શોધખોળ કરો
Advertisement
ગુજરાતના વાલીઓને મોટી રાહત, રૂપાણી સરકારે ખાનગી સ્કૂલોની ફીમાં કર્યો કેટલો ઘટાડો?
સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવાર સાડા દસ વાગ્યે કેબિનેટની બેઠક મળી હતી તેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓને ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યના વાલીઓ છેલ્લા કેટલાય દિવસથી રાહ જોઈને બેઠા હતાં તેનો અંત આવી ગયો છે. રાજ્ય સરકાર કોરોના કાળાની ફી મામલે વાલીઓના હીતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવાર સાડા દસ વાગ્યે કેબિનેટની બેઠક મળી હતી તેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓને ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી છે.
હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર આજે મળનારી બેઠકમાં ખાનગી શાળાઓની ફીના મામલે મહત્વનો નિર્ણય લીધો હતો. આજે પત્રકાર પરિવારમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વાલીઓને 25 ટકા ઓછી ભરે તેવી રાહત આપવામાં આવી છે. એટલે કે 25 ટકા ફી માફ કરવામાં આવી છે. સંચાલકો 25 ટકા સાથે સહમત નહોતા થતાં તેને રાજી કરવામાં આવ્યા છે. આ સિવાય ઈતર ફી ભરવા નથી.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડ સિવાયનાં બધાં જ બોર્ડને આ નિર્ણય લાગુ પડશે. ખાનગી શાળાના શિક્ષકોને પગાર આપવો પડશે. એક પણ શિક્ષક ને છુટા કરી શકાશે નહીં. વાલીઓએ પહેલા ફી ભરી હશે તો ફી સરભર કરીૉ શકાશે. નોંધનીય છે કે, વાલી મંડળે 50 ફી માફીની માગ કરી હતી.
નોંધનીય છે કે, ખાનગી શાળાના સંચાલકો 25 ટકા ફી ઘટાડા માટે તૈયારી બતાવી હતી. રાજ્ય સરકારે સંચાલક મંડળો સાથે અગાઉ બે વાર મીટિંગ યોજીને 25 ટકા ફી ઘટાડાની દરખાસ્ત કરી હતી પરંતુ સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દેશ
વડોદરા
શિક્ષણ
Advertisement
for smartphones
and tablets
and tablets