શોધખોળ કરો

ગુજરાત સરકારના કોરોનાનો ભોગ બનેલા કયા મંત્રીને અમદાવાદ હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ?

ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલ ગત રવિવારે કોરોના સંક્રમિત થયા હતા. સંક્રમિત થયા બાદ તેવો ધ્રોલ નિવાસ સ્થાને હોમઆઈસોલેટ હતા. આજે સવારે રાઘવજી પટેલેને અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમાં ખસેડાયા  છે.

જામનગરઃ ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલ ગત રવિવારે કોરોના સંક્રમિત થયા હતા. સંક્રમિત થયા બાદ તેવો ધ્રોલ નિવાસ સ્થાને હોમઆઈસોલેટ હતા. આજે સવારે રાઘવજી પટેલેને અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા  છે. વિશેષ કાળજી અને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર જયેન્દ્ર પટેલે તબિયત સારી હોવાનું જણાવ્યું છે. 

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,781 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,28,192 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 309 લોકો વેન્ટીલેટર પર છે. 1,27,883 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,69,234 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10323 લોકોના મોત થયા છે. 

બીજી તરફ 20,829  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 2,17,441 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5248, વડોદરા કોર્પોરેશનમાં 2412, સુરત કોર્પોરેશનમાં 834,   રાજકોટ કોર્પોરેશનમાં 944, વડોદરામાં 604, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, મહેસાણામાં 403, સુરતમાં 394, કચ્છમાં 312, રાજકોટમાં 291, આણંદમાં 245, ભાવનગર કોર્પોરેશનમાં 233, પાટણમાં 230, ગાંધીનગરમાં 202, જામનગર કોર્પોરેશનમાં 201, ખેડામાં 200, ભરૂચમાં 158, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં, 136, નવસારીમાં 132, મોરબીમાં 125, વલસાડમાં 117, અમરેલીમાં 95, અમદાવાદમાં 77, સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, જામનગરમાં 44, જૂનાગઢમાં 42, પોરબંદરમાં 42, દાહોદમાં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, દેવભૂમિ દ્વારકામાં 35, તાપીમાં 33, ગીર સોમનાથમાં 28, ભાવનગરમાં 26, ડાંગમાં 17, છોટા ઉદેપુરમાં 9, નર્મદામાં 8, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, બોટાદમાં 3 નવા કેસ નોંધાયા હતા.

 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1,28,192 કેસ છે. જે પૈકી 309  વેન્ટીલેટર પર છે, જ્યારે 1,27,883 નાગરિકો સ્ટેબલ છે. 9,69,234 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,323 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા  કોર્પોરેશનમાં 1,  સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત 2, જામનગર કોર્પોરેશનમાં એક, વલસાડમાં બે, અને જામનગરમાં એક દર્દીનું મોત થયું છે.

દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. વધતા મામલા અનેક દિવસોથી બ્રેક લાગી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 7498 કેસ નોંધાયા છે અને 29 લોકોના મોત થયા છે.

ગઇકાલની સરખામણીએ આજે કેસમાં વધારો થયો છે. મંગળવારે દિલ્હીમાં કોરોનાના નવા 5760 કેસ નોંધાયા હતા અને 30 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પરંતુ આજે આંકડો 7498 પર પહોંચ્યો છે. દિલ્હીમાં સંક્રમણનો દર 10.59 ટકા નોંધાઇ રહ્યો છે અને એક્ટિવ કેસ 38315 પર પહોચી ગયા છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર 56737 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.  અગાઉની સરખામણીએ કેટલાક દિવસોથી સતત ટેસ્ટિંગ જરૂર થોડા થયા છે પરંતું સંક્રમણ દરમાં ઘટાડો થવાથી સારા સંકેત આપી રહ્યા છે. દિલ્હી સરકારનું માનવું છે કે હવે કોરોનાની પીક પસાર થઇ ગઇ છે અને આવનારા દિવસોમાં કેસમાં હજુ ઘટાડો થશે.

સરકારના આંકડા અનુસાર 15420 કોરોના બેડમાંથી હવે ફક્ત 2137 ભરેલા છે. એવામાં 13 હજારથી વધુ બેડ ખાલી છે. આવતીકાલ ડીડીએમએની એક મહત્વની બેઠક છે. આ બેઠકમાં કેટલાક નિયંત્રણો હટાવવા પર વિચાર થઇ શકે છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
Advertisement

વિડિઓઝ

Jetpur-Porbandar Rain: જેતપુર-પોરબંદર નેશનલ હાઈવે પર ભારે વરસાદ | Rain Updates | 24-7-2025
Ahmedabad: મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યૂઝ, આ રૂટ પર દર 7 મીનિટે મળશે મેટ્રો
Rajkot News: નાયબ કલેક્ટરનું તઘલખી ફરમાન, શ્રાવણ માસ દરમિયાન 4 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા હુકમ
Rajkot-Morbi:રાજકોટ-મોરબી હાઈવે પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય, જુઓ રિયાલિટી ચેક
Gujarat ATS In Action: આતંકવાદ પર ATSની સ્ટ્રાઈક, આરોપીઓ કરતા હતા આવા કામ; જુઓ વીડિયોમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
જસદણ પ્રાંત અધિકારીનો તઘલખી પરિપત્ર રદ, શિક્ષકોને VIPના ભોજનની સોંપી હતી જવાબદારી
જસદણ પ્રાંત અધિકારીનો તઘલખી પરિપત્ર રદ, શિક્ષકોને VIPના ભોજનની સોંપી હતી જવાબદારી
ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ
ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
Embed widget