શોધખોળ કરો

Ganesh Chaturthi 2022: બાપ્પાની સ્થાપના વખતે કરો આ મંત્રનો જાપ, જાણો ગણેશ ચતુર્થી સ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ

Ganesh Chaturthi: માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે, ગણપતિજીની પૂજા કરવામાં આવે છે.

Ganesh Chaturthi 2022: 31 ઓગસ્ટ 2022 ના રોજ ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવવામાં આવશે. 10 દિવસીય ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બાપ્પાના આગમન માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવ્યા છે. ખાસ શણગાર કરવામાં આવે છે. ઘરોમાં સ્થાપના કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે, ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે, ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.

ગણેશ ચતુર્થી 2022 સ્થાપના મુહૂર્ત

ગણેશ સ્થાપના મુહૂર્ત - સવારે 11.05 - બપોરે 1.38 (31 ઓગસ્ટ 2022)

વિજય મુહૂર્ત - 2.34 - 3.25 pm (31 ઓગસ્ટ 2022)

અમૃત કાલ મુહૂર્ત - સાંજે 5.42 - 7.20 (31 ઓગસ્ટ 2022)

સંધિકાળ મુહૂર્ત - 6.36 - 7.00 pm (31મી ઓગસ્ટ 2022)

ગણેશ ચતુર્થી 2022 શુભ યોગ

31મી ઓગસ્ટ 2022, બુધવારે સવારે 06:06 થી 12:12 સુધી રવિ યોગ છે. જ્યારે સવારથી રાત્રીના 10:48 સુધી શુક્લ યોગ અને શુક્લ યોગની સમાપ્તિ પછી તરત જ બ્રહ્મયોગ શરૂ થશે. આ ત્રણેય યોગ પૂજાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે.


Ganesh Chaturthi 2022:  બાપ્પાની સ્થાપના વખતે કરો આ મંત્રનો જાપ, જાણો ગણેશ ચતુર્થી સ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ

અનંત ચતુર્દશી ક્યારે છે?

પંચાંગ અનુસાર, ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદરવા સુદ ચોથથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. આ વખતે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર 2022ના રોજ છે. આ દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.

ગણેશ ચતુર્થી 2022 બાપ્પાની સ્થાપનાનો મંત્ર

શુભ મુહૂર્તમાં ગણપતિજીની જગ્યા કરવાથી બાપ્પા વ્યક્તિની દરેક વિઘ્નો દૂર કરે છે. ઘર કે મંદિરમાં ગણપતિજીની સ્થાપના સમયે આ મંત્રનો જાપ કરો. अस्य प्राण प्रतिषठन्तु अस्य प्राणा: क्षरंतु च। श्री गणपते त्वम सुप्रतिष्ठ वरदे भवेताम।।

ગણેશ ચતુર્થી પૂજા વિધિ

  • ગણેશ ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ કરવો
  • જ્યાં ગણપતિની સ્થાપના કરવાની હોય, તે સ્થાનને ગંગાજળનો છંટકાવ કરીને પવિત્ર કરો. હવે પૂજા ચોકને ઉત્તર-પૂર્વ દિશામાં રાખો અને તેના પર લાલ કે સફેદ કપડું પાથરી દો.
  • ચોકી પર થોડા ચોખા લગાવો અને તેના પર ગણપતિની મૂર્તિ સ્થાપિત કરો. આ દરમિયાન ગણપતિની સ્થાપના માટે  अस्य प्राण प्रतिषठन्तु अस्य प्राणा: क्षरंतु च। श्री गणपते त्वम सुप्रतिष्ठ वरदे भवेताम।। મંત્રનો જાપ કરો.
  • જો ગણપતિની મૂર્તિ માટીની હોય તો ગણેશજી પર ગંગાજળ, પંચામૃતનો ફુલ ચઢાવો. ધાતુની મૂર્તિને પંચામૃતથી અભિષેક કરી શકાય છે.
  • ગણેશને રોલી, મૌલી, હળદર સિંદૂર, અક્ષત(ચોખા), ચંદન, અબીલ, ગુલાલ, મહેંદી, લાલ ફૂલ, લવિંગ, એલચી, સોપારી, નારિયેળ અર્પણ કરો.
  • ગજાનનને જનોઈ ધારણ કરાવો અને 11 કે 21 દુર્વા ચઢાવો. હવે તેના મનપસંદ ભોગ મોદક અથવા ચણાના લોટના લાડુ ચઢાવો. ગણપતિને પોતાના મનપસંદ ફળ કરો. ધ્યાનમાં રાખો કે પ્રસાદમાં તુલસી ન રાખવામાં આવે, ગણપતિની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત છે.
  • ધૂપ-દીપ સાથે ગણપતિ ચાલીસાનો પાઠ કરો અને ગણેશ ચતુર્થીની કથા વાંચો. પૂજા સમયે આ મંત્રોનો જાપ કરો.
  • હવે પરિવાર સાથે ગણેશજીની આરતી કરો અને બધામાં પ્રસાદ વહેંચો. 10 દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે ગણપતિની પૂજા કરો.


Ganesh Chaturthi 2022:  બાપ્પાની સ્થાપના વખતે કરો આ મંત્રનો જાપ, જાણો ગણેશ ચતુર્થી સ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ

ગણપતિના 5 પ્રિય ફળ

  • કેળા - કેળા ગણેશજીને ખૂબ પ્રિય છે. ગણેશજીની પૂજામાં ક્યારેય એક કેળું ન ચઢાવો. કેળા હંમેશા જથ્થામાં ચઢાવવા જોઈએ.
  • કાળા જાંબુ - ગણપતિજી બુદ્ધિના દાતા છે. ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની પૂજામાં કાળા જાંબુ ચઢાવો. એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે.
  • બિલી - ભગવાન ભોળાનાથની જેમ ગણપતિજીને પણ બિલીનું ફળ ગમે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને બિલીનું ફળ અર્પણ કરવાથી તેમનું વિશેષ વરદાન પ્રાપ્ત થાય છે.
  • સીતાફળ - સીતાફળને શરીફા પણ કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તાને સીતાફળ અર્પિત કરવાથી બધી અશુભ વસ્તુઓ દૂર થાય છે.
  • જામફળ - ગણેશ સ્થાપના સમયે જામફળનું પણ વિશેષ સ્થાન છે. એવું માનવામાં આવે છે કે જામફળ ચઢાવવાથી ગણેશ ભક્તની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Embed widget