શોધખોળ કરો

ગાંધીનગરની છત્રાલ GIDCમાંથી 79 લાખ રૂપિયાનું 16 હજાર કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમે બાતમીના આધારે તપાસ હાથ ધરતા ઘીમાં ભેળશેળ થતી હોવાનું ધ્યાને આવ્યું.

Gandhinagar: ગાંધીનગરમાં 16 હજાર કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. જેની અંદાજિત કિંમત થાય છે 79 લાખ રૂપિયા છે. છત્રાલ GIDCમાં આવેલી સ્વાગત પ્રોડક્ટ નામની પેઢી પર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે દરોડો પાડ્યો હતો. ઘીની સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ઘીમાં ભેળસેળ કરાતી હોવાનું ધ્યાને આવતા ઘીના 15 નમૂના લેવામાં આવ્યા છે. જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. જ્યારે 16 હજાર કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમે બાતમીના આધારે તપાસ હાથ ધરતા ઘીમાં ભેળશેળ થતી હોવાનું ધ્યાને આવતા શંકાસ્પદ ઘીનો રૂ. ૭૯ લાખની કિંમતનો ૧૬,૦૦૦ કિ.ગ્રા જથ્થો જપ્ત કરાયો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા છત્રાલ જી.આઈ.ડી.સી ખાતેની મે. સ્વાગત પ્રોડક્ટ ખાતે રેડ કરતા ત્યાં ઘી સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા હતા, જેને ઘીમાં ભેળવીને વેચાણ થતું હોવાની શંકાના આધારે પેઢીના માલિક જીગર પટેલની હાજરીમાં ઘીના ૧૫ નમૂના લેવામાં આવ્યા. જ્યારે બાકીનો રૂ. ૭૯ લાખની કિંમતનો ૧૬,૧૫૯ કિ.ગ્રા. જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો હતો.


ગાંધીનગરની છત્રાલ GIDCમાંથી 79 લાખ રૂપિયાનું 16 હજાર કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

નોંધનીય છે કે, ભેળસેળવાળુ ઘી ખૂબ જ સસ્તામાં તૈયાર થાય છે. જેના કારણે તેને અન્ય કરતા ઓછા ભાવે વેચીને પણ નફો મેળવી શકાય છે. આવી સ્થિતિમાં, લોકો વિચાર્યા વિના સસ્તામાં ઘીનો અમૂલ્ય લાભ મેળવવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ ભેળસેળવાળું ઘી શરીરને કોઈ ફાયદો નથી પહોંચાડતું, ઊલટું નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં, નકલી ઘી ઓળખવા માટે અમે તમારી સાથે ખૂબ જ સરળ ઉપાયો શેર કરી રહ્યા છીએ.

ઘીમાં ભેળસેળ કરવા માટે વનસ્પતિ તેલ, ઓગાળેલા માખણ, ડાલ્ડા અને હાઇડ્રોજનયુક્ત તેલ જેવા સસ્તા અને નબળી ગુણવત્તાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તેમાં છૂંદેલા બટાકા અને શક્કરિયા પણ મિક્સ કરવામાં આવે છે.

મીઠું મિનિટોમાં ઘીની શુદ્ધતા ઓળખી શકે છે. આ માટે એક વાસણમાં બે ચમચી ઘી મૂકો. આ વાસણમાં એક કે બે ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ 1/2 ચમચી મીઠું ભેળવીને મિશ્રણ તૈયાર કરો. હવે લગભગ 20 મિનિટ સુધી ઘી છોડ્યા પછી તેનો રંગ ચેક કરો. જો ઘી લાલ કે અન્ય કોઈ રંગનું દેખાય તો તે ભેળસેળવાળું છે.

ઘીમાં ભેળસેળ છે કે નહીં તે ઓળખવા માટે પહેલા એક ગ્લાસમાં પાણી ભરો. પછી એક ચમચીમાં ઘી કાઢીને તેમાં નાખો. જો ઘી પાણીમાં તરતા લાગે તો તે શુદ્ધ છે. ઊલટું જો ઘી પાણીમાં ડૂબી જાય તો તેમાં ભેળસેળ થાય છે.

ઘી અસલી છે કે નકલી તે ઓળખવા માટે તમારી હથેળી પર એક ચમચી ઘી લો અને તેને સારી રીતે ઘસો. લગભગ 10-12 મિનિટ સુધી આમ કર્યા પછી તેને સૂંઘી લો. જો ઘીમાં ગંધ ન હોય તો તે ભેળસેળયુક્ત છે. કારણ કે શુદ્ધ ઘીમાં એક અલગ જ મજબૂત સુગંધ હોય છે.

ઘી શુદ્ધ છે કે નહીં તે ઓળખવા માટે તમે તેને ઉકાળીને ચકાસી શકો છો. આ માટે એક વાસણમાં 3-4 ચમચી ઘી ઉકાળો અને તેને 24 કલાક માટે તે જ વાસણમાં ઠંડુ થવા માટે છોડી દો. સમય પૂરો થયા પછી ઘી ચેક કરો. જો ઘીનો રંગ હજી પણ પીળો હોય, તે સંપૂર્ણ રીતે જામ્યો ન હોય, અને તેની ગંધ પહેલાની જેમ જ મજબૂત રહે તો તે શુદ્ધ ઘી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ ભારે વરસાદની આગાહી
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ભારે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Khambhat News: ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ પર લાંચ માગવાનો આરોપ
Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
Ahmedabad News: AMCની મોટી કાર્યવાહી, અખાદ્ય ખોરાક અને સ્વચ્છતા મુદ્દે સાત એકમોને કરાયા સીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
Shrawan 2025: શ્રાવણ માસમાં બિલ્વપત્ર અર્પણ કરતી સમયે આ મંત્રનો કરો જાપ, મહાદેવ થશે પ્રસન્ન
Shrawan 2025: શ્રાવણ માસમાં બિલ્વપત્ર અર્પણ કરતી સમયે આ મંત્રનો કરો જાપ, મહાદેવ થશે પ્રસન્ન
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
Embed widget