છે. તેનો ઉપાસક સિંહની જેમ બહાદુર અને નિર્ભય બની જાય છે. મા ચંદ્રઘંટાના ભક્તો અને ઉપાસકો જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમના દર્શન કરીને શાંતિ અનુભવે છે.

તેમની પૂજા કરવાથી ભક્તોને લાંબા આયુષ્ય, આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે. ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે. તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતાનો પણ વિકાસ થાય છે. તેમના ચહેરા, આંખો અને આખા શરીરની ચમક વધે છે અને તેનો અવાજ દિવ્ય અને અલૌકિક મધુરતાથી ભરપૂર બને છે. ક્રોધિ લોકો અને  નાની નાની બાબતોમાં વિચલિત થનારા, તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ મા ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ.

માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવાના ઉપાયો

જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો આર્થિક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે માતા ચંદ્રઘંટાના મંત્રનો 51 વાર જાપ કરો

નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાને લાલ ફૂલ, તાંબાનો સિક્કો અથવા તાંબાની કોઈપણ વસ્તુ અર્પણ કરો. આ પછી આ સિક્કાને તમારા પર્સમાં રાખો અથવા ફરીથી તમારા ગળામાં પહેરો. તેનાથી તમને સ્વાસ્થ્યનું વરદાન મળશે અને તમારી હિંમત વધશે.

મા ચંદ્રઘંટાનો મંત્ર

"या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता।
नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै, नमो नमः।"

पिंडजप्रवरारूढा, चंडकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यं, चंद्रघंटेति विश्रुता।।

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dharmendra Health Updates: દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે ઘરે જ કરાશે સારવાર
Dharmendra Health Updates: દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે ઘરે જ કરાશે સારવાર
UPSC CSE Mains Result 2025: UPSC સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2025નું પરિણામ જાહેર, 2736 ઉમેદવારો પાસ
UPSC CSE Mains Result 2025: UPSC સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2025નું પરિણામ જાહેર, 2736 ઉમેદવારો પાસ
ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા
ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dharmendra Health Updates: દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે ઘરે જ કરાશે સારવાર
Dharmendra Health Updates: દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે ઘરે જ કરાશે સારવાર
UPSC CSE Mains Result 2025: UPSC સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2025નું પરિણામ જાહેર, 2736 ઉમેદવારો પાસ
UPSC CSE Mains Result 2025: UPSC સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2025નું પરિણામ જાહેર, 2736 ઉમેદવારો પાસ
ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા
ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Supreme Court: 'ભાડુઆત મકાનની માલિકીને ન પડકારી શકે', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Supreme Court: 'ભાડુઆત મકાનની માલિકીને ન પડકારી શકે', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Team India: વિરાટ કોહલી  અને રોહિત શર્માને BCCIનો 'આદેશ', એક જ શરત પર મળશે ટીમ ઈન્ડિયામાં સ્થાન
Team India: વિરાટ કોહલી અને રોહિત શર્માને BCCIનો 'આદેશ', એક જ શરત પર મળશે ટીમ ઈન્ડિયામાં સ્થાન
Govinda: ફિલ્મ અભિનેતા ગોવિંદાની અચાનક લથડી તબિયત, પોતાના જ ઘરમાં થયા બેભાન
Govinda: ફિલ્મ અભિનેતા ગોવિંદાની અચાનક લથડી તબિયત, પોતાના જ ઘરમાં થયા બેભાન
India vs South Africa:  ઈડન ગાર્ડન્સમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ રેકોર્ડ? સાઉથ આફ્રિકા સામે મેચ અગાઉ જાણી લો આંકડા
India vs South Africa: ઈડન ગાર્ડન્સમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ રેકોર્ડ? સાઉથ આફ્રિકા સામે મેચ અગાઉ જાણી લો આંકડા
Embed widget