![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Operation Ganga: લગભગ 17 હજાર ભારતીયોએ યુક્રેન છોડ્યુ, તમામ ભારતીયો ખારકીવ છોડેઃ MEA
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ખારકિવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક છોડવાની સલાહ આપી છે
![Operation Ganga: લગભગ 17 હજાર ભારતીયોએ યુક્રેન છોડ્યુ, તમામ ભારતીયો ખારકીવ છોડેઃ MEA Operation Ganga: Nearly 17,000 Indians left Ukraine, 15 flights scheduled in next 24 hrs, says MEA Operation Ganga: લગભગ 17 હજાર ભારતીયોએ યુક્રેન છોડ્યુ, તમામ ભારતીયો ખારકીવ છોડેઃ MEA](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/02/459e08eef6f7b5fb710d9e88b09ec2d7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત સાત દિવસથી ચાલી રહ્યું છે. વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 17,000 ભારતીયોએ યુક્રેનની સરહદ છોડી દીધી છે. વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી હતી કે ભારતના તમામ નાગરિકો ખારકિવ છોડી દે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને કહ્યું, "સ્થિતિ મુશ્કેલ છે પરંતુ અમે દરેક ભારતીયને પરત લાવીશું. અત્યાર સુધીમાં લગભગ 17,000 ભારતીયોએ યુદ્ધગ્રસ્ત યુક્રેનની સરહદ છોડી દીધી છે.
તેમણે કહ્યું કે યુક્રેનથી ભારતીયોને પરત લાવવા માટેના ઓપરેશન ગંગા અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ્સ ભારત પહોંચી છે અને અત્યાર સુધીમાં કુલ 15 ફ્લાઈટ્સ આવી છે. આગામી 24 કલાકમાં 15 ફ્લાઈટ્સ નિર્ધારિત કરવામાં આવી છે.નોંધનીય છે કે અત્યાર સુધીમાં યુક્રેનમાં બે ભારતીય વિદ્યાર્થીઓનું ફાયરિંગમાં મોત થયું છે. ભારતીય વિદ્યાર્થી નવીનનું એક દિવસ અગાઉ જ મોત થયું છે.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ખારકિવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક છોડવાની સલાહ આપી છે. એડવાઇઝરી મુજબ ભારતીય નાગરિકોએ શક્યે તેટલું વહેલું ખારકિવને છોડવું જોઈએ અને બને તેટલી વહેલી તકે પિસોચિન, બેઝલ્યુડોવકા અને બાબાયે તરફ આગળ વધવા જણાવાયું છે. તેઓએ આજે 1800 કલાક (યુક્રેનિયન સમય) સુધીમાં આ વસાહતો પર પહોંચવું આવશ્યક છે. બાગચીએ કહ્યું કે ભારત દ્વારા યુક્રેનને માનવતાવાદી સહાય પણ મોકલવામાં આવી રહી છે, જેમાં દવાઓ, તબીબી સાધનો, તંબુ, ધાબળા, સૌર ઉપકરણો વગેરેનો સમાવેશ થાય છે.
IPl 2022 Suresh Raina: આઈપીએલ હરાજીમાં કોઈએ ન ખરીદેલો આ સ્ટાર ભારતીય ખેલાડી ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે ? ધોનીનો છે ખાસ
i-Khedut : ગુજરાત સરકાર ખેડૂતોને આ ખેતીલક્ષી સાધનો ખરીદવા આપી રહી છે સહાય, આજે જ કરો અરજી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)