શોધખોળ કરો

Virat Kohli: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટના 16 વર્ષ પુરા, આજના જ દિવસે 'કિંગ કોહલી'એ કર્યુ હતુ ડેબ્યૂ

Virat Kohli : 16 વર્ષ પહેલા આ દિવસે (18 ઓગસ્ટ) વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કોહલીએ પોતાની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ શ્રીલંકા સામે રમી હતી

Virat Kohli Completed 16 Years In International Cricket: 16 વર્ષ પહેલા આ દિવસે (18 ઓગસ્ટ) વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કોહલીએ પોતાની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ શ્રીલંકા સામે રમી હતી. તેણે ODI દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. તેની કારકિર્દીની શરૂઆતથી જ કિંગ કોહલીએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું શરૂ કર્યું અને પછી તેને ક્રિકેટના 'કિંગ' તરીકેનો ખિતાબ મળ્યો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા પછી તેના શાનદાર પ્રદર્શનને કારણે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયામાં પોતાને સ્થાપિત કરી અને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પછી ધીમે-ધીમે તેને કેપ્ટન તરીકે જોવામાં આવવા લાગ્યો. ત્યારબાદ એમએસ ધોની બાદ કોહલીને ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.

ODI દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારા કિંગ કોહલીએ ધીરે-ધીરે ત્રણેય ફોર્મેટમાં ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી. 2010માં તેણે T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું અને પછી 2011માં કિંગ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો. ત્રણેય ફોર્મેટની ટીમમાં જગ્યા બનાવ્યા બાદ કોહલીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

ટી20 ઇન્ટરનેશનલને કહી ચૂક્યો છે અલવિદા 
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતતાની સાથે જ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું હતું. તેણે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે યુવાઓને તક આપવાનો વારો છે.

અત્યાર સુધી આવી રહી ઇન્ટરનેશનલ કેરિયર 
નોંધનીય છે કે વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 113 ટેસ્ટ, 295 વનડે અને 125 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 191 ઇનિંગ્સમાં તેણે 49.15ની એવરેજથી 8848 રન બનાવ્યા છે. કિંગ કોહલીએ ટેસ્ટમાં 29 સદી અને 30 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 254* રન છે.

આ સિવાય ODIની 283 ઇનિંગ્સમાં તેણે 58.18ની એવરેજથી 13906 રન બનાવ્યા છે, જેમાં 50 સદી અને 72 અડધી સદી સામેલ છે. T20 ઇન્ટરનેશનલની બાકીની 117 ઇનિંગ્સમાં, કિંગ કોહલીએ 48.69ની એવરેજ અને 137.04ના સ્ટ્રાઇક રેટથી 4188 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 38 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચો

IPL 2025ને લઈને સામે આવ્યા મોટા સમાચાર, ધોની માટે જૂનો નિયમ ફરી લાવવાની તૈયારીમાં BCCI

IPLમાંથી ખતમ થવા જઈ રહ્યો છે ઇમ્પેક્ટ પ્લેયરનો રૂલ? BCCI સેક્રેટરી જય શાહે આપી માહિતી

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget