શોધખોળ કરો

‘મુસલમાનોના અત્યાચારો ભૂલવાના નથી...’, કડીમાં નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ

ચેટીચાંદ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું સંબોધન, યોગી આદિત્યનાથના કાર્યને બિરદાવ્યું.

કડી: કડી શહેરમાં સિંધી સમાજ દ્વારા આયોજિત ચેટીચાંદ મહોત્સવમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં પાકિસ્તાનમાં મુસલમાનો દ્વારા કરવામાં આવેલા અત્યાચારોને ભૂલવા નહીં અને તેમનું ભૂત ગમે ત્યારે ધૂણી શકે છે તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યને પણ બિરદાવ્યું હતું.

શનિવારે (૨૯ માર્ચે) કડીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે સિંધી કોઈ ધર્મ નથી, પરંતુ ભારતના હિન્દુઓના ઝુલેલાલ ભગવાનનો સંપ્રદાય છે. તેમણે કહ્યું કે અખંડ ભારતના ભાગલા પડતાં સિંધી પરિવારો નિરાશ્રિત બનીને ભારત આવ્યા હતા.

નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં મુસલમાનોએ જે અત્યાચાર કર્યા છે તે ભૂલવા જેવા નથી. તેમણે વર્તમાન પરિસ્થિતિને ટાંકીને કહ્યું કે હજુ પણ ગમે ત્યારે મુસલમાનોનું ભૂત ધૂણી શકે છે, જેનું ઉદાહરણ મહારાષ્ટ્રમાં ફરી જોવા મળ્યું છે જ્યાં ઔરંગઝેબનું ભૂત ધૂણ્યું છે.

આ પ્રસંગે નીતિન પટેલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યને વખાણ્યું હતું અને કહ્યું હતું કે તેઓ જે કામ કરી રહ્યા છે તેનાથી બધું પાછું આવશે. તેમણે ઉપસ્થિત લોકોને આ કાર્યોમાં સહકાર આપવા પણ અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે મુસલમાનોએ આપણા અનેક મંદિરો તોડીને તેના પર કબજો કરીને મસ્જિદો બનાવી દીધી છે.

ચેટીચાંદ મહોત્સવ સિંધી સમાજ માટે નવા વર્ષની શરૂઆત અને ભગવાન ઝુલેલાલના જન્મદિવસની ઉજવણીનો મહત્વનો પ્રસંગ છે. કડીમાં મધુવન સોસાયટી સ્થિત ઝુલેલાલ મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે ટાઉનહોલ ખાતે સમાપ્ત થઈ હતી. રાત્રે ટાઉનહોલમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

નીતિન પટેલે પોતાના સંબોધનમાં ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું કે તેઓ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં ૧૯૬૦થી પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા ઘણા સિંધી પરિવારો રહેતા હતા. તેમણે કહ્યું કે ભાગલા વખતે સિંધીઓએ દેશભક્તિથી પ્રેરાઈને પાકિસ્તાન છોડીને ભારતની પવિત્ર ભૂમિ પર આશરો લીધો હતો. તેમણે પાકિસ્તાનમાં મુસલમાનોના ત્રાસ અને અત્યાચારોનો ઉલ્લેખ કર્યો હતો જે સિંધીઓએ સહન કર્યા હતા.

નીતિન પટેલે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સિંધીઓને આશ્રય અને વસવાટ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓને પણ યાદ કરી હતી, જેમ કે અમદાવાદમાં સરદારનગરની સ્થાપના અને કચ્છના ગાંધીધામમાં જમીન ફાળવણી. તેમણે કડીમાં સિંધી સમાજના યોગદાન અને એકબીજા સાથેના ભાઈચારાની પણ વાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
Embed widget