શોધખોળ કરો
મ્યાનમારઃ PM મોદીએ કાલી મંદિરમાં કર્યા દર્શન, બહાદુર શાહ ઝફરની મઝાર પર ચઢાવ્યા ફૂલ
1/5

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મ્યાનમાર પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. આજે તેમણે ભારતના અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરના મકબરા પર ચાદર ચઢાવી હતી. તે સિવાય વડાપ્રધાન મોદીએ યંગૂનમાં કાલી બારી મંદિરમાં દર્શન કર્યા હતા. આ અગાઉ મોદીએ સવારે મ્યાનમારમાં બૌદ્ધ મંદિરમાં પ્રાર્થના કરી હતી.
2/5

2500 જૂના શ્વેદાગોન પગોડાને દેશની સાંસ્કૃતિક વિરાસતની માનવામાં આવે છે. બૌદ્ધ બહુમતી ધરાવતા મ્યાનમારના ત્રણ દિવસીય દ્ધિપક્ષીય પ્રવાસના અંતિમ દિવસે મોદીએ આજે પગોડાના દર્શન કર્યા હતા. વડાપ્રધાને પગોડા પરિસરમાં એક બોધી વૃક્ષ લગાવવામાં આવ્યું હતું જે સંયુક્ત વિરાસતનું મહત્વ દર્શાવે છે.
Published at : 07 Sep 2017 02:31 PM (IST)
View More





















