શોધખોળ કરો

Eid-Ul-Fitr 2023: PM મોદી સહિત આ નેતાઓએ પાઠવી ઇદ અને અક્ષય તૃતિયાની શુભકામના, કહ્યું, સર્વ શાંતિ....

Eid-Ul-Fitr 2023: દેશભરમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈદના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી રહ્યાં. દેશભરની મસ્જિદોમાં લોકો નમાઝ અદા કરવા પહોંચી રહ્યા છે.

Eid-Ul-Fitr 2023: દેશભરમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈદના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી રહ્યાં. દેશભરની મસ્જિદોમાં લોકો નમાઝ અદા કરવા પહોંચી રહ્યા છે.

દેશમાં શનિવારે (22 એપ્રિલ) ઈદ અને અક્ષય તૃતીયાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. સવારથી જ લોકો મસ્જિદ અને મંદિરોમાં પહોંચી રહ્યાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ઈદ-ઉલ-ફિત્ર અને અક્ષય તૃતીયાની શુભકામનાઓ પાઠવી છે. ઈદની શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ કહ્યું કે, આપણા સમાજમાં સૌહાર્દ અને કરુણાની ભાવનાને આગળ વધારવી જોઈએ. હું દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.   અન્ય ઘણા નેતાઓએ પણ લોકોને ઈદ અને અક્ષય તૃતીયાની શુભેચ્છા પાઠવી છે.

ઈદ-ઉલ-ફિત્રના અવસર પર પટનાના ગાંધી મેદાનમાં લોકોએ નમાજ અદા કરી. મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ મેદાનની મુલાકાત લીધી હતી અને સૌને ઇદના અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ તમામને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ઈદ મુબારક, આ શુભ તહેવાર બધા માટે શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવે.

ખડગેએ ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી હતી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટ્વિટર દ્વારા ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ પાઠવી હતી. ઈદના આનંદના અવસર પર મારા દેશવાસીઓને શુભેચ્છાઓ. ઈદ બધામાં બંધુત્વ, સહાનુભૂતિ અને સહભાગિતાની લાગણીઓને જાગૃત કરે છે અને આપણા લોકોના બહુલવાદી બંધનોને મજબૂત બનાવે છે. આ તહેવાર સમૃદ્ધિ લાવે અને માનવતાની સેવા કરવાનો અવસર બની રહે.

મમતા બેનર્જીએ શાંતિ જાળવવા અપીલ કરી છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તમામને ઈદની શુભેચ્છા પાઠવી છે. આ સાથે તેમણે દરેકને શાંતિ જાળવવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ બધાને ઈદ મુબારક કહ્યું, અલ્લાહ ઉપવાસ રાખનારા બધાને સલામત રાખે. મુખ્યમંત્રી અને TMC સાંસદ અભિષેક બેનર્જી કોલકાતાના રેડ રોડ પર પહોંચ્યા જ્યાં લોકોએ ઈદ-ઉલ-ફિત્રના અવસર પર નમાજ અદા કરી અને તેને લોકોને શુભકામના પાઠવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું, "હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈઓ અને બહેનોને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવું છું. પ્રેમ અને કરુણાનો તહેવાર ઈદ આપણને બીજાને મદદ કરવાનો સંદેશ આપે છે. આવો, ઉજવણીના આ ખુશહાલ અવસર પર, અમે તમામ સમાજોમાં ભાઈચારો અને પરસ્પર સંવાદિતા વધારવાના માર્ગ પર આગળ વધવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.

ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના ચીફ ગુલામ નબી આઝાદે પણ ઈદની શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું, હું ઇસ્લામમાં વિશ્વાસ કરનારને સલામ કરું છું. છેલ્લા બે-ત્રણ વર્ષ પછી પહેલીવાર આપણા દેશમાં આટલા બધા લોકો ભેગા થયા છે. આપણા દેશમાંથી નફરતની દીવાલો ભૂંસાઈએ અને લોકો ઈદની જેમ ઉજવણી કરતા રહે. હિંદુ, મુસલમાન અને શીખ વચ્ચેની નફરતનો અંત આવે, આ મારી પ્રાર્થના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.