શોધખોળ કરો
Morning Meal Tips: આ 5 ફૂડ જેને સવારે ખાલી પેટ ખાવાની ભૂલ ન કરો, થાય છે આ નુકસાન
નાસ્તો મહત્વપૂર્ણ છે. આનાથી આપણને આખો દિવસ એનર્જી મળે છે, જે આપણું કામ સરળ બનાવે છે. પરંતુ સવારના નાસ્તામાં સામેલ ખોટા ખોરાક આપણા સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે.

હેલ્થ ટિપ્સ
1/7

નાસ્તો મહત્વપૂર્ણ છે. આનાથી આપણને આખો દિવસ એનર્જી મળે છે, જે આપણું કામ સરળ બનાવે છે. પરંતુ સવારના નાસ્તામાં સામેલ ખોટા ખોરાક આપણા સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે.
2/7

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે આપણી પાચન તંત્ર અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ છે. જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો તે લાંબી સમસ્યાઓનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે આપણામાંથી મોટાભાગના લોકો સવારની શરૂઆત ખોટી રીતે કરે છે, જેના કારણે આપણું પાચન ખરાબ થાય છે.
3/7

આપણે જાણીએ છીએ કે, ફળો સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે, પરંતુ તેને ખાલી પેટ ન ખાઓ. ફાઈબરથી ભરપૂર સાઇટ્રસ ફળો જેવા કે સંતરા, અનાનસ, કીવી, લીંબુ અને જામફળ સવારે ખાલી પેટ ખાવાથી તમારું પેટમાં બળતરા થાય છે. તે માત્ર તમારા ચયાપચયને ધીમું નથી કરતું, પરંતુ આખો દિવસ તમારું પેટ અસ્વસ્થ રહેશે.
4/7

ખાલી પેટે કાચા શાકભાજી ખાવાનું ટાળો. શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે આપણા પેટ માટે પચવામાં મુશ્કેલ હોય છે. નાસ્તામાં કાચા શાકભાજીનું સેવન કરવાથી ગેસ, પેટના દુખાવાથી તમારો આખો દિવસ બગાડી શકે છે. સવારે ખાલી પેટે સલાડ ન ખાઓ, તે લંચ અથવા ડિનર પહેલા લેવું વધુ સારું છે.
5/7

કેક, પિઝા, પેસ્ટ્રીઝ ભલે ભાવતી હોય પરંતુ સવારના નાસ્તામાં તેને ખાવું યોગ્ય નથી. આવા ખોરાકમાં આથો હોય છે, જે ખાલી પેટને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ગેસ જેવી સમસ્યા શરૂ થાય છે. તો આવી વસ્તુઓને દિવસના પહેલા ભોજનમાં સામેલ કરવાની ભૂલ ન કરો.
6/7

સવારે ખાલી પેટે મસાલેદાર ખાદ્યપદાર્થો ખાવાથી તમારા પેટમાં બળતરા થા છે અને સવારે મળ પસાર કરવામાં મુશ્કેલી થઈ શકે છે. એટલા માટે સવારના નાસ્તામાં મસાલેદાર ખોરાક ખાવો તે યોગ્ય નથી. તેનાથી આખો દિવસ તમારું પેટ ખરાબ રહેશે. એસિડિટી સાથે પેટમાં દુખાવો પણ થઈ શકે છે.
7/7

ખાંડવાળી વસ્તુઓ ક્યારેય ખાલી પેટ ન ખાવી જોઈએ. ઘણા લોકો તેમના દિવસની શરૂઆત પ્રોટીન બારથી કરે છે, પરંતુ નિષ્ણાતો જાગતાની સાથે જ ચોકલેટનું સેવન ટાળવાની સલાહ આપે છે. પ્રોસેસ્ડ ખાંડ એ ખાલી પેટ પર ખાવા માટે સૌથી ખરાબ વસ્તુઓમાંથી એક છે. માત્ર ચોકલેટ જ નહીં, પણ ખાંડયુક્ત ખોરાક અને પીણાં પણ ટાળવા જોઈએ.
Published at : 25 Feb 2023 07:40 AM (IST)
આગળ જુઓ
Advertisement