શોધખોળ કરો

જળ આંદોલન : મુક્તેશ્વર ડેમ અને કરમાવદ તળાવ ભરવા પાલનપુરમાં ખેડૂતોની મહારેલી, 125 ગામના હજારો ખેડૂતો જોડાયા

Banaskantha News : આજે ખેડૂતો એ પ્રતિ સ્વરૂપે બે કિલોમીટર દૂર કલેકટર કચેરીએ રેલી કરી ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું અને હવે જરૂરિયાત ઉભી થશે તો ગાંધીનગર સુધી રેલી કરવાની પણ તૈયારીઓ બતાવી.

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ અને કરમાવદ તળાવને ભરવાના મુદ્દે ખેડૂતોએ  પાલનપુર આદર્શ હાઇસ્કુલના મેદાનથી કલેકટર કચેરી સુધી મહારેલી કાઢી હતી અને  સરકારને ખેડૂતોએ પાણી માટે પાણી બતાવ્યું. વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામોના હજારો ખેડૂતો રેલીમાં જોડાયા.

કરમાવદ તળાવને ભરવા ખેડૂતોની માંગ 
25 વર્ષથી સમગ્ર વડગામ તાલુકાની તળાવને ભરવાની માંગ છે આ વર્ષે સરકારે ડીંડરોલથી 200 કરોડના ખર્ચે મુક્તેશ્વર ને પાણી ભરવાની બજેટમાં જાહેરાત કરી છે તેવી જ રીતે હવે કરમાવદને પણ યોગ્ય પ્લાનિંગ પૂર્વક ભરવામાં આવે તેવી અસરકારક રજૂઆત કરવા મહારેલી યોજાઈ હતી. 

ખેડૂતોએ તળાવ ભરવા કરેલા આંદોલનને સમર્થન માટે પાલનપુર, વડગામ માર્કેટયાર્ડ બંધ રાખવાની પણ જાહેરાતો કરવામાં આવી હતી, જ્યારે ખેડૂતો દ્રારા સામાજિક પ્રસંગોની તારીખો બદલી મહારેલીમાં જોડાવવા અપીલ કરી હતી.

આજે ખેડૂતો એ પ્રતિ સ્વરૂપે બે કિલોમીટર દૂર કલેકટર કચેરીએ રેલી કરી ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું..અને હવે જરૂરિયાત ઉભી થશે તો ગાંધીનગર સુધી રેલી કરવાની પણ તૈયારીઓ બતાવી.

કરમાવદ તળાવ ભરાવાથી વડગામના ગામડાઓને થશે લાભ 
કરમાવદ તળાવ 98 હેક્ટર જમીનમાં પથરાયેલું છે. ઉત્તરથી દક્ષિણ તરફ પાણીનું વહેણ જાય છે જો આ તળાવ ભરાય તો વડગામ તાલુકા ના પાણીના તળ જે 800 થી હજાર ફૂટ નીચે ગયા છે તેમને લાભ થઈ શકે. હાલમાં કેટલાક ગામોમાં સવાસો ફૂટે કાળો પથ્થર આવી જાય છે જેથી સિંચાઈનું પાણી મળતું નથી. નર્મદા મુખ્ય નહેરમાથી સિધ્ધપુર તાલુકાના ડીડરોલ ગામથી પાઈપલાઇન મુક્તેશ્વર ડેમ સુધી લાવી ત્યાંથી કરમાવદ સુધી લાવી શકાય. આ ઉપરાંત માધપુરા અને કલ્યાણાથી પાણી આપી શકાય.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી બેઠક 
મુખ્યમંત્રીએ ગુરુવારે પાણી કરમાવદ તળાવ ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચના આપી હતી. તળાવ ભરવા અંગે શું કાર્યયોજના અને આયોજન થઇ શકે તે જોવા માટે જળસંપત્તિ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીઓ સચિવોને સૂચના આપી હતી. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ,મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી અને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી, જળસંપત્તિ વિભાગના સચિવ કે.એ.પટેલ, સચિવ વિવેક કાપડીયા, જીતુ ચૌધરી, કિર્તિસિંહ સહિત બનાસકાંઠાના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

વડગામમાં જળ આંદોલન 
અગાઉ સમગ્ર વડગામ તાલુકામાં આંદોલનનો મેસેજ પ્રસરતા ગામે ગામ બેનર લગાવી રાત્રી સભાઓ થવા લાગી. અલગ અલગ ગામોમાં લોક જાગૃતિ અંતર્ગત કળશ પૂજા કરી રાત્રી બેઠકોમાં ભીડ ઉમડવા લાગી. સમિતિના સભ્યોને રાત્રી સભાઓમાં બોલાવવામાં આવતા તેઓ પાણીનું મહત્વ સમજાવી રેલીમાં જોડાવવા આહવાન કર્યું હતું.મહારેલીમાં કોઈ પણ રાજકીય પક્ષો દ્રારા રાજકીય રંગ ન આપવા અપીલ કરવામાં આવી હતી અને ખેડૂત તરીકે મહારેલીમાં જોડાયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
Advertisement

વિડિઓઝ

Jamnagar News: પુત્રની કરતૂતથી વધુ એક ભાજપના ધારાસભ્ય આવ્યા ચર્ચામાં! RTIમાં થયો મોટો ખુલાસો
Gopal Italia Vs Lalit Vasoya: લલિત વસોયાએ ફટકારેલી નોટિસ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જવાબ
Gandhinagar Food Poisson : ઝાંકની નિવાસી શાળાના બાળકોને બપોરનું ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગ
Rajkot Atul Bakery : રાજકોટમાં અતુલ બેકરીનું આઉલેટ વિવાદમાં, વાસી કેકનો વીડિયો વાયરલ
Anand New Maya Hotel Controversy : આણંદના તારાપુરમાં ન્યૂ માયા હોટલના ભોજનમાંથી નીકળી ગરોળી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
થાઈલેન્ડના PM શિનાવાત્રાને કોર્ટે કર્યા સસ્પેન્ડ, ફોનમાં વાતચીત વખતે આર્મી ચીફની કરી હતી ટિકા 
થાઈલેન્ડના PM શિનાવાત્રાને કોર્ટે કર્યા સસ્પેન્ડ, ફોનમાં વાતચીત વખતે આર્મી ચીફની કરી હતી ટિકા 
Baba Vanga ની 2025 ની ડરામણી ભવિષ્યવાણી! જૂલાઈમાં તબાહીના સંકેત ? જાણો શું થશે ?
Baba Vanga ની 2025 ની ડરામણી ભવિષ્યવાણી! જૂલાઈમાં તબાહીના સંકેત ? જાણો શું થશે ?
સરકારે  1.07 લાખ કરોડની ELI યોજનાને આપી મંજૂરી, 3.5 કરોડ નોકરીનું લક્ષ્ય
સરકારે  1.07 લાખ કરોડની ELI યોજનાને આપી મંજૂરી, 3.5 કરોડ નોકરીનું લક્ષ્ય
Gandhinagar: નભોઈ પાસે કેનાલમાં કાર ખાબકતા બે લોકોના મોત, બે લોકો ગુમ હોવાની આશંકા
Gandhinagar: નભોઈ પાસે કેનાલમાં કાર ખાબકતા બે લોકોના મોત, બે લોકો ગુમ હોવાની આશંકા
Embed widget