![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો ચિંતા વધારી શકે છે, સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા, આજે જ તેનું સેવન બંધ કરો
જ્યારે પણ આપણે તણાવ અનુભવીએ છીએ, ત્યારે આપણે ચોકલેટ અથવા મીઠાઈનો ટુકડો ખાઈએ છીએ, જે આપણો મૂડ ફ્રેશ બનાવે છે. પરંતુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ ઉચ્ચ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો ચિંતા વધારી શકે છે.
![ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો ચિંતા વધારી શકે છે, સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા, આજે જ તેનું સેવન બંધ કરો research says fatty food items can increase anxiety level read full article in Gujarati ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો ચિંતા વધારી શકે છે, સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા, આજે જ તેનું સેવન બંધ કરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/20/5adee1ab873bc3988e21a7cb9058bd7617188792702961050_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Causes of Anxiety: ઘણીવાર નોંધાયું છે કે લોકો ડિપ્રેશન અને તણાવનો શિકાર છે, તેઓને જ્યારે ચિંતા થાય છે ત્યારે તેઓ વધારે ખાવા લાગે છે. જેમાં સૌથી પહેલા તેઓ ચોકલેટ,કેક,અથવા ડોનટ ખાય છે. જેના કારણે તેમણે તરત જ તાજગી મળે છે અને મૂડ સારો થાય છે.
આ સિવાય કેટલાક લોકો જંક ફૂડ જેવી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય વસ્તુઓનું સેવન કરે છે. પરંતુ તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન ખરેખર આપણી ચિંતામાં વધારો કરી શકે છે, તેમજ સ્વાસ્થ્યને પણ નુકશાન કરી શકે છે. આવો અમે તમને આ સંશોધન વિશે અને આ ચરબીયુક્ત ખોરાક તમને કેવી રીતે અસર કરી શકે છે તે વિશે જણાવીએ.
સંશોધન શું કહે છે?
તાજેતરમાં, કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીમાં એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ચરબીયુક્ત ખોરાક ખાવાથી આપણી ચિંતા વધી શકે છે. ઉંદરો પર કરવામાં આવેલા આ સંશોધનમાં જાણવા મળ્યું કે આ ખોરાક આંતરડાના બેક્ટેરિયામાં દખલ કરી શકે છે, જે મગજમાં રસાયણોમાં ફેરફાર કરે છે અને ચિંતામાં વધારો કરે છે. સંશોધન મુજબ, ડિપ્રેશન અને ચિંતાથી પીડિત વ્યક્તિ તેના નિયમિત આહારમાં 36% ચરબીયુક્ત ખોરાક લે છે.
આ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો ચિંતાનું જોખમ વધારી શકે છે
ડોનટ્સ, બર્ગર, ચિપ્સ, ફ્રાઈસ, જંક ફૂડ અથવા ફાસ્ટ ફૂડ જેવી ચરબીયુક્ત વસ્તુઓ બિનઆરોગ્યપ્રદ ચરબીયુક્ત ખોરાકમાં આવે છે, જે ફક્ત તમારું વજન જ નથી વધારતી પરંતુ જો તેનું સતત સેવન કરવામાં આવે તો તેનાથી ચિંતા અને ડિપ્રેશનની સમસ્યા પણ વધી શકે છે.
એટલું જ નહીં, વધુ પડતી ચોકલેટ ખાવાથી પણ ચિંતા વધી શકે છે, તમે સાદી ચોકલેટને બદલે ડાર્ક ચોકલેટનો નાનો ટુકડો ખાઈ શકો છો. આ વસ્તુઓને બદલે, ચિંતા અથવા તણાવના કિસ્સામાં, તમે બીજ, બદામ, સી ફૂડ, ઓમેગા 3 ફેટી એસિડથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થોનું સેવન કરી શકો છો. તે તમારા મૂડને આરામ આપે છે અને ચિંતાના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે તેના સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)