શોધખોળ કરો

ભાવનગરઃ વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો, રમતાં-રમતાં બાળક કુવામાં પડી જતાં મોત

ભાવનગરઃ નાના બાળકો સાથે થતી અકસ્માતની ઘટનાઓ અવારનવાર ઘટતી હોય છે. ત્યારે ફરીથી આવી જ એક ઘટના સામે આવી છે જે વાલીઓ માટે ચેતવણીરૂપ છે.

ભાવનગરઃ નાના બાળકો સાથે થતી અકસ્માતની ઘટનાઓ અવારનવાર ઘટતી હોય છે. ત્યારે ફરીથી આવી જ એક ઘટના સામે આવી છે જે વાલીઓ માટે ચેતવણીરૂપ છે. ભાવનગર શહેરની સર.ટી હોસ્પિટલ સામે આવેલ અનુપમા બંગલાની આ ઘટના છે જયાં ગઈકાલે સાંજના સુમારે એક 9 વર્ષનું બાળક રમી રહ્યું હતું અને રમતા-રમતા અચાનક 80 ફુટ ઉંડા કુવામાં પડી ગયું હતું.

બાળકોનું ધ્યાન રાખવું ખુબ જ જરુરી હોય છે. ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો છે. સર.ટી હોસ્પિટલ સામે આવેલ અનુપમા બંગલા પાસે 9 વર્ષનું બાળક રમતાં-રમતાં બંગલા પાસે આવેલા કુવામાં પડી ગયું હતું. બનાવ અંગેની જાણ ફાયર વિભાગની કરાતા 80 ફૂટ ઊંડા કૂવામાંથી બાળકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આરૂષ શાહ નામના ૯ વર્ષીય બાળકને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે એ.ડીવીઝન પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. 

નવસારી: એક જ પરિવારના 5 લોકોની અંતિયાત્રા નિકળતા ગામમાં શોકનો માહોલ

નવસારી: કસ્બા ધોળાપીપળા માર્ગ પર ગઈકાલે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. ગઈકાલે સાંજના સમયે ઈકો કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક જ કુટુંબના પાંચ લોકોના મોત નિપજ્યા હતા. જેમા નવસારી ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હતી. સંજય ધ્રુવ ઠાકુર નામનો ડ્રાઈવર અકસ્માત કરી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ટ્રક પર મુકેલ કન્ટેનર શિવ ગણેશ લોજિસ્ટિકનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ડ્રાઇવરે અકસ્માત કેવી રીતે સર્જયો એ અંગે પૂછપરછ ચાલુ છે. તો બીજી તરફ આજે અકસ્માતમાં મોતને ભેટેલા 5 લોકો સમરોલી ગામેથી એક સાથે અંતિમયાત્રા નીકળતા ગામનું વાતાવરણ ગમગી બની ગયું હતું. આ અંતિમયાત્રામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ જોડાયા હતા.

સોમવારે થયો હતો અકસ્માત

કસ્બા ધોલાપીપલા માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં પુર ઝડપે દોડતા કન્ટેનર સાથે ઇકો કાર ભટકાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કન્ટેનર ઇકો કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોની મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ ત્રણ મૃતદેહોને બહાર કઢાયા છે અને કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ ચાલું છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget