![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat: કોણે 7 દિવસ માટે ફરજીયાત રહેવું પડશે હોમ ક્વોરેન્ટાઈન? હોહા થતાં ક્યો નિર્ણય પાછો લેવાયો?
કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 353 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 56,426 થયો છે. નવા 1 મોત સાથે મૃત્યુઆંક વધીને 1141 પર પહોંચ્યો છે. શહેરમાંથી આજે 205 અને જિલ્લામાંથી 5 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 54,038 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1247 એક્ટિવ કેસ છે.
![Surat: કોણે 7 દિવસ માટે ફરજીયાત રહેવું પડશે હોમ ક્વોરેન્ટાઈન? હોહા થતાં ક્યો નિર્ણય પાછો લેવાયો? Gujarat Corona Guideline Those who go to Surat city will no longer have to stay in quarantine Surat: કોણે 7 દિવસ માટે ફરજીયાત રહેવું પડશે હોમ ક્વોરેન્ટાઈન? હોહા થતાં ક્યો નિર્ણય પાછો લેવાયો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/4dc3ce536813f5275a57d9d969c60113_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ સુરતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં સફાળા જાગેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના કેસોને રોકવા માટે ધડાધડ નિર્ણય લેવા માંડ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ગુરૂવારે એક જાહેનામુ બહાર પાડવામાં આવ્યું છે કે, અન્ય રાજ્યમાંથી સુરતમાં આવનાર તમામ વ્યક્તિએ ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. જે કોઈ આ નિયમનું પાલન નહીં કરે તેમની સામે આકરાં પગલાં લેવાશે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા પાંડેસરા હાઉસિંગમાં શાક-ફ્રૂટ માર્કેટ સહિત દુકાનો બંધ કરાવાઈ હતી.
સુરતમાં ગુરૂવારે વધુ 353 કેસ નોંધાતાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 56,426 થયો છે અને વધુ 1 મોત સાથે મૃત્યુઆંક 1141 પર પહોંચ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે કે, અન્ય રાજ્યમાંથી આવનારને ફરજીયાત 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. આ પહેલા સુરત બહારથી આવનારે ફરજીયાત 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે એવો આદેશ અપાયો હતો પણ હોહા થતાં આ નિર્ણય પાછો લેવાયો છે. સુરત શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1247 થઈ ગઈ છે.
કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 353 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 56,426 થયો છે. નવા 1 મોત સાથે મૃત્યુઆંક વધીને 1141 પર પહોંચ્યો છે. શહેરમાંથી આજે 205 અને જિલ્લામાંથી 5 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 54,038 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1247 એક્ટિવ કેસ છે.
શહેરમાં નાઈટ કર્ફ્યૂનો સમય વધારાયો....
કોરોના વાયરસના કેસ વધતા અમદાવાદ શહેર બાદ સુરત શહેરમાં પણ નાઈટ કર્ફ્યૂનો સમય વધારવામાં આવ્યો છે. સુરત શહેરમાં શુક્રવારથી રાત્રીના 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
કોરોના સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકાએ હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોને આદેશ કર્યો છે કે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ પાસે RTPCR ટેસ્ટ નેગેટીવ રિપોર્ટ ફરજિયાત લેવાનો રહેશે. સુરતમાં ગુજરાત બહારના મુલાકાતીઓને RTPCR નેગેટિવ રિપોર્ટ વગર હોટેલ્સ ગેસ્ટ હાઉસ માં રોકાણ નહી મળે. અમદાવાદ શહેરની જેમ સુરતમાં પણ નાઇટ કફર્યુ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. આગામી શનિવાર અને રવિવારના રોજ મોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)