શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Onion peels Health Benefits: ડુંગળી જ નહી ડુંગળીની છાલ પણ છે ગુણકારી, આ રીતે કરો સેવન, થશે અદભૂત ફાયદા
ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં દરરોજ થાય છે. ડુંગળીનો ઉપયોગ મોટાભાગે ડિશનો ટેસ્ટ વધારવા માટે કરવામાં આવે છે. લોકોને સલાડમાં ડુંગળી ખાવાનું પણ સૌથી વધુ પસંદ કરે છે.
![ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં દરરોજ થાય છે. ડુંગળીનો ઉપયોગ મોટાભાગે ડિશનો ટેસ્ટ વધારવા માટે કરવામાં આવે છે. લોકોને સલાડમાં ડુંગળી ખાવાનું પણ સૌથી વધુ પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/734f6212f5c00c53371ead5388c1a3ac171228508794281_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/6
![Onion peels Health Benefits: ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં દરરોજ થાય છે. ડુંગળીનો ઉપયોગ મોટાભાગે ડિશનો ટેસ્ટ વધારવા માટે કરવામાં આવે છે. લોકોને સલાડમાં ડુંગળી ખાવાનું પણ સૌથી વધુ પસંદ કરે છે. પકાવેલ કરતા કાચી ખાવાના ફાયદા છે. ડુંગળીની જેમ તેની છાલ પણ ગુણકારી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/f3ccdd27d2000e3f9255a7e3e2c488003f4ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Onion peels Health Benefits: ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં દરરોજ થાય છે. ડુંગળીનો ઉપયોગ મોટાભાગે ડિશનો ટેસ્ટ વધારવા માટે કરવામાં આવે છે. લોકોને સલાડમાં ડુંગળી ખાવાનું પણ સૌથી વધુ પસંદ કરે છે. પકાવેલ કરતા કાચી ખાવાના ફાયદા છે. ડુંગળીની જેમ તેની છાલ પણ ગુણકારી છે.
2/6
![જો તમને હર્બલ ટી પીવાની આદત હોય તો એકવાર ડુંગળીની છાલમાંથી બનેલી ચા પીવાનો પ્રયાસ કરો. ડુંગળીની છાલમાંથી બનેલી ચામાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. ડુંગળીની છાલમાંથી બનેલી ચા અન્ય ઉચ્ચ કેલરીવાળા પીણાં કરતાં વધુ ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/156005c5baf40ff51a327f1c34f2975b1e9fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમને હર્બલ ટી પીવાની આદત હોય તો એકવાર ડુંગળીની છાલમાંથી બનેલી ચા પીવાનો પ્રયાસ કરો. ડુંગળીની છાલમાંથી બનેલી ચામાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. ડુંગળીની છાલમાંથી બનેલી ચા અન્ય ઉચ્ચ કેલરીવાળા પીણાં કરતાં વધુ ફાયદાકારક છે.
3/6
![ડુંગળીની છાલ ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી અને ઇ પણ હોય છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે. જો તમને ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓની સમસ્યા હોય તો ડુંગળીની છાલમાંથી બનેલી ચા ફાયદાકારક સાબિત થઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/799bad5a3b514f096e69bbc4a7896cd954081.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડુંગળીની છાલ ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી અને ઇ પણ હોય છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે. જો તમને ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓની સમસ્યા હોય તો ડુંગળીની છાલમાંથી બનેલી ચા ફાયદાકારક સાબિત થઈ શકે છે.
4/6
![જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે તેમના માટે ડુંગળીની છાલ પણ દવાની જેમ કામ કરી શકે છે. કારણ કે, ડુંગળીની છાલમાં વધુ માત્રામાં ફ્લેવોનોઈડ હોય છે. ફ્લેવોનોઈડ્સ પોલિફેનોલિક સંયોજનો છે અને કેટલાક અભ્યાસો અનુસાર, તેઓ કોલેસ્ટ્રોલના સ્તરને સુધારે છે. આ રીતે તમે હૃદય સંબંધિત બીમારીઓથી પણ સુરક્ષિત રહી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/d0096ec6c83575373e3a21d129ff8fef1afcd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે તેમના માટે ડુંગળીની છાલ પણ દવાની જેમ કામ કરી શકે છે. કારણ કે, ડુંગળીની છાલમાં વધુ માત્રામાં ફ્લેવોનોઈડ હોય છે. ફ્લેવોનોઈડ્સ પોલિફેનોલિક સંયોજનો છે અને કેટલાક અભ્યાસો અનુસાર, તેઓ કોલેસ્ટ્રોલના સ્તરને સુધારે છે. આ રીતે તમે હૃદય સંબંધિત બીમારીઓથી પણ સુરક્ષિત રહી શકો છો.
5/6
![મેદસ્વી લોકોમાં ફ્લેવોનોઈડ્સ ખરાબ કોલેસ્ટ્રોલ અથવા ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીનને સુધારી શકે છે. સ્થૂળતાથી પીડાતા લોકોને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ થવાનું જોખમ વધારે હોય છે. જે ફ્લેવોનોઈડ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેને Quercetin કહેવામાં આવે છે. આ ફ્લેવોનોઈડ સારા કોલેસ્ટ્રોલના સ્તરને અસર કરતું નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/032b2cc936860b03048302d991c3498f143f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેદસ્વી લોકોમાં ફ્લેવોનોઈડ્સ ખરાબ કોલેસ્ટ્રોલ અથવા ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીનને સુધારી શકે છે. સ્થૂળતાથી પીડાતા લોકોને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ થવાનું જોખમ વધારે હોય છે. જે ફ્લેવોનોઈડ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેને Quercetin કહેવામાં આવે છે. આ ફ્લેવોનોઈડ સારા કોલેસ્ટ્રોલના સ્તરને અસર કરતું નથી.
6/6
![ડુંગળીની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે, જે શરદી, ઉધરસ અને ફ્લૂના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. જે સિઝનલ બીમારીથી પણ બચાવે છે. આવી સ્થિતિમાં તમે ડુંગળીની છાલમાંથી બનેલી ચાનું સેવન કરી શકો છો. જો તમને કોઈ ક્રોનિક રોગ અથવા કોઈપણ પ્રકારની એલર્જી હોય, તો કોઈપણ રીતે ડુંગળીની છાલનો ઉપયોગ કરતા પહેલા ચોક્કસપણે તમારા ડૉક્ટરની સલાહ લો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/18e2999891374a475d0687ca9f989d831b06f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડુંગળીની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે, જે શરદી, ઉધરસ અને ફ્લૂના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. જે સિઝનલ બીમારીથી પણ બચાવે છે. આવી સ્થિતિમાં તમે ડુંગળીની છાલમાંથી બનેલી ચાનું સેવન કરી શકો છો. જો તમને કોઈ ક્રોનિક રોગ અથવા કોઈપણ પ્રકારની એલર્જી હોય, તો કોઈપણ રીતે ડુંગળીની છાલનો ઉપયોગ કરતા પહેલા ચોક્કસપણે તમારા ડૉક્ટરની સલાહ લો.
Published at : 05 Apr 2024 08:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)