શોધખોળ કરો
ISRO Ram Setu Research: રામ સેતુ વિશે ISROને મળ્યો ખજાનો! સમુદ્રની નીચેનો નકશો બનાવ્યો
ISRO Ram Setu Research: એડમ્સ બ્રિજ (રામ સેતુ)નું હિંદુઓ માટે ખાસ ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર રામાયણમાં હનુમાનની વાનર સેનાએ આ પુલ ભગવાન રામને લંકા પહોંચાડવા માટે બનાવ્યો હતો.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ એડમ્સ બ્રિજ, જેને રામ સેતુ નામથી પણ ઓળખવામાં આવે છે, તેનો સમુદ્રની નીચેનો ડિજિટલ નકશો તૈયાર કર્યો છે.
1/5

આ બ્રિજ તમિલનાડુના રામેશ્વરમ અથવા પમ્બન દ્વીપથી લઈને શ્રીલંકાના મન્નાર દ્વીપ વચ્ચે સ્થિત છે. તેના નકશાને તૈયાર કરવા માટે અમેરિકી સંશોધન સંસ્થા નાસાના ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવ્યો.
2/5

આ પુલના નકશાનું કામ ISROના જોધપુર અને હૈદરાબાદના સંશોધકો દ્વારા નાસા ઉપગ્રહ ICESat 2નો ઉપયોગ કરીને કરવામાં આવ્યું. તેનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો બરફની ચાદરો, હિમનદીઓ, સમુદ્રી બરફની ઊંચાઈની ચોક્કસ માહિતી આપે છે.
Published at : 11 Jul 2024 08:39 PM (IST)
આગળ જુઓ




















