શોધખોળ કરો

મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર, જાણો શું કહ્યું?

Supreme Court on Morbi Bridge Collapse: ગુજરાતના મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.

Morbi Bridge Collapsed: ગુજરાતના મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું- અત્યારે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો. ગયા વર્ષે 30 ઓક્ટોબરના રોજ થયેલા આ અકસ્માતમાં કુલ 135 લોકોના મોત થયા હતા. જયસુખ પટેલ બ્રિજની જાળવણી કરતી કંપની ઓરેવાના એમડી છે.

આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો. 135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. જે પછી મોરબી પોલીસે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.

જયસુખ પટેલના પિતા અને ભારતના “દીવાલ ઘડિયાળના પિતા” ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને ‘ઓરેવા ગ્રૂપ’ની સ્થાપના કરી હતી. આ કંપનીનું નામ તે વખતે ‘અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર’ હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી. જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં ‘અજંતા કંપની’ ઓધવજીના નામે થઈ.

આ દાયકામાં ઓધવજીએ ‘ક્વાટર્ઝ ઘડિયાળ’ બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની, એટલું જ નહીં ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો.

મોરબીમાં ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા.                                             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ | દિવસે બંધ કરાવો ડમ્પરHun To Bolish: હું તો બોલીશ | રાજનીતિમાં મહિલાઓનું માન કેમ નહીં?Surendranagar: ચોટીલાના રાજાવડના યુવકની હત્યાનો મામલે મ્રુતકના પરિવારજનોએ ચોટીલા થાન રોડ ચક્કાજામ કર્યોBhavnagar: રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, 26 વર્ષીય ચેતન ભાલિયા નામના યુવકનું મોત નીપજ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
PBKS vs RCB: કરો યા મરો મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, પંજાબ કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર
PBKS vs RCB: કરો યા મરો મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, પંજાબ કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર
Vodafone Idea Share: વોડાફોન આઈડિયાનો શેર 25 રુપિયા સુધી જઈ શકે છે, સિટી રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો દાવો
Vodafone Idea Share: વોડાફોન આઈડિયાનો શેર 25 રુપિયા સુધી જઈ શકે છે, સિટી રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો દાવો
2024 Maruti Swift: માઈલેજના મામલે નંબર-1 છે નવી મારુતિ સ્વિફ્ટ, આ કારને આપી રહી છે ટક્કર
2024 Maruti Swift: માઈલેજના મામલે નંબર-1 છે નવી મારુતિ સ્વિફ્ટ, આ કારને આપી રહી છે ટક્કર
ChatGPT બનાવનાર સેમ ઓલ્ટમેને AIને લઈને આપી ગંભીર ચેતવણી, 'ચિંતામાં છું...'
ChatGPT બનાવનાર સેમ ઓલ્ટમેને AIને લઈને આપી ગંભીર ચેતવણી, 'ચિંતામાં છું...'
Embed widget