શોધખોળ કરો

Ahmedabad: ગાંધી આશ્રમની થશે કાયાપલટ, 1200 કરોડના ખર્ચે બનશે વિશ્વસ્તરીય સ્મારક

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરશે.

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરશે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે, સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે. ‘આશ્રમભૂમિ વંદના’ ના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. 

સાબરમતી આશ્રમ: ભારતીય ઇતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ 1917માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આ આશ્રમનો પાયો નાખ્યો હતો. ભારતીય ઇતિહાસના એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે સાબરમતી આશ્રમ આઝાદીની ચળવળનું એક મુખ્ય કેન્દ્ર રહ્યો છે. આ સ્થળની સાદગી અને પવિત્રતાને જોઇને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે અડધી દુનિયા પર રાજ કરનારા અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કરી દેનારા એક સામાન્ય વ્યક્તિએ આ જ સ્થળેથી આઝાદીના અહિંસક આંદોલનની વ્યૂહરચનાઓ બનાવી અને દેશવાસીઓને સ્વાધીનતા માટે જાગૃત કર્યા. 

₹1200 કરોડના ખર્ચે તૈયાર થશે આ વિશ્વસ્તરીય સ્મારક

₹1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો તેમજ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે. આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે. 

અહીંયા ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ જોવા મળશે. આ ઉપરાંત, આ સંકુલ મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે વ્યાખ્યાન કેન્દ્ર તેમજ જાહેર સુવિધાઓ જેવીકે ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ હશે.અહીંયા એવા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે, જ્યાં મુલાકાતીઓ ગાંધીજીના સાતત્ય અને આત્મનિર્ભરતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના વિચારોનો અનુભવ કરી શકશે તેમજ આશ્રમમાં ગાંધીજીના સમય દરમિયાન બનાવવામાં આવેલ હસ્તકલાઓને પણ નિહાળી શકશે.

આવરણ નવું પણ આત્મા એ જ

પૂજ્ય બાપુના દર્શન અને વિચારોને અભિવ્યક્ત કરનારા સાબરમતી આશ્રમને એક નવા સ્વરૂપમાં દુનિયા સમક્ષ પ્રસ્તુત કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે આશ્રમનું ‘આવરણ’ ભલે નવું હોય, પરંતુ તેનો ‘આત્મા’ એ જ રહે.  આ પ્રોજેક્ટમાં મુખ્ય આશ્રમની સાદગી અને અધિકૃત સ્થાપત્યોને જાળવી રાખીને 20 જૂના મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુનઃવિકાસ સામેલ છે. તેનો ઉદ્દેશ સાબરમતી આશ્રમની મુલાકાતે આવતા લોકો માટે શુદ્ધ, સ્વચ્છ, શાંતિપૂર્ણ અને હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો છે. સાબરમતી આશ્રમ એક સ્થળ માત્ર જ નથી, પરંતુ સ્વાતંત્ર્ય સેનાનીઓની તપોભૂમિ છે, આત્મખોજનું સ્થળ છે અને જીવનમૂલ્યોની પાઠશાળા છે. અહીંના કણ-કણમાં આજે પણ ગાંધીજીની વિરાસત, સાદગી અને વિચારોની સુગંધ પ્રસરેલી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Vadodara Health Department: શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે વડોદરા આરોગ્ય વિભાગ એકશનમાં
Ahmedabad news: અમદાવાદની નવરંગપુરાની સમર્થ સ્કૂલ આવી ચર્ચામાં, બે વિદ્યાર્થિનીઓ ભેદી સંજોગોમાં ગુમ
AAJ No Muddo : આજનો મુદ્દો : ઓનલાઈન ગેમિંગ કરશે બરબાદ
Bhavnagar Viral Video : ભાવનગરમાં વરસાદમાં RCC રોડ પરથી વાહનો થયા સ્લીપ, વીડિયો વાયરલ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી 26મી જુલાઇએ આવશે ગુજરાત, તડામાર તૈયારીઓ શરૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
BCCI એ હટાવ્યો, હવે આ ટીમનો મુખ્ય કોચ બન્યો અભિષેક નાયર; રહી ચૂક્યો છે ગૌતમ ગંભીરનો આસિસ્ટન્ટ
BCCI એ હટાવ્યો, હવે આ ટીમનો મુખ્ય કોચ બન્યો અભિષેક નાયર; રહી ચૂક્યો છે ગૌતમ ગંભીરનો આસિસ્ટન્ટ
Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાપીમાં જળબંબાકારની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાપીમાં જળબંબાકારની સ્થિતિ
Gujarat Rain: વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Bajaj ને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટથી બંધ કરી શકે છે EV નું ઉત્પાદન,જાણો ઇલેક્ટ્રિક વાહનો પર કેમ ઘેરાયું સંકટ?
Bajaj ને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટથી બંધ કરી શકે છે EV નું ઉત્પાદન,જાણો ઇલેક્ટ્રિક વાહનો પર કેમ ઘેરાયું સંકટ?
Embed widget