શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aghori: કાળી ચૌદશમાં અઘોરી સ્મશાનમાં શું કરે છે? જાણો તેમની રહસ્યમય દુનિયાની હકીકત
કાળી ચૌદશના તહેવાર આત્માઓ સાથે સંકળાયેલો તહેવાર છે. આ દિવસે અને રાત્રે તંત્ર વિદ્યા શીખનારા લોકો સ્માશાનમાં જાય છે.
![કાળી ચૌદશના તહેવાર આત્માઓ સાથે સંકળાયેલો તહેવાર છે. આ દિવસે અને રાત્રે તંત્ર વિદ્યા શીખનારા લોકો સ્માશાનમાં જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/234fde65e19ac530b45be4e656f7992a169967707259081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7
![Aghori Baba: 'અઘોરી' કોણ છે? સામાન્ય લોકો તેમના વસ્ત્રો જોઈને સ્વાભાવિક રીતે જ ડરી જાય છે, જ્યારે કેટલાક લોકો આદરપૂર્વક મુલાકાત લે છે. પરંતુ અઘોરીઓની રહસ્યમય દુનિયાના અજાણ્યા પાસાઓ જાણીને તમને આશ્ચર્યચકિત થઇ જશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/f3ccdd27d2000e3f9255a7e3e2c4880076f28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Aghori Baba: 'અઘોરી' કોણ છે? સામાન્ય લોકો તેમના વસ્ત્રો જોઈને સ્વાભાવિક રીતે જ ડરી જાય છે, જ્યારે કેટલાક લોકો આદરપૂર્વક મુલાકાત લે છે. પરંતુ અઘોરીઓની રહસ્યમય દુનિયાના અજાણ્યા પાસાઓ જાણીને તમને આશ્ચર્યચકિત થઇ જશો
2/7
![કાળી ચૌદશના તહેવાર અથવા આત્માઓ સાથે સંકળાયેલો તહેવાર છે. આ દિવસે અને રાત્રે તંત્ર વિદ્યા શીખનારા લોકો સ્માશાનમાં જાય છે અને અલગ-અલગ ઉપાય કરે છે. એવું માનવામાં આવે છે કે તંત્ર સાધના દ્વારા તાંત્રિકો ભૂતોને બોલાવે છે, એટલું જ નહીં, આ કારણે આ સમગ્ર પ્રવૃત્તિને ભૂત ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. ભૂત ચતુર્દશીની રાત્રે પિતૃઓના નામના 14 દીવા પ્રગટાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ રાત્રે દુષ્ટ શક્તિઓ વધુ પ્રભુત્વ ધરાવે છે અને આ દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે જે લોકો તંત્ર વિદ્યા શીખે છે તેઓ 14 દીવા પ્રગટાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/467ee1174284ff0c2b569e8efba21445d594c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાળી ચૌદશના તહેવાર અથવા આત્માઓ સાથે સંકળાયેલો તહેવાર છે. આ દિવસે અને રાત્રે તંત્ર વિદ્યા શીખનારા લોકો સ્માશાનમાં જાય છે અને અલગ-અલગ ઉપાય કરે છે. એવું માનવામાં આવે છે કે તંત્ર સાધના દ્વારા તાંત્રિકો ભૂતોને બોલાવે છે, એટલું જ નહીં, આ કારણે આ સમગ્ર પ્રવૃત્તિને ભૂત ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. ભૂત ચતુર્દશીની રાત્રે પિતૃઓના નામના 14 દીવા પ્રગટાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ રાત્રે દુષ્ટ શક્તિઓ વધુ પ્રભુત્વ ધરાવે છે અને આ દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે જે લોકો તંત્ર વિદ્યા શીખે છે તેઓ 14 દીવા પ્રગટાવે છે.
3/7
![કેટલાક શબ્દો એવા હોય છે જે કાનમાં પડતાં જ મનમાં એવી છબી રજૂ કરી દે છે, જેને સમજવી થોડી મુશ્કેલ બની જાય છે. પરંતુ તેના વિશે જાણવાની જિજ્ઞાસા ચોક્કસ વધી જાય છે. સંસ્કૃતમાં અઘોરી શબ્દનો અર્થ 'પ્રકાશ તરફ' એવો કરવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/156005c5baf40ff51a327f1c34f2975b38836.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલાક શબ્દો એવા હોય છે જે કાનમાં પડતાં જ મનમાં એવી છબી રજૂ કરી દે છે, જેને સમજવી થોડી મુશ્કેલ બની જાય છે. પરંતુ તેના વિશે જાણવાની જિજ્ઞાસા ચોક્કસ વધી જાય છે. સંસ્કૃતમાં અઘોરી શબ્દનો અર્થ 'પ્રકાશ તરફ' એવો કરવામાં આવ્યો છે.
4/7
![બીજી બાજુ, અઘોરનો અર્થ એ + ઘોર થાય છે, એટલે કે, જે ઉગ્ર નથી અને સરળ છે. જોકે તેમનો દેખાવ ખરેખર ડરામણો છે. પરંતુ આધ્યાત્મિકતાની ભાષામાં અઘોર બનવાની પ્રથમ ક્રિયા મનમાંથી નફરતને દૂર કરવાની છે. મૂળભૂત રીતે અઘોરીઓ સ્મશાન જેવા સ્થળોએ આરામથી રહે છે અને તંત્ર વિધિઓ શીખે છે. સામાન્ય રીતે, જે વસ્તુઓને સમાજ નફરત કરે છે, અઘોરી તેને અપનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/799bad5a3b514f096e69bbc4a7896cd99f96f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજી બાજુ, અઘોરનો અર્થ એ + ઘોર થાય છે, એટલે કે, જે ઉગ્ર નથી અને સરળ છે. જોકે તેમનો દેખાવ ખરેખર ડરામણો છે. પરંતુ આધ્યાત્મિકતાની ભાષામાં અઘોર બનવાની પ્રથમ ક્રિયા મનમાંથી નફરતને દૂર કરવાની છે. મૂળભૂત રીતે અઘોરીઓ સ્મશાન જેવા સ્થળોએ આરામથી રહે છે અને તંત્ર વિધિઓ શીખે છે. સામાન્ય રીતે, જે વસ્તુઓને સમાજ નફરત કરે છે, અઘોરી તેને અપનાવે છે.
5/7
![શ્વેતાશ્વતરોપનિષદમાં ભગવાન શિવને અઘોરનાથ કહેવામાં આવ્યા છે. અઘોરી બાબા પણ ભગવાન શિવના આ સ્વરૂપની પૂજા કરે છે. અઘોરીઓ દ્વારા પણ બાબા ભૈરવનાથની પૂજા કરવામાં આવે છે. અઘોરીઓની રહસ્યમય દુનિયા સાથે જોડાયેલા અજાણ્યા પાસાઓ વિશે જાણો. અઘોરીઓ કોણ છે, તેઓ શું ખાય છે, તેમનું જીવન કેવું છે અને તે વસ્તુઓ જે અઘોરીઓને અન્ય સાધકોથી અલગ બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/d0096ec6c83575373e3a21d129ff8fef17ce5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્વેતાશ્વતરોપનિષદમાં ભગવાન શિવને અઘોરનાથ કહેવામાં આવ્યા છે. અઘોરી બાબા પણ ભગવાન શિવના આ સ્વરૂપની પૂજા કરે છે. અઘોરીઓ દ્વારા પણ બાબા ભૈરવનાથની પૂજા કરવામાં આવે છે. અઘોરીઓની રહસ્યમય દુનિયા સાથે જોડાયેલા અજાણ્યા પાસાઓ વિશે જાણો. અઘોરીઓ કોણ છે, તેઓ શું ખાય છે, તેમનું જીવન કેવું છે અને તે વસ્તુઓ જે અઘોરીઓને અન્ય સાધકોથી અલગ બનાવે છે.
6/7
![ભગવાન શિવને અઘોર પંતના પૂર્વજ માનવામાં આવે છે. શિવજીના અવતાર એવા અવધૂત ભગવાન દત્તાત્રેયને પણ અઘોરશાસ્ત્રના ગુરુ માનવામાં આવે છે. અઘોર સંપ્રદાય ભગવાન શિવના અનુયાયી છે. તેમના મતે, શિવ પોતાનામાં સંપૂર્ણ છે અને તમામ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/032b2cc936860b03048302d991c3498fe1298.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન શિવને અઘોર પંતના પૂર્વજ માનવામાં આવે છે. શિવજીના અવતાર એવા અવધૂત ભગવાન દત્તાત્રેયને પણ અઘોરશાસ્ત્રના ગુરુ માનવામાં આવે છે. અઘોર સંપ્રદાય ભગવાન શિવના અનુયાયી છે. તેમના મતે, શિવ પોતાનામાં સંપૂર્ણ છે અને તમામ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
7/7
![અઘોરીઓની રહસ્યમય દુનિયા-અઘોરી હિન્દુ ધર્મનું એક અંગ છે. તેથી જ તેમને અઘોરી સંપ્રદાય અથવા અઘોર પંથ કહેવામાં આવે છે.અઘોરી દેશભરમાં જોવા મળે છે. પરંતુ સૌથી વધુ અઘોરીઓ કાશી અને વારાણસીમાં જોવા મળે છે.ઔઘડ, સરભાંગી અને ઘુરે અઘોરીઓની ત્રણ શાખાઓ છે.કિનારામ અઘોરીને અઘોરીઓના બાબા કહેવામાં આવે છે. તેઓ કાલુરામના શિષ્ય હતા.કિનારામ બાબા અઘોરીએ ગીતાવલી, વિવેકસાર અને રામગીતાની રચના કરી હતી. 1826માં કીનારામનું અવસાન થયું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/18e2999891374a475d0687ca9f989d8365daa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અઘોરીઓની રહસ્યમય દુનિયા-અઘોરી હિન્દુ ધર્મનું એક અંગ છે. તેથી જ તેમને અઘોરી સંપ્રદાય અથવા અઘોર પંથ કહેવામાં આવે છે.અઘોરી દેશભરમાં જોવા મળે છે. પરંતુ સૌથી વધુ અઘોરીઓ કાશી અને વારાણસીમાં જોવા મળે છે.ઔઘડ, સરભાંગી અને ઘુરે અઘોરીઓની ત્રણ શાખાઓ છે.કિનારામ અઘોરીને અઘોરીઓના બાબા કહેવામાં આવે છે. તેઓ કાલુરામના શિષ્ય હતા.કિનારામ બાબા અઘોરીએ ગીતાવલી, વિવેકસાર અને રામગીતાની રચના કરી હતી. 1826માં કીનારામનું અવસાન થયું.
Published at : 11 Nov 2023 10:03 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)