શોધખોળ કરો

Union Budget 2022: 'હર ઘર નળથી જળ' યોજના હેઠળ 60 હજાર કરોડ રૂપિયાની ફાળવણી, 80 લાખ ઘર બનાવાશે

વર્ષ 2022-23માં 80 લાખ નવા મકાનોનું નિર્માણ થશે અને તેના અંતર્ગત 48,000 કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરાશે. હર ઘર નળી જળ યોજના માટે 60 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. 

નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને મંગળવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં નવી 60 લાખ નોકરીઓ પેદા કરવાનો લક્ષ્ય જાહેર કર્યો હતો. નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ્સ (પીએલઆઈ) યોજના હેઠળ 14 ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં  રહ્યું છે. આ 14 ક્ષેત્રોમાં 60 લાખ નવી નોકરીઓ પેદા કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત આ 14 ક્ષેત્રોમાં 30 લાખ કરોડ રૂપિયાનું વધારાનું નવું ઉત્પાદન પણ પેદા કરવાની ક્ષમતા છે.

આ સિવાય, વર્ષ 2022-23માં 80 લાખ નવા મકાનોનું નિર્માણ થશે અને તેના અંતર્ગત 48,000 કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરાશે. નવા ઘરો માટે શહેરી ક્ષેત્રોમાં વધુ રૂપિયા આપવામાં આવશે અને ગ્રામીણ વિસ્તારો માટે આધુનિક ઘરોનું નિર્માણ કરશે. નિર્મલા સિતારમને કહ્યું કે, 3 કરોડ પરિવાર સુધી નળથી જળ પહોંચાડવામાં આવશે. હર ઘર નળી જળ યોજના માટે 60 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. 

 કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને મંગળવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે 2.37 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. નિર્મલા સીતારામને ઘઉં અને ચોખાના લઘુત્તમ ટેકાના ભાવ ( એમએસપી) સંબંદિત ડાયરેક્ટ પેમેન્ટ પેકેજની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત નિર્મલાએ કહ્યું કે, અમે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશું. રાજ્ય સરકારોને પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. આ તેમનું ચોથું બજેટ છે અને આ વખતે પણ બજેટ પેપરલેસ સ્વરૂપે રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એલઆઇસીના આઇપીઓ અંગે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, એલઆઇસીનો આઇપીઓ ઝડપથી આવશે. તેમણે ઉમેર્યું હતું કે, એલઆઇસીનો આઇપીઓ ઝડપથી આવશે અને આ માટે જરૂરી કાર્યવાહીનું કામ સુચારું રૂપે ચાલી રહ્યું છે. દેશમાં આઇટી અને પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે અને મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરાશે.નોંધનીય છે કે, એલઆઇસીના આઇપીઓની રોકાણકારો રાહ જોઇ રહ્યા છે, ત્યારે આજે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. હવે ગમે ત્યારે એલઆઇસીનો આઇપીઓ આવી શકે છે.  આ સમયે નિર્મલા સીતારમણે 60 લાખ નોકરીઓ આપવાની જાહેરાત પણ કરી હતી. 

તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ બજેટમાં આગામી 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી રહી છે. દેશમાં આર્થિક પુનઃપ્રાપ્તિને મજબૂત કરવા પર ફોકસ છે. 60 લાખ નવી નોકરીઓ મળશે. વિકાસદર 2 ટકા રહેવાનું અનુમાન છે. દેશની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી છે. દેશમાં રોકાણ વધારવાનું લક્ષ્ય છે. ગરીબોના જીવનમાં બદલાવવાની પ્રાથમિકતા. અર્થવ્યવસ્થાના મોરચે સરકાર પડાકારોનો સામનો કરી રહી છે. વેક્સીનેશન અભિયાનને ઝડપથી લાગું કરાયું. બજેટમાં આગામી 25 વર્ષ સુધીની બ્લૂપ્રિન્ટ.

દેશ ફરી એકવાર ચૂંટણીના રંગમાં રંગાઈ ગયો છે. યુપી, પંજાબ અને ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. દરમિયાન, આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કોરોના મહામારીના સંકટ વચ્ચે રજૂ થનારા બજેટમાં સરકારની પ્રાથમિકતાઓ શું હશે અને તેમાં નોકરીયાત અને સામાન્ય લોકો માટે શું થશે, તેના પર તમામની નજર રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. નાણામંત્રી તેમના દિવસની શરૂઆત સવારે 9 વાગ્યાથી કરશે. કેન્દ્રીય મંત્રી તેમની ટીમ સાથે સવારે 9 વાગ્યે નાણા મંત્રાલયથી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થશે. નાણા મંત્રાલયના ડાયરેક્ટર જનરલ (મીડિયા અને કોમ્યુનિકેશન્સ) અનુસાર, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે મુલાકાત કર્યા પછી, નાણામંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટને બજેટ વિશે ટૂંકી માહિતી આપશે અને પછી સંસદ માટે રવાના થશે.

સ્થાપિત સંમેલનો મુજબ, ભારતના રાષ્ટ્રપતિને પ્રથમ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટની જોગવાઈઓ વિશે માહિતી આપવામાં આવે છે. તે હંમેશા રૂઢિગત બેઠક છે, કારણ કે રાષ્ટ્રપતિ કેન્દ્રીય બજેટમાં કોઈ ફેરફાર સૂચવતા નથી, પરંતુ નાણામંત્રીએ સંસદમાં સત્તાવાર રીતે બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે.

રાષ્ટ્રપતિને મળ્યા બાદ સીતારમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટને મળવાની છે અને કેબિનેટને બજેટ વિશે માહિતી આપવાની છે. નાણા મંત્રાલય બજેટ વિશે ગુપ્તતા જાળવે છે, તેમનું ભાષણ રજૂ કરતા પહેલા નાણામંત્રી બજેટની જોગવાઈઓ વિશે ગુપ્તતા રાખવા માટે બંધાયેલા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
Advertisement

વિડિઓઝ

Ishudan Gadhavi: 'આ માનવસર્જિત દુર્ઘટના છે.. ટેક્સ ભરે જનતા અને મરે પણ જનતા..' સરકાર પર પ્રહાર
Vadodara Bridge News :ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો ખાબક્યા નદીમાં, જુઓ વીડિયોમાં
Surat Murder Case: જ્વેલર્સ મર્ડર કેસમાં નીકળી અંતિમ યાત્રા, સમગ્ર સચિન વિસ્તાર ચઢ્યો હિબકે
Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
એક જ ફંડ દ્વારા વિશ્વની મોટી કંપનીઓમાં કરો રોકાણ,  Nippon India Mutual Fund એ લોન્ચ કર્યો NFO
એક જ ફંડ દ્વારા વિશ્વની મોટી કંપનીઓમાં કરો રોકાણ, Nippon India Mutual Fund એ લોન્ચ કર્યો NFO
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
Embed widget