શોધખોળ કરો

Lili Parikrama: લીલી પરિક્રમાનું શું છે માહાત્મ્ય, જાણો કોણે સૌથી પહેલા પરિક્રમા કરી હોવાની છે લોકવાયકા

ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરે છે અને ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે.

Girnar Lili Parikrama: જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજાય છે. દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ઘાર્મિક મહત્વ પણ અનેરું છે. જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ છે. આ વર્ષે પણ લીલી પરિક્રમા યોજવા જઇ રહી છે. સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થતી હોય છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ભક્તોનો ધસારો વધ્યો હોવાથી એક દિવસ પહેલા જ શ્રદ્ધાળુઓ પરિક્રમા શરૂ કરી દે છે. કોરોનામાં બે વર્ષ લીલી પરિક્રમા બંધ રહી હતી.

દામોદર કુંડમાં સ્નાન સાથે શરૂ થાય છે પરિક્રમા

ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં ભાવિકો  એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે.

ભક્તો કુલ 36 કિલોમીટરનું અંતર કાપીને ગ્રીન સર્કલ પૂર્ણ કરે છે

ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર ચાલે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ ઉત્તરા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં જ રસોઇ કરીને વન ભોજન કર્યાનો આનંદ પણ માણે છે.


Lili Parikrama: લીલી પરિક્રમાનું શું છે માહાત્મ્ય, જાણો કોણે સૌથી પહેલા પરિક્રમા કરી હોવાની છે લોકવાયકા

36 કિમીની પરિક્રમમાં પ્રથમ પડવા 12 કિમીએ આવે છે. બીજો પડવા આઠ કિમીએ, ત્રીજો પડવા આઠ કિમીએ અને ચોથી પડવા આઠ કિમીએ ભાવનાથમાં આવે છે. તેમજ પરિક્રમાનાં પ્રારંભથી જુદી જુદી જગ્યાએ પાણીની વ્યવસાથ ઉભી કરવામાં આવે છે. જેમા કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સુરજકુંડલની જગ્યા, સુરનાળા, નાગદેવતાના સ્થાનક પાસે, બોરદેવી ત્રણ રસ્તા અને બોરદેવીની જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.


Lili Parikrama: લીલી પરિક્રમાનું શું છે માહાત્મ્ય, જાણો કોણે સૌથી પહેલા પરિક્રમા કરી હોવાની છે લોકવાયકા

લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ

કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. કહેવાય છે લીલી પરિક્રમા સદીઓથી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
Navratri 2025: નવરાત્રીમાં અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરશો? આ બાબતોનું રાખો ધ્યાન
Navratri 2025: નવરાત્રીમાં અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરશો? આ બાબતોનું રાખો ધ્યાન
Advertisement

વિડિઓઝ

Dang Waterlogged: ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ
Hun To Bolish : હું તો બોલીશ : સાબિત થઈ પનીરમાં મિલાવટ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસકર્મીઓએ કર્યો તોડ?
Gujarat Rain Data : આજે 15 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં 1 ઇંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'પુરુષપ્રધાન' માનસિકતા કેમ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
Navratri 2025: નવરાત્રીમાં અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરશો? આ બાબતોનું રાખો ધ્યાન
Navratri 2025: નવરાત્રીમાં અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરશો? આ બાબતોનું રાખો ધ્યાન
IMD Weather Forecast:બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાશે સિસ્ટમ, આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
IMD Weather Forecast:બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાશે સિસ્ટમ, આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
ઘર પર રહેવાનું પસંદ કરે છે Gen Z , સપ્તાહમાં ફક્ત 49 મિનિટ બહાર વિતાવે છે, જાણો કારણ?
ઘર પર રહેવાનું પસંદ કરે છે Gen Z , સપ્તાહમાં ફક્ત 49 મિનિટ બહાર વિતાવે છે, જાણો કારણ?
Embed widget