શોધખોળ કરો

Punjab Election Result: રાજભવનમાં નહીં પણ આ જગ્યાએ મુખ્યમંત્રી પદના શપથ લેશે ભગવંત માન, જાણો વિગતે

ભગવંત માન આજે દિલ્લી જશે અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલને શપથ સમારોહ કાર્યક્રમનું આમંત્રણ આપશે. આજે બપોરે 12.30 વાગ્યે અરવિંદ કેજરીવાલ પંજાબની જીત પર પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

Punjab Election Result: પંજાબમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે. પંજાબ વિધાનસભામાં 117 સીટોમાંથી 92 સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. આ ભવ્ય જીત બાદ આપના કાર્યકરોમાં જશ્નનો માહોલ છે. ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને આ શપથ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે આપના કાર્યકરો આયોજનમાં લાગી ગયા છે. ભગવંત માન આજે દિલ્લી જશે અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલને શપથ સમારોહ કાર્યક્રમનું આમંત્રણ આપશે.

ભગવંત માન શહીદ ભગત સિંહના ગામમાં શપથ લેશેઃ

પંજાબમાં આમ આદમી પાર્ટીએ પોતાની ઐતિહાસિક જીતથી તમામ વિરોધીઓને ચોંકાવી દીધા. પંજાબના દિગ્ગજ નેતાઓ પણ આ ચૂંટણી હારી ગયા છે. જંગી જીત બાદ હવે આમ આદમી પાર્ટી પહેલીવાર પૂર્ણ રાજ્યમાં સરકાર બનાવવાની કવાયતમાં લાગી છે. શપથ ગ્રહણ સમારોહ પણ ટૂંક સમયમાં યોજાનાર હોવાના અહેવાલ હાલ મળી રહ્યા છે. ચૂંટણી હારી ગયેલા સીએમ ચરણજીત સિંહ ચન્ની આજે રાજીનામું આપવા ચંદીગઢના રાજભવન જશે, ત્યારબાદ આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ભગવંત માન કેજરીવાલને મળવા દિલ્હી પહોંચશે અને તેમને શપથ ગ્રહણમાં હાજરી આપવા આમંત્રણ આપશે. જીત બાદ ભગવંત માને કહ્યું હતું કે, તેઓ શહીદ-એ-આઝમ ભગત સિંહના ગામ ખટકર કલાનમાં શપથ લેશે. મળતી માહિતી મુજબ, અરવિંદ કેજરીવાલ આજે પંજાબના પોતાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે પણ બેઠક કરી શકે છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતઃ
આજે બપોરે 12.30 વાગ્યે અરવિંદ કેજરીવાલ પંજાબની જીત પર પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ 117માંથી 92 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી છે. પંજાબના સમગ્ર ઈતિહાસમાં આ કોઈ એક પક્ષની સૌથી મોટી જીત માનવામાં આવે છે. અગાઉ 1992માં કોંગ્રેસે 87 બેઠકો જીતી હતી, પરંતુ 2022માં AAPની આ જીત માત્ર સંખ્યાની દૃષ્ટિએ મોટી નથી, પરંતુ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની સુનામીમાં મોટા રાજકીય દિગ્ગજો તૂટી પડ્યા છે. વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બંને બેઠકો પરથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિદ્ધુ પણ પોતાની સીટ બચાવી શક્યા નથી. આ સાથે 2 પૂર્વ મુખ્યમંત્રીઓ અમરિંદર સિંહ અને પ્રકાશસિંહ બાદલને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Advertisement

વિડિઓઝ

Chaitar Vasava: દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો
Hun To Bolish : હું તો બોલીશ : 27 દિવસ બાદ સફળતા
Hun To Bolish : હું તો બોલીશ : માણસ નહીં માનવતા મરી !
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસનું રિપોર્ટ કાર્ડ
Gambhira Bridge Tanker Rescue: બલુન કેપસુલની મદદથી ગંભીરા બ્રિજ પર લટકેલ ટેન્કર નીચે ઉતારાયું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
Embed widget