શોધખોળ કરો

Gujarat Rain: બંગાળની ખાડીમાં લો પ્રેશર થયું સક્રિય, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Weather Update: 6-7 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.

Gujarat Monsoon: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં 5 દિવસ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના કહેવા મુજબ, દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ રહેશે. 5 અને 6 સપ્ટેમ્બર કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે. મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં વરસાદ પડશે. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જેથી રાજ્યમાં વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત બે દિવસ બાદ સામાન્ય વરસાદ રહેશે .

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 7 સપ્ટેમ્બરની આસપાસથી આ સિસ્ટમની અસર થાય તેવી શક્યતા છે અને 6-7 સપ્ટેમ્બરની આસપાસ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે. ગુજરાતમાં વરસાદો સૌથી વધારે આધારે તેના પર છે કે આ સિસ્ટમ ગુજરાતની કેટલી નજીક આવે છે, જે સિસ્ટમ આગળ વધ્યા બાદ ખબર પડશે.


Gujarat Rain: બંગાળની ખાડીમાં લો પ્રેશર થયું સક્રિય, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

હાલની સ્થિતિ પ્રમાણે સૌપ્રથમ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ વડોદરા, ભરૂચના વિસ્તારોમાં સૌ પ્રથમ આ સિસ્ટમની અસર થવાની શક્યતા છે. જે બાદ સિસ્ટમ વધારે નજીક આવશે તો મધ્ય ગુજરાતના વિસ્તારો જેવા કે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની અને હળવા વરસાદની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે પરંતુ વધારે વરસાદની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાતી નથી. જો સિસ્ટમ ગુજરાતની વધારે નજીક આવશે તો આ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.


Gujarat Rain: બંગાળની ખાડીમાં લો પ્રેશર થયું સક્રિય, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના દક્ષિણ ભાગમાં તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. 8 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. જે સિસ્ટમ ઓડિશા, આંધ્રપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે. હાલ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટાં પડવાની શક્યતાઓ છે.

ગુજરાતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન મોટા ભાગનો વરસાદ બંગાળની ખાડી પર આધારિત છે. એટલે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમો સર્જાય છે તે ગુજરાત તરફ આવે ત્યારે તેના કારણે વરસાદ થાય છે. બીજી તરફ ચોમાસાની શરૂઆત અને અંતમાં અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંના કારણે પણ ગુજરાતમાં વરસાદ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાંAhmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોBhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget