શોધખોળ કરો

Ambedkar Jayanti 2023: આંબેડકરે ક્યારે અનુભવ્યું કે, ભેદભાવ થઇ રહ્યો છે, કઇ ઘટનાને યાદ કરી રડી પડ્યાં હતા

ડૉ. બી.આર. આંબેડકરે તેમની આત્મકથા 'વોન્ટિંગ ફોર અ વિઝા'માં તેમની સાથે થયેલા ભેદભાવનો અને કડવા અનુભવોનો ઉલ્લેખ કર્યો છે.

Ambedkar Jayanti 2023: ડૉ. બી.આર. આંબેડકરે તેમની આત્મકથા 'વોન્ટિંગ ફોર અ વિઝા'માં તેમની સાથે થયેલા  ભેદભાવનો અને કડવા  અનુભવોનો ઉલ્લેખ કર્યો છે.

ડૉ. બી.આર. આંબેડકરને  લોકો બંધારણના ઘડવૈયા તરીકે કે અનુસૂચિત જાતિ માટે કરેલા  કાર્યો  જાણે છે, તેમની સાથે એવી ઘટનાઓ બની હતી જેને તેને વિચારવા માટે મજબૂર કરી દીધા કે, આખરે આટલો ભેદભાવ કેમ?

આ અંગે આંબેડકર તેમની આત્મકથા 'વોન્ટિંગ ફોર અ વિઝા'માં લખે છે કે, જાતિના આધારે ભેદભાવને બે રીતે સમજાવી શકાય છે. પ્રથમ, માહિતી આપવામાં આવે અને બીજું, તમારી સાથે કરવામાં આવેલ અસમાન વર્તન વિશે વાત કરવામાં આવે. બીજી પદ્ધતિ પસંદ કરતા તેને  પોતાના અનુભવો શેર કર્યાં. તે લખે છે કે, મહાર જાતિ હોવાને કારણે મને ખબર હતી કે તેણે વર્ગમાં અલગથી બેસવું પડશે. પાણી પીવા માટે માસ્તરની પરવાનગી લેવી પડતી હતી. બહાર કોઇ વાળંદ તેના વાળ કાપવા પણ તૈયાર ન હતું તેને જાતે જ કાપવા પડતાં. આ ઉપરાંત કેટલીક એવી ઘટના હતી કે, જેને તેના મન પર બહુ ઊંડી છાપ છોડી.

કોરેગાંવ જતા રસ્તામાં શું થયું?

આંબેડકર કહે છે કે, પહેલી ઘટના 1901ની છે. તેના પિતા સાતારાના કોરગાંવમાં કેશિયર તરીકે કામ કરતા હતા. અહીં બોમ્બે સરકાર (મહારાષ્ટ્ર સરકાર) દુષ્કાળ પીડિત ખેડૂતોને કામ આપવા માટે તળાવો ખોદી રહી હતી. તેમની માતાના મૃત્યુ પછી, તેઓ તેમના મોટા ભાઈ અને મોટી બહેનના બે પુત્રો સાથે સાતારામાં તેમની મોટી કાકી સાથે રહેતા હતા.

આંબેડકર, તેમના મોટા ભાઈ અને મોટી બહેનના બે પુત્રો સાથે, સતારામાં ઉનાળાની રજાઓ દરમિયાન તેમના પિતાને મળવા નીકળ્યા. બધા લોકો પોતપોતાના ઘરેથી નવા કપડા પહેરીને રેલ્વે સ્ટેશન પહોંચ્યા અને અહીંથી સાતારાના નજીકના સ્ટેશન મસૂર પહોંચ્યા. પછી પિતાના પટાવાળાની રાહ જોવા લાગ્યા, પરંતુ ઘણો સમય થવા છતાં કોઈ આવ્યું નહીં.

આંબેડકરે કહ્યું, “થોડી વાર પછી સ્ટેશન માસ્તર આવ્યા અને અમારી ટિકિટ જોઈને પૂછ્યું કે ક્યાં જવું છે? માસ્તર અમારા કપડાં જોઈને અનુમાન ન કરી શક્યા કે અમે મહાર જાતિના છીએ. આવી સ્થિતિમાં જ્યારે તેને ખબર પડી તો તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. આ સિવાય સ્ટેશન પર ઊભેલી એક પણ બળદગાડી અશુદ્ધ હોવાના ડરથી વધુ પૈસા આપીને અમને બેસાડવા માંગતા ન હતા. થોડી વાર પછી માસ્તર અમારી પાસે આવ્યા અને પૂછ્યું શું તમે બળદ ગાડું ચલાવી શકો છો? આના પર અમે હા પાડી અને પછી ડ્રાઈવરો તૈયાર થઈ ગયા કારણ કે તેમને વધુ પૈસા મળતા હતા અને તેમને વાહન ચલાવવાની પણ જરૂર નહોતી. આ રીતે ઘણી મુશ્કેલીઓ પછી અમે સતારા પહોંચ્યા. અહીં અમને ખબર પડી કે અમારા દ્વારા લખાયેલ પત્ર અમારા પિતા સુધી પહોંચ્યો ન હતો કે અમે આવી રહ્યા છીએ કારણ કે પટાવાળા અમારા દ્વારા લખાયેલ પત્ર તેમને આપવાનું ભૂલી ગયા હતા.આંબેડકર કહે છે કે જ્યારે આ બધું બન્યું ત્યારે તેઓ માત્ર નવ વર્ષના હતા, તેથી આ ઘટનાએ તેમના મન પર અમીટ છાપ છોડી દીધી.

બરોડામાં હોટેલ ન મળી

આંબેડકર વિદેશ દરમિયાન એક વખત  બરોડા આવ્યા હતા કારણ કે બરોડા રાજ્યના મહારાજાએ તેમના અહીં રહેવા અને શિક્ષણનો ખર્ચ આપ્યો હતો. આ કારણોસર તેને તેમના માટે કામ કરવું પડતું હતું, પરંતુ અહીં આવીને સૌથી મોટો પ્રશ્ન એ હતો કે તે ક્યાં રહેશે?

આંબેડકર કહે છે કે, બહાર ભણતો હતો ત્યારે એ ભૂલાઇ ગયું હતું કે,  તેઓ અસ્પૃશ્ય છે, પરંતુ ફરી ભારત આવ્યા પછી તેમને આ બધું યાદ આવ્યું. તે જાણતો હતો કે હિંદુ હોટેલ્સ તેને ઉપલબ્ધ નહીં હોય, આવી સ્થિતિમાં તે પારસી હોટેલમાં પહોંચ્યો, પરંતુ અહીં ફક્ત પારસીઓને જ રહેવાની મંજૂરી આપવામાં આવી હતી, તેથી તેણે સંભાળ રાખનારાઓ સાથે ખોટું બોલ્યું કે તે પારસી છે. આ ડ્રામા લાંબો સમય ચાલ્યો નહીં અને 11મા દિવસે કેટલાક લોકો લાકડીઓ લઈને તેમની સામે ઉભા થઈ ગયા.

ડૉ.બી.આર. આંબેડકરનો જ્યારે  પગ ભાગ્યો?

ડૉ. બી. આર. આંબેડકર કહે છે કે 1929માં બોમ્બે સરકારે અનુસૂચિત જાતિ (SC) પરના અત્યાચારની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. તે તેના સભ્ય પણ હતા.જ્યારે આંબેડકર આ સાથે ચાલીસગાંવ પહોંચ્યા, ત્યારે અહીં રાહ જોઈ રહેલા અનુ.જાતિના લોકોએ તેમને રોકાવાનું કહ્યું, પરંતુ તેઓ ઘુલિયા ગામમાં તપાસ કરીને પાછા જતા હતા. જો કે તે ધુલિયાથી ચાલીસગામ પાછા પણ આવે છે.

ચાલીસગાંવના SC લોકો આંબેડકરને ઘોડાની ગાડીમાં મહારવાડા લઈ જાય છે, પરંતુ જતી વખતે તેમને એક કારે ટક્કર મારી . જેના કારણે તેનો પારો તૂટી ગયો હતો. આ પછી તેને ખબર પડી કે કોઈ ટાંગાવાલા તેને લેવા તૈયાર  ન હતા. મને આ યાદ આવે છે ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે. આવી સ્થિતિમાં મને સમજાયું કે હિંદુઓની સાથે હું પારસીઓ માટે પણ અસ્પૃશ્ય જ છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'
PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે

વિડિઓઝ

Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
Embed widget