શોધખોળ કરો

Lata Mangeshkar Death: રાજુલાના આ વ્યક્તિએ 27 વર્ષ કરી લતા દીદીની સેવા, લતાજીએ તેના સંતાનોનું કર્યું નામકરણ, જાણો વિગત

Lata Mangeshkar Death: લતા દીદીની સાથે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામના વતની મહેશભાઈ રાઠોડ છેલ્લા 27 વર્ષોથી પડછાયાની જેમ રહેતા હતા

Lata Mangeshkar Death: લતા મંગેશકરનું  રવિવારે 92 વર્ષની વયે નિધન થયું છે. લતા દીદીની સાથે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામના વતની મહેશભાઈ રાઠોડ છેલ્લા 27 વર્ષોથી પડછાયાની જેમ રહેતા હતા. લતા દીદી મહેશભાઈ રાઠોડને દીકરા કરતા વિશેષ રાખતા હતા. લતા દીદીને સાંઈબાબા ઉપર અપાર શ્રદ્ધા હતી. મહેશભાઈ રાઠોડના વતનમાં જ્યારે સાઈબાબાનું મંદિર બનાવવાનું હતું ત્યારે લતા દીદીનો બહુમૂલ્ય ફાળો હતો. સાઈબાબાનું મંદિર મોરંગી ખાતે જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે લતા દીદીએ મહેશભાઈ રાઠોડને જે જરૂર પડે તે હું આપીશ તેમ કહેલું હતું.

મહેશભાઈ રાઠોડને લતાજીના નિધનના સમાચાર તેમના નજીકના મિત્ર નિકુંજ પંડીત પાસેથી મળ્યા હતા.આ સમાચાર સાંભળીને તેઓ પણ ભાંગી પડ્યા હતા. લતાજી તેમને 2001થી રાખડી બાંધતા હતા. તેમના પત્ની મનીષાએ કહ્યું, 2001માં દીદીએ અચાનક મહેશના કાકાને ફોન કર્યો અને તેમના નિવાસ સ્થાન પ્રભુકુંજ પહોંચવા કહ્યું. જ્યારે મારા પતિ પહોંચ્યા ત્યારે દીદી તેમની રાખડી બાંધવા માટે રાહ જોતા હતા.

સંતાનોના નામ પાડ્યા હતા લતા મંગેશકરે

લતાજીએ તેમની ત્રણ પુત્રી અને એક પુત્રના નામ પણ પાડ્યા હતા. જે તેમના માટે આજીવન સ્મૃતિ રહેશે. તેણે ગાયત્રી (19), રાજેશ્વરી (12), શ્રદ્ધા (10) અને 2015માં જન્મેલા પુત્ર ઋષિકેશનું નામકરણ કર્યું હતું. મનીષાએ કહ્યું, શ્રદ્ધાનો જન્મ સવારે 8 વાગ્યે થયો હતો અને તેમની ગાડીએ વાછરડીને જન્મ તેના 20 મિનિટ પછી આપ્યો હતો. લતા દીદીએ મારી દીકરીનું નામ શ્રદ્ધા અને વાછરડીનું નામ સબુરી રાખ્યું હતું.

પહેલા ડ્રાઇવર અને બાદમાં પીએ બન્યા

શરૂઆતમાં મહેશભાઈ રાઠોડ લતા દીદીના ડ્રાઇવર તરીકે રહ્યા હતા. ત્યાર બાદ મહેશભાઈ રાઠોડ લતા દીદીના તમામ કામ કરતા કરતા તેઓ લતા દીદીના પી.એ બની ગયા. મહેશભાઈ રાઠોડને લતા દીદી પરિવારના એક સભ્યની જેમ રાખતા હતા. લતા દીદીનો પડ્યો બોલ મહેશભાઈ ઝીલી લેતા. કોઈ પણ કામ હોય લતા દીદી મહેશભાઈને કહેતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
કેરળની નર્સ નિમિષા પ્રિયાને રાહત નહીં, મોતની સજા રદ કરવાના દાવા વિદેશ મંત્રાલયના સૂત્રએ ગણાવ્યા ખોટા
કેરળની નર્સ નિમિષા પ્રિયાને રાહત નહીં, મોતની સજા રદ કરવાના દાવા વિદેશ મંત્રાલયના સૂત્રએ ગણાવ્યા ખોટા
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast:  આગામી 1 કલાક રાજ્યના 9 જિલ્લા માટે ભારે, જુઓ કયા કયા જિલ્લા માટે છે આગાહી?
Gujarat Rain Forecast: બે દિવસ ગુજરાતમાં વરસાદ કાઢશે ભુક્કા! ચોંકાવનારી આગાહી, જુઓ અહેવાલ
Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
કેરળની નર્સ નિમિષા પ્રિયાને રાહત નહીં, મોતની સજા રદ કરવાના દાવા વિદેશ મંત્રાલયના સૂત્રએ ગણાવ્યા ખોટા
કેરળની નર્સ નિમિષા પ્રિયાને રાહત નહીં, મોતની સજા રદ કરવાના દાવા વિદેશ મંત્રાલયના સૂત્રએ ગણાવ્યા ખોટા
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
Embed widget