શોધખોળ કરો

ભારત- ન્યૂઝીલેન્ડ XI પ્રેક્ટિસ મેચ ડ્રો, મયંક અગ્રવાલ, રિષભ પંતની ફિફ્ટી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ 21 ફેબ્રુઆરીએ રમાશે.

ઓકલેન્ડઃ ભારત અને ન્યૂઝીલેન્ડ ઈલેવન વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચ ડ્રો ગઈ હતી. મેચના ત્રીજા અને અંતિમ દિવસે ભારતે 4 વિકેટના નુકસાન પર 252 રન કર્યા ત્યારે મેચ ડ્રો જાહેર કરાઈ હતી. મયંક અગ્રવાલ 99 બોલમાં 81 રન બનાવી રિટાયર્ડ થયો હતો. રિષભ પંતે 65 બોલમાં 70 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉએ 39 રનનું યોગદાન આપ્યું હતું રિદ્ધી માન સાહા અને રવિચંદ્રન અશ્વિન 16 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. શુભમન ગિલ બીજી ઈનિંગમાં પણ નિષ્ફળ ગયો હતો. તેણે માત્ર 8 રન બનાવ્યા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ ઇલેવન વચ્ચે રમાઇ રહેલી પ્રેક્ટિસ મેચના બીજા દિવસે ભારતીય બોલરો ઝળક્યા હતા. પ્રથમ દિવસે ભારત 263 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી પૂજારાએ 93 અને હનુમા વિહારીએ 101 રન બનાવ્યા હતા. આ સિવાય કોઇપણ ભારતીય બેટ્સમેનો મોટી ઈનિંગ રમી શક્યા નહોતા. પૃથ્વી શૉ, શુભમન ગિલ, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન તો ખાતું પણ ખોલી શક્યા નહોતા. ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન ભારતના ફાસ્ટ બોલર્સ ઝળક્યા હતા અને 235 રનમાં ઓલાઉટ કરી 28 રનની મહત્વપૂર્ણ લીડ લીધી હતી. મોહમ્મદ શમીએ 17 રનમાં 3, બુમરાહે 18 રનમાં 2, ઉમેશ યાદવે 49 રનમાં 2 અને નવદીપ સૈનીએ 58 રનમાં 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને 46 રનમાં 1 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી. દિવસના અંતે 7 ઓવરમાં વિના વિકેટે 59 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉ 35 અને મયંક અગ્રવાલ 23 રન રમતમાં હતા. વન ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાની હારનું મુખ્યકારણ ફાસ્ટ બોલર્સની નિષ્ફળતા હતી. ભારતીય બોલર્સે વન ડે સીરિઝ દરમિયાન 114.60ની સરેરાશથી રન આપ્યા હતા. જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ  શમી, નવદીપ સૈનીએ મળીને વન ડે સીરિઝમાં   85.2 ઓવર ફેંકી હતી માત્ર 5 વિકેટ જ લીધી હતી. શાર્દુલને 4 અને શમીને  1 સફળતા મળી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની વિકેટ ઝડપી શકયા નહોતા.  જેની સામે ન્યૂઝીલેન્ડના પેસર્સે મળીને 18 વિકેટ લીધી હતી અને તેમની એવરેજ પણ 41ની રહી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ 21 ફેબ્રુઆરીએ રમાશે. મોદી-ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં કયા દિગ્ગજ કલાકાર લોકોનું કરશે મનોરંજન ? કયા ક્રિકેટરો રહેશે હાજર ? જાણો વિગત IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે, જાણો કયારથી શરૂ થશે ટુર્નામેન્ટ કેજરીવાલ દિલ્હીના CM તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે, 6 મંત્રીઓ પણ લેશે શપથ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget