શોધખોળ કરો
Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ,યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતાઓ સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો
Gujarat Politics: લોકસભા ચૂંટણીને હલે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવા લાગ્યો છે.

યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન લીધું
1/8

Gujarat Politics: લોકસભા ચૂંટણીને હલે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવા લાગ્યો છે. એક તરફ બીજેપીમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તૂટી રહી છે. તાજેતરમાં ઘણા આપ નેતા કોંગ્રેસમાં જોડાયા હતા. આજ કેટલીક તસવીરો સામે આવી છે જેના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
2/8

વાત એવી છે કે, શું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસ તરફ વળ્યા?
3/8

યુવરાજસિંહ જાડેજાએ આજે કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ થયું છે.
4/8

થરાદ ખાતે યુવરાજસિંહ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહને મળ્યા હતા. મુલાકાત બાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું.
5/8

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા યુવરાજસિંહ જેલવાસ ભોગવી ચૂક્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે એક ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે, જેલવાસ દરમિયાન મને અમારી પાર્ટી તરફથી જોઈએ તેટલો સહયોગ નહોતો મળ્યો. તે સમયે જગદીશ ઠાકોર મારા સંપર્કમાં હતા.
6/8

તો બીજી તરફ યુવરાજસિંહ આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની હતા, પરંતુ છેલ્લે કોઈ કારણસર લડ્યા નહોતા.
7/8

આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
8/8

જો કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ તેમની મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે.
Published at : 27 Aug 2023 03:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
