શોધખોળ કરો

જળ આંદોલન : મુક્તેશ્વર ડેમ અને કરમાવદ તળાવ ભરવા પાલનપુરમાં ખેડૂતોની મહારેલી, 125 ગામના હજારો ખેડૂતો જોડાયા

Banaskantha News : આજે ખેડૂતો એ પ્રતિ સ્વરૂપે બે કિલોમીટર દૂર કલેકટર કચેરીએ રેલી કરી ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું અને હવે જરૂરિયાત ઉભી થશે તો ગાંધીનગર સુધી રેલી કરવાની પણ તૈયારીઓ બતાવી.

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ અને કરમાવદ તળાવને ભરવાના મુદ્દે ખેડૂતોએ  પાલનપુર આદર્શ હાઇસ્કુલના મેદાનથી કલેકટર કચેરી સુધી મહારેલી કાઢી હતી અને  સરકારને ખેડૂતોએ પાણી માટે પાણી બતાવ્યું. વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામોના હજારો ખેડૂતો રેલીમાં જોડાયા.

કરમાવદ તળાવને ભરવા ખેડૂતોની માંગ 
25 વર્ષથી સમગ્ર વડગામ તાલુકાની તળાવને ભરવાની માંગ છે આ વર્ષે સરકારે ડીંડરોલથી 200 કરોડના ખર્ચે મુક્તેશ્વર ને પાણી ભરવાની બજેટમાં જાહેરાત કરી છે તેવી જ રીતે હવે કરમાવદને પણ યોગ્ય પ્લાનિંગ પૂર્વક ભરવામાં આવે તેવી અસરકારક રજૂઆત કરવા મહારેલી યોજાઈ હતી. 

ખેડૂતોએ તળાવ ભરવા કરેલા આંદોલનને સમર્થન માટે પાલનપુર, વડગામ માર્કેટયાર્ડ બંધ રાખવાની પણ જાહેરાતો કરવામાં આવી હતી, જ્યારે ખેડૂતો દ્રારા સામાજિક પ્રસંગોની તારીખો બદલી મહારેલીમાં જોડાવવા અપીલ કરી હતી.

આજે ખેડૂતો એ પ્રતિ સ્વરૂપે બે કિલોમીટર દૂર કલેકટર કચેરીએ રેલી કરી ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું..અને હવે જરૂરિયાત ઉભી થશે તો ગાંધીનગર સુધી રેલી કરવાની પણ તૈયારીઓ બતાવી.

કરમાવદ તળાવ ભરાવાથી વડગામના ગામડાઓને થશે લાભ 
કરમાવદ તળાવ 98 હેક્ટર જમીનમાં પથરાયેલું છે. ઉત્તરથી દક્ષિણ તરફ પાણીનું વહેણ જાય છે જો આ તળાવ ભરાય તો વડગામ તાલુકા ના પાણીના તળ જે 800 થી હજાર ફૂટ નીચે ગયા છે તેમને લાભ થઈ શકે. હાલમાં કેટલાક ગામોમાં સવાસો ફૂટે કાળો પથ્થર આવી જાય છે જેથી સિંચાઈનું પાણી મળતું નથી. નર્મદા મુખ્ય નહેરમાથી સિધ્ધપુર તાલુકાના ડીડરોલ ગામથી પાઈપલાઇન મુક્તેશ્વર ડેમ સુધી લાવી ત્યાંથી કરમાવદ સુધી લાવી શકાય. આ ઉપરાંત માધપુરા અને કલ્યાણાથી પાણી આપી શકાય.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી બેઠક 
મુખ્યમંત્રીએ ગુરુવારે પાણી કરમાવદ તળાવ ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચના આપી હતી. તળાવ ભરવા અંગે શું કાર્યયોજના અને આયોજન થઇ શકે તે જોવા માટે જળસંપત્તિ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીઓ સચિવોને સૂચના આપી હતી. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ,મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી અને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી, જળસંપત્તિ વિભાગના સચિવ કે.એ.પટેલ, સચિવ વિવેક કાપડીયા, જીતુ ચૌધરી, કિર્તિસિંહ સહિત બનાસકાંઠાના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

વડગામમાં જળ આંદોલન 
અગાઉ સમગ્ર વડગામ તાલુકામાં આંદોલનનો મેસેજ પ્રસરતા ગામે ગામ બેનર લગાવી રાત્રી સભાઓ થવા લાગી. અલગ અલગ ગામોમાં લોક જાગૃતિ અંતર્ગત કળશ પૂજા કરી રાત્રી બેઠકોમાં ભીડ ઉમડવા લાગી. સમિતિના સભ્યોને રાત્રી સભાઓમાં બોલાવવામાં આવતા તેઓ પાણીનું મહત્વ સમજાવી રેલીમાં જોડાવવા આહવાન કર્યું હતું.મહારેલીમાં કોઈ પણ રાજકીય પક્ષો દ્રારા રાજકીય રંગ ન આપવા અપીલ કરવામાં આવી હતી અને ખેડૂત તરીકે મહારેલીમાં જોડાયા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Embed widget