શોધખોળ કરો

Gujarat: શક્તિસિંહની એન્ટ્રી બાદ ભરતી મેળો શરૂ, આ ત્રણ જિલ્લાના આપના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે

શક્તિસિંહ ગોહિલની ગુજરાતની રાજકારણમાં ફરી એન્ટ્રી થતાં જ હવે કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે.

Gujarat: ગુજરાતમાં ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસ પાર્ટીએ પણ આગામી લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ કેન્દ્રીય નેતા શક્તિસિંહ ગોહિલને ગુજરાતમાં કોંગ્રેસની કમાન સોંપાઇ છે, શક્તિસિંહ ગોહિલની ગુજરાતની રાજકારણમાં ફરી એન્ટ્રી થતાં જ હવે કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે કોંગ્રેસમાં નવા નેતાઓની અવરજવર શરૂ થઇ ગઇ છે. હાલમાં ત્રણ જિલ્લામાંથી આપના નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યો છે. સુત્રો અનુસાર, રાજ્યમાં ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લાના આપના 20થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યો છે, આ નેતાઓમાં આપના જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના નાના મોટા નેતાઓ અને સામાજિક અગ્રણીઓ સામેલ છે. 

લોકસભા ચૂંટણી 2024, અત્યાર સુધીમાં થયેલા તમામ સર્વેમાં કોની સરકાર બનવાનો અંદાજ - 

આગામી લોકસભા ચૂંટણી 2024 માટે, કોંગ્રેસ, TMC સહિત 24 વિરોધ પક્ષોએ NDAનો સામનો કરવા માટે INDIA ગઠબંધનની રચના કરી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન પણ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે, અત્યાર સુધી ઘણી ચેનલોએ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીની બેઠકોને લઈને સર્વે હાથ ધર્યો છે. ત્રણ મહત્વપૂર્ણ સર્વેના પરિણામો દ્વારા જાણો, NDA-INDIA ગઠબંધનમાં કોણ આગળ છે, કોને કેટલી સીટો મળવાની ધારણા છે? જો ત્રણેય સર્વેક્ષણો પર નજર કરીએ, તો નવીનતમ સર્વે ટાઇમ્સ નાઉ ઇટીજીનો છે, જે 15 જૂનથી 13 ઓગસ્ટની વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર એનડીએ અને INDIAના ગઠબંધનના વોટ શેરમાં માત્ર બે ટકાનો તફાવત જોવા મળ્યો છે. ત્રણેય સર્વે દ્વારા જાણીએ કે ચૂંટણીના મતદાનમાં કોને ફાયદો થવાની ધારણા છે અને કોની હાર થવાની છે?

ટાઈમ્સ નાઉ ETG સર્વેનો અંદાજ?

આ સપ્તાહની શરૂઆતમાં જાહેર કરાયેલા આ સર્વે અનુસાર એનડીએને 296થી 326 બેઠકો મળવાની આશા છે. કોંગ્રેસ સહિત વિપક્ષી INDIA ગઠબંધનને 160 થી 190 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે YRCP પાર્ટીને 24 થી 25 બેઠકો, BJDને 12 થી 14 બેઠકો, BRSને 9 થી 11 બેઠકો અને અન્યને 11 થી 14 બેઠકો મળવાની ધારણા છે. એકલા ભાજપની વાત કરીએ તો પાર્ટીને 288 થી 314 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસને 62થી 80, AAPને 5-7, TMCને 22-24 બેઠકો મળી શકે છે.

કોને કેટલો વોટ શેર?

એનડીએ - 42.60 ટકા

INDIA - 40.20 ટકા

YSRCP - 2.67 ટકા

બીજેડી - 1.75 ટકા

BRS - 1.15 ટકા

અન્ય - 11.63 ટકા


Gujarat: શક્તિસિંહની એન્ટ્રી બાદ ભરતી મેળો શરૂ, આ ત્રણ જિલ્લાના આપના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે

ઇન્ડિયા ટીવી સીએનએક્સ સર્વેમાં કોને કેટલી સીટો મળી ?

ઈન્ડિયા ટીવીનો આ સર્વે ઈન્ડિયા એલાયન્સની રચના પછી કરવામાં આવ્યો છે, જેના પરિણામો જુલાઈના અંતમાં જાહેર કરવામાં આવ્યા હતા. સર્વેના આંકડા અનુસાર, NDAને કુલ 543 બેઠકોમાંથી 318 બેઠકો, વિપક્ષી INDIA ગઠબંધનને 175 બેઠકો અને અન્યને 50 બેઠકો મળવાનો અંદાજ છે. વોટ શેર જોતા એ વાત સામે આવી છે કે બીજેપીને આગામી 42.5 ટકા વોટ મળશે. જ્યારે INDIA એલાયન્સને 24.9 ટકા વોટ શેર અને અન્યને 33 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે.

ઈન્ડિયા ટુડેનો સર્વે શું કહે છે?

ઈન્ડિયા ટીવીનો મૂડ ઓફ ધ નેશન સર્વે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવ્યો હતો. જે મુજબ, એનડીએને 298 બેઠકો, યુપીએ (INDIA ગઠબંધનની રચના થઈ ન હતી) 153 બેઠકો અને અન્યને 92 બેઠકો મળવાનો અંદાજ હતો. ભાજપને પોતાના દમ પર 284 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને 68 અને અન્યને 191 બેઠકો મળી શકે છે.

વોટ શેર?

એનડીએ - 43 ટકા

યુપીએ - 30 ટકા

ભાજપ - 39 ટકા

કોંગ્રેસ - 22 ટકા

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget