શોધખોળ કરો

Diabetes: રેડ લાઇટ થેરાપીથી ડાયાબિટીસ થઇ શકે છે કંન્ટ્રોલ, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

આ થેરાપીમાં શરીરના ચોક્કસ ભાગો પર લાલ પ્રકાશ ફેંકવામાં આવે છે

આજના સમયમાં ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ એક એવો રોગ છે જેમાં આપણા લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે કારણ કે આપણું શરીર યોગ્ય રીતે ઇન્સ્યુલિન બનાવી શકતું નથી કે તેનો ઉપયોગ કરી શકતું નથી. તેની પાછળનું કારણ આપણી જીવનશૈલી અને ખોટી ખાવાની આદતો હોઈ શકે છે. પરંતુ તાજેતરમાં એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે આશાનું એક નવું કિરણ ઉભરી આવ્યું છે અને તે છે રેડ લાઈટ થેરાપી.

જાણો શું છે રેડ લાઈટ થેરાપી

રેડ લાઈટ થેરાપી એ એક ખાસ પ્રકારની થેરાપી છે જેમાં લાલ લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. આ થેરાપીમાં શરીરના ચોક્કસ ભાગો પર લાલ પ્રકાશ ફેંકવામાં આવે છે. આ પ્રકાશ ત્વચાના ઊંડાણ સુધી પહોંચે છે અને ત્યાંના કોષોને સક્રિય કરે છે. તેનાથી શરીરની અંદર એનર્જી પ્રોડક્શન વધે છે, જેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.

જાણો શું કહે છે રિસર્ચ?

તાજેતરમાં, "જર્નલ ઓફ બાયોફોટોનિકસ" માં પ્રકાશિત થયેલા સંશોધનમાં દર્શાવવામાં આવ્યું છે કે 670 નેનોમીટર લાલ પ્રકાશ માઇટોકોન્ડ્રિયા એટલે કે આપણા કોષોના ઉર્જા કેન્દ્રમાં ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. આનાથી શરીરમાં ગ્લુકોઝનો વપરાશ વધે છે અને ખાસ કરીને જ્યારે આપણે કંઈક મીઠી વસ્તુ ખાઈએ છીએ ત્યારે બ્લડ સુગર લેવલ 27.7 ટકા ઘટે છે અને શુગર લેવલમાં ઉછાળો પણ 7.5 ટકા ઘટી જાય છે. "મેડિકલ એક્સપ્રેસ" અનુસાર, આ સંશોધન સૂચવે છે કે બ્લૂ લાઇટના બા સમય સુધી સંપર્કમાં રહેવાથી બ્લડ સુગરના સંતુલનમાં ખલેલ પડી શકે છે, જે એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની શકે છે.

સંશોધનમાં બહાર આવ્યું છે

આ અભ્યાસ 30 સ્વસ્થ વ્યક્તિઓ પર કરવામાં આવ્યો હતો. તેમને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. એક ગ્રુપને 670 નેનોમીટર લાલ પ્રકાશના સંપર્કમાં રાખવામાં આવ્યું જ્યારે બીજા ગ્રુપને રાખવામા ન આવ્યું. જ્યારે આ લોકોએ ગ્લુકોઝનું સેવન કર્યું ત્યારે રેડ લાઈટ ગ્રુપના લોકોના બ્લડ સુગરનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું

કેન્સરની સારવારમાં પણ નવી શક્યતાઓ

સંશોધન કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે આ ટેકનિક માત્ર બ્લડ શુગર ઘટાડવામાં મદદરૂપ નથી, પરંતુ તે કેન્સરની સારવારમાં નવી શક્યતાઓ પણ ખોલી શકે છે. આ સિવાય પાર્કિન્સન્સ અને ડાયાબિટીક રેટિનોપેથી જેવા રોગોના લક્ષણોને ઘટાડવામાં પણ આ ટેક્નોલોજી મદદરૂપ સાબિત થઈ છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget