શોધખોળ કરો

Layoffs: છટણીનો સિલસિલો યથાવત, મેટા ઘણા કર્મચારીઓને નિકાળશે, જાણો કારણ..

Meta Layoffs 2023: ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર તેના કર્મચારીઓની છટણી કરી શકે છે. જેના કારણે કર્મચારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Meta Layoffs:  વિશ્વવ્યાપી મંદીની શક્યતાને (Layoffs 2023) કારણે ઘણી મોટી કંપનીઓ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે. તેમાં ફેસબુકની પેરેન્ટ કંપની મેટા લેઓફ્સનું નામ પણ સામેલ છે. હવે મેટા વિશે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. કંપની આગામી સમયમાં કેટલાક વધુ કર્મચારીઓની છટણી કરી શકે છે.

મેટા ઘણા કર્મચારીઓની કરશે છટણી 

ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ વર્ષે ફેસબુકની પેરન્ટ મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક.એ તેની ઘણી ટીમોનું બજેટ બહાર પાડ્યું નથી. તેની પાછળનું કારણ એ છે કે કંપની હવે વધુ એક વખત કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ બજેટ ન મળવાના કારણે અને છટણીના ભયને કારણે મેટા કર્મચારીઓમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થયું છે.

મેટાએ આ પહેલા પણ કરી હતી છટણી 

આ પહેલા પણ મેટાએ વર્ષ 2022માં નવેમ્બર મહિનામાં લગભગ 11,000 કામદારોની છટણી કરી હતી. આ કંપનીના કુલ કર્મચારીઓના 13 ટકા હતા. તમને જણાવી દઈએ કે Meta ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને Whatsapp જેવી કંપનીઓની પેરેન્ટ કંપની છે. આ પહેલા કંપનીના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે આ વર્ષ અમારી કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં આપણે વર્ષ 2023માં સમજણ સાથે આગળ વધવું પડશે. મેટાના જણાવ્યા અનુસાર આ વર્ષે કંપનીનો ખર્ચ 89થી 89 અબજ ડોલરની વચ્ચે રહેશે.

યાહૂએ પણ 1600 લોકોને છૂટા કર્યા

છટણીના સમાચાર સતત આવતા રહે છે. ત્યારે અન્ય એક મોટી ટેક કંપની યાહૂએ પણ તેના કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ 1600 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ કંપનીના કુલ કર્મચારીઓના 20 ટકા છે. અગાઉ મોટી મનોરંજન કંપની ડિઝની એ પણ તેના 7,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. કંપનીના સીઈઓ બોબ ઈગરે કંપનીને થઈ રહેલી ખોટને કારણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું

આ પણ વાંચો: Zomato Exits: Zomatoએ દેશના 225 શહેરોમાંથી સમેટયો તેનો બિઝનેસ, કંપનીની ખોટ 5 ગણી વધી, રિપોર્ટમાં ખુલાસો

Zomato Exits Smaller Cities: દેશમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીનું કામ કરતી કંપની Zomato સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. Zomato છેલ્લા મહિનામાં લગભગ 225 નાના શહેરોમાંથી બહાર નીકળી ગયું છે. એટલે કે હવે Zomatoએ આ શહેરોમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. કંપનીના ડિસેમ્બર-ક્વાર્ટરના અર્નિંગ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

કંપનીએ શેરધારકોને પત્ર લખ્યો હતો

Zomatoના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અક્ષાંત ગોયલે કંપનીના શેરધારકોને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં, અમે લગભગ 225 નાના શહેરોમાંથી બહાર નીકળી ગયા છીએ, કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY23) સંબંધિત રિપોર્ટ જાહેર કર્યો છે. તેણે ગ્રોસ ઓર્ડર વેલ્યુ (GOV) ના 0.3 ટકા યોગદાન આપ્યું છે. ગોયલે શેરધારકોને કહ્યું કે તે એક પડકારજનક વાતાવરણ છે.  પરંતુ અમે તાજેતરના અઠવાડિયામાં માંગમાં સુધારો જોઈ રહ્યા છીએ, જે અમને વિશ્વાસ આપે છે કે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે.

1,000થી વધુ શહેરોમાં બિઝનેસ કર્યો

Zomato ના વાર્ષિક અહેવાલ મુજબ, ગયા વર્ષે 2021-22માં કંપની દેશના 1,000 થી વધુ શહેરોમાં ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી બિઝનેસ ચલાવી રહી હતી. જે હવે સીમિત થઈ ગઈ છે. ગોયલે કહ્યું કે છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં આ (225) શહેરોના ખરાબ પ્રદર્શનને કારણે અમારે ત્યાં અમારો બિઝનેસ બંધ કરવો પડ્યો. આ શહેરોમાંથી બહાર જવાથી કંપનીના ખર્ચ પર કોઈ અસર પડશે કે કેમ આ અંગે ગોયલે કહ્યું કે તેનાથી વધુ અસર નહીં થાય.

કંપનીની ખોટ 5 ગણી વધી

ગુરુગ્રામ સ્થિત ઝોમેટો કંપનીનું કહેવું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની આવક 75 ટકા વધીને રૂ. 1,948 કરોડ થઈ છે. ત્યારે આ જ કંપનીની ખોટ 5 ગણી વધીને 346 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વાર્ષિક ધોરણે 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા 3 મહિનાના સમયગાળા માટે કંપનીની આવકમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. અગાઉ ઝોમેટોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1,581 કરોડ અને ડિસેમ્બર 2021ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 1,200 કરોડની સરખામણીમાં રૂ. 1,565 કરોડની એડજસ્ટેડ આવક પોસ્ટ કરી હતી.

Zomatoનો સ્ટોક ઘટ્યો

Zomatoના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સવારના વેપારમાં BSE પર કંપનીનો શેર 1.47 ટકા ઘટીને રૂ. 53.60 થયો હતો. NSE પર તે 1.38 ટકા ઘટીને રૂ. 53.65 પર આવી ગયો છે. દરમિયાન, બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 118.15 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 60,688.07 પર ટ્રેડ કરી રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget