શોધખોળ કરો

ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દિવા જૈમિન શાહના લગ્ન 7 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ  અમદાવાદમાં થવાના છે

Adani Group:  અદાણી ગ્રુપે દિવ્યાંગ યુવતીઓના લગ્ન કરાવવાનો સંકલ્પ લીધો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતે આ અંગે માહિતી આપી છે. ગૌતમ અદાણીએ જણાવ્યું કે તેમનો પુત્ર જીત અને પુત્રવધૂ દિવા એક પવિત્ર સંકલ્પ સાથે તેમના લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જીત અને દિવાએ 'મંગલ સેવા'નો સંકલ્પ લીધો છે કે તેઓ દર વર્ષે 500 દિવ્યાંગ છોકરીઓના લગ્નમાં દરેક છોકરીને 10-10 લાખ રૂપિયાની નાણાકીય મદદ કરશે.

ગૌતમ અદાણીએ તેમના સત્તાવાર ‘એક્સ’ એકાઉન્ટ પર આ વિશે સંપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે, "મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે મારો પુત્ર જીત અને પુત્રવધૂ દિવા એક ‘મંગલ સેવા’ સાથે તેમના લગ્ન જીવનની શરૂઆત કરી રહ્યા છે. જીત અને દિવાએ દર વર્ષે 500 દિવ્યાગ છોકરીઓના લગ્નમાં પ્રત્યેક છોકરીઓને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપીને 'મંગલ સેવા'નો સંકલ્પ લીધો છે. એક પિતા તરીકે આ 'મંગલ સેવા' મારા માટે ખૂબ જ સંતોષ અને સૌભાગ્યની વાત છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ પવિત્ર પ્રયાસ દ્વારા ઘણી દિવ્યાંગ દીકરીઓ અને તેમના પરિવારોનું જીવન સુખ, શાંતિ અને સન્માન સાથે આગળ વધશે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે જીત અને દિવાને સેવાના આ માર્ગ પર આગળ વધવા માટે આશીર્વાદ અને શક્તિ આપે.”

જીત અને દિવા 7 ફેબ્રુઆરીએ લગ્ન કરશે

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દિવા જૈમિન શાહના લગ્ન 7 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ  અમદાવાદમાં થવાના છે. ગૌતમ અદાણીએ જીતના લગ્ન વિશે કહ્યું હતું કે જીત અને દિવાના લગ્ન ખૂબ જ સાદા અને સંપૂર્ણપણે પરંપરાગત હશે. જીત અને દિવાની સગાઈ માર્ચ 2023માં થઈ હતી. દિવા જૈમિન શાહ દેશના જાણીતા હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી છે. જૈમિન શાહની કંપની મુંબઈ અને સુરતમાં વ્યવસાય કરે છે. જીત અદાણી હાલમાં અદાણી ગ્રુપની ઘણી કંપનીઓમાં પોતાની ભૂમિકાઓ ભજવી રહ્યા છે.

જીત અદાણી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડાયરેક્ટર છે. આ કંપની ભારતની સૌથી મોટી એરપોર્ટ કંપની છે. જે આઠ એરપોર્ટનું મેનેજમેન્ટ અને વિકાસનું કામ કરે છે. એરપોર્ટ સિવાય જીત અદાણી ગ્રુપના રક્ષા, પેટ્રોકેમિકલ્સ અને કોપર બિઝનેસ પણ સંભાળે છે. જીત અદાણીની પર્સનલ લાઇફ તેમની માતા પ્રીતિ અદાણીથી પ્રેરિત છે. પ્રીતિ અદાણી અદાણી ફાઉન્ડેશન માટે કામ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget