![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs BAN: વર્લ્ડકપ 2015થી એશિયા કપ સુધી..... જ્યારે બાંગ્લાદેશી ફેંસે બગાડ્યો માહોલ, જાણો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 40 વનડે રમાઈ છે. જેમાં બાંગ્લાદેશે ભારતીય ટીમને 8 વખત હરાવ્યું છે.
![IND vs BAN: વર્લ્ડકપ 2015થી એશિયા કપ સુધી..... જ્યારે બાંગ્લાદેશી ફેંસે બગાડ્યો માહોલ, જાણો IND vs BAN Controversies From World Cup 2015 to Asia Cup..... When Bangladeshi fans spoiled the atmosphere, know IND vs BAN: વર્લ્ડકપ 2015થી એશિયા કપ સુધી..... જ્યારે બાંગ્લાદેશી ફેંસે બગાડ્યો માહોલ, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/cf4b2b2004b5e68c58fa9a820af6cc1e169764983961276_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs BAN Controversies: ભારત અને બાંગ્લાદેશની ટીમો ગુરુવારે સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ પુણેમાં રમાશે.. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 40 વનડે રમાઈ છે. જેમાં બાંગ્લાદેશે ભારતીય ટીમને 8 વખત હરાવ્યું છે. આ સિવાય બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયા સામે 2 શ્રેણી જીતી છે. આ ઉપરાંત બાંગ્લાદેશે 2007ના વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. પરંતુ ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન ઘણા વિવાદો થયા છે. આજે આપણે આવા વિવાદો પર નજર નાખીશું.
જ્યારે ભારત સામેની હાર બાદ બાંગ્લાદેશમાં દેખાવો થયા હતા
વર્લ્ડ કપ 2015ની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હતું. પરંતુ બાંગ્લાદેશી ચાહકોનું માનવું હતું કે બાંગ્લાદેશની ટીમ અમ્પાયરના ખોટા નિર્ણયોને કારણે હારી છે. આ પછી બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ખરાબ અમ્પાયરિંગના વિરોધમાં માર્ચ કાઢી હતી. આ સાથે જ આ મુદ્દે બાંગ્લાદેશના વડાપ્રધાનનું નિવેદન પણ આવ્યું હતું. આ વિવાદ બાદ બાંગ્લાદેશના મુસ્તફા કમલે ICC પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.
મુશ્ફિકુર રહીમે ટીમ ઈન્ડિયાની હારની ઉજવણી કરી
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2016ની ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે ટ્વિટ કરીને ભારતની હારની ઉજવણી કરી હતી. જો કે, આ પછી તેણે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું અને માફી માંગી.
બાંગ્લાદેશી પ્રશંસકે ધોનીના ફોટાનું વાંધાજનક એડિટિંગ કર્યું...
એશિયા કપ 2016ની ફાઈનલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાવાની હતી. પરંતુ આ મેચ પહેલા બાંગ્લાદેશી ફેને મહેન્દ્ર સિંહ ધોનીના ફોટોનું વાંધાજનક એડિટિંગ કર્યું હતું. જે બાદ ભારતીય ચાહકો ગુસ્સે થઈ ગયા હતા. જોકે ભારતીય ટીમે ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને આસાનીથી હરાવ્યું હતું. પરંતુ આ વિવાદે જોર પકડ્યું હતું.
ભારતીય ચાહક સુધીરને બાંગ્લાદેશી ટોળાએ માર માર્યો
ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે હતી. તે પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના ફેન સુધીરને બાંગ્લાદેશના લોકોએ માર માર્યો હતો. આ પછી ટોળાએ જે ઓટોમાં સુધીર મુસાફરી કરી રહ્યો હતો તેના પર પથ્થરમારો કર્યો હતો. ભારતીય ધ્વજનું પણ અપમાન કર્યું. આ ઘટના વર્ષ 2015ની છે.
Watch: મિચેલ સેંટનરે પકડ્યો વર્લ્ડકપનો સૌથી શ્રેષ્ઠ કેચ! જોઈને રહી જશો હેરાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)