શોધખોળ કરો

મોદી કેબિનેટની આજે બેઠક, ખેડૂતોના ફાયદામાં લેવાશે ક્યો મોટો નિર્ણય ?

આ બિલનો ઉદ્દેશ ગયા વર્ષે પસાર કરાયેલા ત્રણ બિલને પરત ખેંચવાનો છે. 19 નવેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી.

નવી દિલ્લીઃ બુધવારે નવી દિલ્લીમાં વડાપ્રધાન મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય કેબિનેટની મળશે. લોકકલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને મળનારી બેઠકમાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય સત્તાવાર રીતે લેવાશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી હતી. મોદી તેમના વચનને પાળવા માટે કેબિનેટની મંજૂરી લેશે.  

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે કહ્યું હતું, કે કૃષિ મંત્રાલય સંસદના આગામી શિયાળુ સત્રમાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા માટે લવાનારા ખરડા પર ચર્ચા કરવાની તારીખો પર વિચાર કરી રહ્યું છે. મોદી સરકાર ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે એક બિલ લાવશે.

મોદી  સરકારે પસાર કરેલા ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020, ખેડૂતોને (સશક્તીકરણ-સંરક્ષણ) કિંમત ખાતરી અને કૃષિ સેવાઓ પર કરાર બિલ 2020 અને  આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) બિલ 2020 સામે ખેડૂત સંગઠનોએ વિરોધ કર્યો હતો. સંસદમાં  કૃષિ કાયદા પસાર થયાના 427 દિવસ પછી સરકારે આ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. કૃષિ કાયદાના વિરોધમાં થયેલા દેખાવો દરમિયાન 700થી વધારે ખેડૂતોનાં મોત થયાં હતાં.  

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે વડાપ્રધાન કાર્યાલય (PMO) સાથે ચર્ચા બાદ બિલને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પહેલા લોકસભામાં કૃષિ કાયદાને પરત લેવાનું બિલ રજૂ કરશે.  પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, 29 નવેમ્બરથી શરૂ થનારા સંસદના આગામી શિયાળુ સત્રમાં કાયદા પાછા ખેંચવા માટેનું બિલ રજૂ કરવામાં આવશે.

આ બિલનો ઉદ્દેશ ગયા વર્ષે પસાર કરાયેલા ત્રણ બિલને પરત ખેંચવાનો છે. 19 નવેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાતની સાથે સાથે દેશની માફી પણ માગી હતી. વડાપ્રધાને એ પણ જાહેરાત કરી હતી કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (MSP)માટે નવું માળખું તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરશે. 2020માં કેન્દ્ર સરકારે કાયદો પસાર કર્યો ત્યારથી ખેડૂતો સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
India Energy Weekની આજથી શરૂઆત,  PM મોદીએ કહ્યુ- 'વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ'
India Energy Weekની આજથી શરૂઆત, PM મોદીએ કહ્યુ- 'વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ'
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
Embed widget