![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
LPG ગેસ એજન્સીધારકો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે શું લીધો નિર્ણય?
કેબિનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
![LPG ગેસ એજન્સીધારકો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે શું લીધો નિર્ણય? Gandhinagar: News Of Relief For LPG Gas Agency Holders LPG ગેસ એજન્સીધારકો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે શું લીધો નિર્ણય?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/07/167c08f0ca6fb6a99d1b20c4c5d0f478_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગાંધીનગરમાં આજે બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે LPGના ડીલર્સોને પરવાનામાંથી મુક્તિ આપવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી પુરવઠા અધિકારીઓની મનમાની પર રોક લાગી જશે. હવેથી એલપીજી ગેસ એજન્સી ધારકોને પુરવઠા વિભાગના લાયસન્સની જરૂરિયાત નહી રહે. રાજ્યમાં એક હજાર કરતા વધારે એલપીજી ગેસ એજન્સી ધારકો છે. સરકારના નિર્ણયથી હવે પુરવઠા વિભાગમાં હપ્તારાજ પર રોક લાગશે.
હાલમાં સ્થિતિ એવી છે કે કોઈ પણ LPGના વેચાણ કરવા માટે જે-તે એજંસીને પરવાનો મેળવવો પડતો હોય છે. આ પરવાનાને આધારે હજારો ડીલર્સ રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસના બોટલ આપી શકે છે. જોકે આ પ્રોસેસ દરમિયાન ક્યારેય જો ગેસના બોટલને લગતી સમસ્યા ઉભી થાય તો એવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ તાત્કાલિક ધોરણે ડીલર્સના પરવાના રદ કરી દેતા હતા. જોકે આજે કેબિનેટમાં નિર્ણય લેવાયો કે LPG ડીલર્સને મંજૂરી લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે રાજ્યના હજારો LPG ડીલર્સને ફાયદો થશે.
વાઘાણીએ કહ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવની પણ ધામધૂમપૂર્વ ઉજવણી કરવામાં આવશે. ઘર ઘર તિરંગા હેઠળ કાર્યક્રમ કરાશે. નાગરિકો પોતાના ઘર પર ધ્વજ લગાવે તે માટે કાર્યક્રમ કરાશે. 11થી 17 ઓગસ્ટ સુધી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાશે. પ્રથમ જૂને દેશના તમામ શિક્ષણ મંત્રીઓની એક બેઠક મળશે. શિક્ષણ વિભાગના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. 28 મેના રોજ વડાપ્રધાન મોદી જસદણ પહોંચશે. જસદણના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી એક વાગ્યે ગાંધીનગર સચિવાલય પહોંચશે. સાંજે ચાર વાગ્યે સહકાર વિભાગના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે. 28મેના રોજ અમિત શાહ દ્વારકા મંદિરના દર્શન કરશે.
Rajya Sabha Election: આખરે કેમ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર થયું સપા, વાંચો ઈનસાઈડ સ્ટોરી
Delhi Liquor Delivery: દેશના આ જાણીતા રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી માટે હજુ જોવી પડશે રાહ, જાણો વિગત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)