![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Earthquake : હવે ભારતનો વારો? તુર્કીમાં ભયાકન ભૂકંપની ભવિષ્યવાણી કરનારા રિસર્ચરનો ચોંકાવનારો દાવો
3 ફેબ્રુઆરી, 2023 એટલે કે તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપના બરાબર 3 દિવસ પહેલા જ ડચ સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સે આગાહી કરી હતી.
![Earthquake : હવે ભારતનો વારો? તુર્કીમાં ભયાકન ભૂકંપની ભવિષ્યવાણી કરનારા રિસર્ચરનો ચોંકાવનારો દાવો Earthquake : Will Occur in India-Afghanistan-Pakistan, Dutch Researcher Frank Hoogerbeets Predicts Earthquake : હવે ભારતનો વારો? તુર્કીમાં ભયાકન ભૂકંપની ભવિષ્યવાણી કરનારા રિસર્ચરનો ચોંકાવનારો દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/1d66d559bb79834ce05fd4ebfc2b30cb167629359787981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dutch Researcher Frank Hoogerbeets Predicts : તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપની આગાહી નેધરલેન્ડના એક સંશોધક દ્વારા 3 દિવસ પહેલા જ કરવામાં આવી હતી. આ ડચ સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સે હવે ભારત સહિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની આસપાસ મોટા ભૂકંપની આગાહી કરી છે. તેમની આગાહી બાદ ફ્રેન્ક હુગરબીટ્સ ભૂકંપની આટલી સચોટ આગાહી કેવી રીતે કરે છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો.
3 ફેબ્રુઆરી, 2023 એટલે કે તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપના બરાબર 3 દિવસ પહેલા જ ડચ સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સે આગાહી કરી હતી. તેમણે આગાહી કરી હતી કે તુર્કી અને સીરિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. તે સમયે લોકોએ તેની વાતને ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ જ્યારે તુર્કી અને સીરિયામાં 3 દિવસ બાદ જ તીવ્ર ભૂકંપ ત્રાટક્યો ત્યારે લોકોને અચાનક ફ્રેન્ક હગરબીટ્સ યાદ આવ્યા હતાં. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 34 હજારથી વધુ લોકોના મોત થયા છે.
ફ્રેન્ક હુગરબીટ્સે એક હિંદી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે ગ્રહોની ગતિના આધારે ભૂકંપની આગાહી કરે છે. તે સૌરમંડળ જિયોમેટ્રી સર્વે (SSGEOS) માટે કામ કરે છે. SSGEOS એ એક સંશોધન સંસ્થા છે જે ધરતીકંપની પ્રવૃત્તિનો અંદાજ કાઢવા માટે અવકાશી પદાર્થોનું નિરીક્ષણ કરે છે. જો કે ફ્રેન્કના દાવા પર ઘણા વૈજ્ઞાનિકો પણ સવાલો ઉઠાવી રહ્યા છે.
તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયા પર તેમની આગાહીઓ પર શા માટે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. તેના જવાબમાં ફ્રેન્કે કહ્યું હતું કે, ભૂકંપના ત્રણ દિવસ પહેલા મેં તેની આગાહી વિશે ટ્વિટ કર્યું હતું. મેં આમ કર્યું કારણ કે મેં તે વિસ્તાર પર વ્યાપક સંશોધન કર્યું હતું. સંશોધન પરથી મેં અનુમાન લગાવ્યું હતું કે ત્યાં ભૂકંપ સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ થવાની છે. તેથી મેં વિચાર્યું કે કોઈ પણ ઘટના બને તે પહેલા લોકોને ચેતવણી જારી કરવી જોઈએ. પરંતુ મને ખબર નહોતી કે 3 દિવસ પછી આટલો મોટો ભૂકંપ આવશે.
ફ્રેન્કે વધુમાં જણાવ્યું હતું કે, આજે પણ ભૂકંપ વિશે કરવામાં આવતી આગાહીઓ સૈદ્ધાંતિક રીતે સાચી માનવામાં આવતી નથી. અમેરિકી જિયોલોજિકલ સર્વેનું કહેવું છે કે, કોઈ પણ વૈજ્ઞાનિકે ક્યારેય મોટા ભૂકંપની આગાહી કરી નથી. વાસ્તવમાં આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તે અંગે ઘણા વિવાદો છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમની સંસ્થાએ ઈતિહાસમાં આવેલા ગંભીર ભૂકંપ વિશે પણ વિગતવાર સંશોધન કર્યું છે. તેમની સંસ્થા ખાસ કરીને ગ્રહોની સ્થિતિ જોઈને આગાહી કરે છે. ઈતિહાસમાં મોટા ધરતીકંપોનો અભ્યાસ કરવામાં આવે છે જેથી આપણે પેટર્ન શોધીને ભવિષ્યના મોટા ધરતીકંપોની આગાહી કરી શકાય. તેઓ સૌ ખૂબ સારી રીતે કામ કરે છે.
મુખ્ય પ્રવાહના વૈજ્ઞાનિકોએ સામાન્ય રીતે ગ્રહો જોવાનો ઇનકાર કર્યો છે. કારણ કે સામાન્ય સર્વસંમતિ છે કે ગ્રહોની કોઈ અસર નથી. તેથી જ તે ગ્રહોને જોઈને અનુમાન લગાવે છે. ઈતિહાસમાં મોટા ધરતીકંપોનો અભ્યાસ કરવામાં આવે છે જેથી આપણે પેટર્ન શોધીને ભવિષ્યના મોટા ધરતીકંપોની આગાહી કરી શકીએ. તે બધા ખૂબ સારી રીતે કામ કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)