![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Fitness: શરીરમાં રહેલી અતિશય ફૂલેલી નસો બની ખતરનાક, બચવા માટે કરો આ રામબાણ ઉપાય
પોતાને ફિટ રહેવા અને મન શાંત રાખવા માટે નિયમિત યોગ શ્રેષ્ઠ ઉપાય છે. શરીરના દરેક ભાગ માટે અલગ અલગ યોગાસન છે. નિયમિત રીતે તેને કરવાથી લાંબી બીમારીઓ પણ દુર કરી શકાય છે.
![Fitness: શરીરમાં રહેલી અતિશય ફૂલેલી નસો બની ખતરનાક, બચવા માટે કરો આ રામબાણ ઉપાય Fitness: Excessively swollen veins in the body become dangerous, do this remedy to avoid Fitness: શરીરમાં રહેલી અતિશય ફૂલેલી નસો બની ખતરનાક, બચવા માટે કરો આ રામબાણ ઉપાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/0f75b488716b8012f9cc665c7cc109fe167282374909981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પોતાને ફિટ રહેવા અને મન શાંત રાખવા માટે નિયમિત યોગ શ્રેષ્ઠ ઉપાય છે. શરીરના દરેક ભાગ માટે અલગ અલગ યોગાસન છે. નિયમિત રીતે તેને કરવાથી લાંબી બીમારીઓ પણ દુર કરી શકાય છે.
યોગને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવીને, તમે તમારું શરીર અને મનને ફિટ રાખવાની સાથે રોજિંદા જીવનની સમસ્યાઓને આસાનીથી દૂર કરી શકો છો અને તમારી સુંદરતામાં પણ વધારો કરશે. અમે વાત કરી રહ્યા છીએ શશાંકાસન વિશે જે રેબિટ પોઝ તરીકે પણ ઓળખાય છે.
ઘણા લોકો પોતાને ફિટ રાખવા માટે રોજ યોગા કરે છે. જો કે મોટા ભાગના વાંકા વળીને કરવાવાળા યોગની સરખામણીમાં તે ખૂબ જ સરળ છે કારણ કે તમે તેમાં સંપૂર્ણપણે ઊંધુ થવાનું હોતું નથી અને માથા પર બહુ ઓછું વજન પડે છે. જો કે તમારે આ યોગાસનના વધારે ફાયદાઓ મેળવવા માટે, યોગ પોઝ દરમિયાન શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
શશાંકાસન કરવાની રીત : એડી પર બેસીને આ યોગની શરૂઆત કરો. શ્વાસ બહાર કાઢો અને તમારા હાથને તમારી પાછળની તરફ રાખીને એડીને પકડી રાખો. આ કરતી વખતે અંગૂઠો બહાર હોવો જોઈએ અને આંગળીઓ અંદર હોવી જોઈએ.
તમારા કોરનો ટેકો લઈને, માથું ઘૂંટણ તરફ અને જમીન પર રાખીને ધૂંટણ પર એ રીતે આવી જાઓ કે કપાળ ઘૂંટણને સ્પર્શતું હોય. હિપ્સને ઉંચા ઉઠાવો અને જ્યાં સુધી તમારી કોણી લૉક હોય ત્યાં સુધી આ સ્થિતિમાં રહો. એક મજબૂત પકડ સાથે શ્વાસ લો અને જ્યારે તમે શ્વાસ બહાર કાઢતા તમારી એડીને સ્ટ્રેચ કરો. પાંચ શ્વાસ સુધી આ સ્થિતિમાં રહો અને ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો.
શશાંકાસનના ફાયદા : શશાંકાસનથી શરીરના ઉપલા બાગે સ્ટ્રેચ આવે છે જેમાં કરોડરજ્જુ અને ચેતાના સ્નાયુઓનો સમાવેશ થાય છે, જે કરોડરજ્જુની ચેતા પર દબાણ લાવે છે. તે ના માત્ર કરોડરજ્જુને ઊંડેથી ખોલે છે જે પીઠના દુખાવાને રોકવા માટે રામબાણ છે.
આગળ વળવાથી, પેટના સ્નાયુઓની મસાજ થઇ જાય છે, જેનાથી પાચનમાં સુધારો થાય છે. પિનીલ, થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથીઓ, રોગપ્રતિકારક અને અંતઃસ્ત્રાવી પ્રણાલીઓ પણ ઉત્તેજિત થાય છે. આ પોઝ પેલ્વિક સ્નાયુઓને ટોન કરે છે અને પગના સ્નાયુઓને આરામ આપે છે.
આ સાથે તે સાયટિકાના દુખાવામાં પણ રાહત આપે છે. પગ પર સંકોચન કાયમની અતિશય ફૂલેલી નસો ઘટાડે છે. તે ડાયાબિટીસ અને જાતીય વિકૃતિઓ મટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
લાભો :
શશાંકાસન મગજ અને સંવેદનાત્મક અવયવોને લોહીની સપ્લાય કરે છે જેનાથી એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો થાય છે અને રિલેક્સ થવામાં મદદ મળે છે. આ મુદ્રા માનસિક તણાવથી રાહત આપવા માટે જાણીતી છે, તેને તે લોકોને દરરોજ કરવાની સલાહ આપવામાં આવે છે જે ભાવનાત્મક રીતે અસંતુલિત અનુભવે છે અથવા જેમને ગુસ્સો અથવા નિરાશાને નિયંત્રિત કરવામાં મુશ્કેલી હોય છે.
આ રીતે, તમે પણ દરરોજ આ યોગાસન કરીને સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બધા મફતમાં ફાયદા મેળવી શકો છો. ફિટનેસ સંબંધિત વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)