શોધખોળ કરો

Navsari: માતા-પિતાના ઝઘડામાં પિતાએ બાળકને સાતમા માળેથી નીચે ફેંક્યુ, બાદમાં પિતાની પણ આત્મહત્યા

નવસારી શહેરમાં એક ક્રૂરતા ભરેલી ઘટના ઘટી છે, નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં એક દંપતિ, પતિ-પત્નિના ઝઘડામાં ચાર વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો છે.

Navsari News: નવસારીમાં એક ક્રૂરતા ભરેલી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાંખ્યુ છે, શહેરમાં એક દંપતિના ઝઘડાએ એક માસૂમ બાળકનો જીવ લીધો છે. નવસારીના જૂના થાણા વિસ્તારમાં એક દંપતિ વચ્ચે પોતાના બાળકને લઇ જવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં પિતાએ પહેલા પોતાના બાળકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધુ હતુ અને બાદમાં ખુદે પણ સાતમા માળેથી પડતુ મુકીને મોતને વ્હાલુ કર્યુ હતુ. આ ઘટના બાદ પોલીસે પતિ વિરુદ્ધ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે, નવસારી શહેરમાં એક ક્રૂરતા ભરેલી ઘટના ઘટી છે, નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં એક દંપતિ, પતિ-પત્નિના ઝઘડામાં ચાર વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો છે. મૃતક બાળકનું નામ દ્વિજ ગોસ્વામી છે, જેને તેના પિતા રાકેશ ગોસ્વામી જે છૂટક મજૂરી કામ કરતો હતો. ખાસ વાત છે કે, પતિ અને પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અણબનાવ હતો, પતિ છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત કામ ન હતો કરતો, અને પતિએ પોતાના પતિને કામ ધંધા અર્થે ટકોર કરી હતી, આ પછી બન્ને 9 માસથી જુદા રહેતા હતાં. અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે હાલમાં જ પોતાના બાળકને લઇ જવા બાબતે જોરદાર ઝઘડો થયો હતો, પતિ પોતાના બાળકને લઇ જવાનો પ્રયાસ કરતો હતો, અને પત્નીએ તેને રોક્યો હતો, આ પછી પતિ પોતાના બાળકને લઇને સરકારી વસાહતની બિલ્ડીંગના સાતમા માળે ચઢી ગયો હતો, આ દરમિયાન પોલીસ અને ફાયર જવાનોએ તેનો રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, તેને પહેલા બાળકને નીચે ફેંકી દીધુ હતુ અને પછી તેને ખુદ બિલ્ડિંગ પરથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં પોલીસે બાળકને નીચે ફેંકવા બદલ આરોપી રાકેશ ગોસ્વામી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો, અને સાથે સાથે તેને આત્મહત્યા કરી તેથી તેના વિરૂદ્ધ પણ અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

ગોંડલમાં ખેતરના કૂવામાંથી મળ્યો પ્રેમી પંખીડાનો મૃતદેહ

 રાજકોટ ગોંડલના ઉમવાડા રોડ પર તુલસી એગ્રીની બાજુના ખેતરના કૂવામાંથી યુવક યુવતિના મૃતદેહ મળ્યા હતા. ગૌશાળામાં કામ કરતા લાખાભાઈ વાલાભાઈ ધાનોયા (ઉ.વ.22 ) અને માલીબેન ભોજાભાઈ ગુજરીયા (ઉ.વ.19) ના મૃતદેહ મળ્યા હતા. કૂવાની બાજુમાંથી ઝેરી દવા અને ચંપલ સહિતની વસ્તુઓ મળી આવી હતી. મૃતક યુવક યુવતિ રાત્રીના 2:30 કલાકે બાઈક અને પગપાળા ખેતર નજીક આવ્યા હોવાના CCTV પણ સામે આવ્યા છે. ગોંડલ નગર પાલિક ફાયર બ્રિગેડે મૃતકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા. પ્રેમી પંખીડાઓનું મોત ઝેરી દવા પીવાથી થયું કે કુવામાં ડૂબવાથી થયું તેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે બંને મૃતદેહનો ફોરેન્સિક પીએમ કરવાનો નિર્ણય કર્યો છે. ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

CCTVમાં થયા કેદ

કુવા પાસેથી ઝેરી દવાની બોટલ, ચંપલ મળ્યા

મૃતક યુવાન અને યુવતિએ જ્યાં આપઘાત કર્યો ત્યાં કુવા પાસેથી યુવકના ચંપલ અને સાથે ઝેરી દવાની બોટલ મળી આવી હતી. ગોંડલ B-ડિવિઝન પોલીસ અને ગોંડલ ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને કુંવામાંથી યુવક-યુવતીના મૃતદેહને બહાર કાઢ્યા હતા. બંને પ્રેમી પંખીડાની બોડી પીએમ અર્થે પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ અને બાદમાં ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પી.એમ.રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે દવા પીને આત્મહત્યા કરી છે કે શું?. પીએમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
Advertisement

વિડિઓઝ

Mumbai Rain: મુંબઈમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રેલવે સેવા થઈ પ્રભાવિત, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : જમીનનું વળતર સારું મળવાના સંકેત
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ જંતુ
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓએ કેટલા લૂંટ્યા?
Anand Murder : આણંદમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાથી ખળભળાટ, પોલીસે હાથ ધરી તપાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget