શોધખોળ કરો

‘મુસલમાનોના અત્યાચારો ભૂલવાના નથી...’, કડીમાં નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ

ચેટીચાંદ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું સંબોધન, યોગી આદિત્યનાથના કાર્યને બિરદાવ્યું.

કડી: કડી શહેરમાં સિંધી સમાજ દ્વારા આયોજિત ચેટીચાંદ મહોત્સવમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં પાકિસ્તાનમાં મુસલમાનો દ્વારા કરવામાં આવેલા અત્યાચારોને ભૂલવા નહીં અને તેમનું ભૂત ગમે ત્યારે ધૂણી શકે છે તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યને પણ બિરદાવ્યું હતું.

શનિવારે (૨૯ માર્ચે) કડીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે સિંધી કોઈ ધર્મ નથી, પરંતુ ભારતના હિન્દુઓના ઝુલેલાલ ભગવાનનો સંપ્રદાય છે. તેમણે કહ્યું કે અખંડ ભારતના ભાગલા પડતાં સિંધી પરિવારો નિરાશ્રિત બનીને ભારત આવ્યા હતા.

નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં મુસલમાનોએ જે અત્યાચાર કર્યા છે તે ભૂલવા જેવા નથી. તેમણે વર્તમાન પરિસ્થિતિને ટાંકીને કહ્યું કે હજુ પણ ગમે ત્યારે મુસલમાનોનું ભૂત ધૂણી શકે છે, જેનું ઉદાહરણ મહારાષ્ટ્રમાં ફરી જોવા મળ્યું છે જ્યાં ઔરંગઝેબનું ભૂત ધૂણ્યું છે.

આ પ્રસંગે નીતિન પટેલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યને વખાણ્યું હતું અને કહ્યું હતું કે તેઓ જે કામ કરી રહ્યા છે તેનાથી બધું પાછું આવશે. તેમણે ઉપસ્થિત લોકોને આ કાર્યોમાં સહકાર આપવા પણ અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે મુસલમાનોએ આપણા અનેક મંદિરો તોડીને તેના પર કબજો કરીને મસ્જિદો બનાવી દીધી છે.

ચેટીચાંદ મહોત્સવ સિંધી સમાજ માટે નવા વર્ષની શરૂઆત અને ભગવાન ઝુલેલાલના જન્મદિવસની ઉજવણીનો મહત્વનો પ્રસંગ છે. કડીમાં મધુવન સોસાયટી સ્થિત ઝુલેલાલ મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે ટાઉનહોલ ખાતે સમાપ્ત થઈ હતી. રાત્રે ટાઉનહોલમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

નીતિન પટેલે પોતાના સંબોધનમાં ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું કે તેઓ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં ૧૯૬૦થી પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા ઘણા સિંધી પરિવારો રહેતા હતા. તેમણે કહ્યું કે ભાગલા વખતે સિંધીઓએ દેશભક્તિથી પ્રેરાઈને પાકિસ્તાન છોડીને ભારતની પવિત્ર ભૂમિ પર આશરો લીધો હતો. તેમણે પાકિસ્તાનમાં મુસલમાનોના ત્રાસ અને અત્યાચારોનો ઉલ્લેખ કર્યો હતો જે સિંધીઓએ સહન કર્યા હતા.

નીતિન પટેલે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સિંધીઓને આશ્રય અને વસવાટ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓને પણ યાદ કરી હતી, જેમ કે અમદાવાદમાં સરદારનગરની સ્થાપના અને કચ્છના ગાંધીધામમાં જમીન ફાળવણી. તેમણે કડીમાં સિંધી સમાજના યોગદાન અને એકબીજા સાથેના ભાઈચારાની પણ વાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ઓલિમ્પિક્સ 2036ની મેજબાની માટે ભારતે દાવો કર્યો મજબૂત, ગુજરાતના આ શહેરમાં આયોજન કરવાનો મુક્યો પ્રસ્તાવ
ઓલિમ્પિક્સ 2036ની મેજબાની માટે ભારતે દાવો કર્યો મજબૂત, ગુજરાતના આ શહેરમાં આયોજન કરવાનો મુક્યો પ્રસ્તાવ
અમદાવાદમાં કેજરીવાલનો ટોણો, 'BJP-કોંગ્રેસનો સંબંધ પતિ-પત્ની જેવો નહીં પણ...'
અમદાવાદમાં કેજરીવાલનો ટોણો, 'BJP-કોંગ્રેસનો સંબંધ પતિ-પત્ની જેવો નહીં પણ...'
એકસાથે 9 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે, આ ટેક કંપની કરવા જઈ રહી છે મોટી છંટણી
એકસાથે 9 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે, આ ટેક કંપની કરવા જઈ રહી છે મોટી છંટણી
'રામાયણ ભાગ 1' હશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ, રણબીર કપૂર-સાઈ પલ્લવીની ફિલ્મનું બજેટ જાણીને હોંશ ઉડી જશે
'રામાયણ ભાગ 1' હશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ, રણબીર કપૂર-સાઈ પલ્લવીની ફિલ્મનું બજેટ જાણીને હોંશ ઉડી જશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂવા પર ભરોસો ભારે પડ્યો !
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોની મુશ્કેલીનો અંત ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોમાં મરી પરવારી સંવેદના ?
Surat Congress Protest: સુરતમાં ખાડીપૂરને લઈ રાજનીતિ ભરપૂર, પાલિકાની મુખ્ય કચેરીએ કોંગ્રેસનું વિરોધ
Gujarat Congress: કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે મોટા ઘમાસાણના એંધાણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓલિમ્પિક્સ 2036ની મેજબાની માટે ભારતે દાવો કર્યો મજબૂત, ગુજરાતના આ શહેરમાં આયોજન કરવાનો મુક્યો પ્રસ્તાવ
ઓલિમ્પિક્સ 2036ની મેજબાની માટે ભારતે દાવો કર્યો મજબૂત, ગુજરાતના આ શહેરમાં આયોજન કરવાનો મુક્યો પ્રસ્તાવ
અમદાવાદમાં કેજરીવાલનો ટોણો, 'BJP-કોંગ્રેસનો સંબંધ પતિ-પત્ની જેવો નહીં પણ...'
અમદાવાદમાં કેજરીવાલનો ટોણો, 'BJP-કોંગ્રેસનો સંબંધ પતિ-પત્ની જેવો નહીં પણ...'
એકસાથે 9 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે, આ ટેક કંપની કરવા જઈ રહી છે મોટી છંટણી
એકસાથે 9 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે, આ ટેક કંપની કરવા જઈ રહી છે મોટી છંટણી
'રામાયણ ભાગ 1' હશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ, રણબીર કપૂર-સાઈ પલ્લવીની ફિલ્મનું બજેટ જાણીને હોંશ ઉડી જશે
'રામાયણ ભાગ 1' હશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ, રણબીર કપૂર-સાઈ પલ્લવીની ફિલ્મનું બજેટ જાણીને હોંશ ઉડી જશે
'જો બળાત્કાર થયો, તો આરોપીના ગળા પર લવ બાઈટના નિશાન કેમ?', કોલકાતા કેસમાં ચોંકાવનારો દાવો
'જો બળાત્કાર થયો, તો આરોપીના ગળા પર લવ બાઈટના નિશાન કેમ?', કોલકાતા કેસમાં ચોંકાવનારો દાવો
IND VS ENG: કોચ ગૌતમ ગંભીર પર ગુસ્સે થયા રવિ શાસ્ત્રી; કહ્યું- મને વિશ્વાસ નથી આવતો...
IND VS ENG: કોચ ગૌતમ ગંભીર પર ગુસ્સે થયા રવિ શાસ્ત્રી; કહ્યું- મને વિશ્વાસ નથી આવતો...
બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા, આ કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષી
બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા, આ કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષી
સાઉદી અરેબિયામાં મળી આવ્યું 8 હજાર વર્ષ જૂનું મંદિર, જાણો કેવી રીતે થઈ શોધ
સાઉદી અરેબિયામાં મળી આવ્યું 8 હજાર વર્ષ જૂનું મંદિર, જાણો કેવી રીતે થઈ શોધ
Embed widget