શોધખોળ કરો

Unseasonal rain: ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, આ દિવસે કમોસમી વરસાદની કરાઇ આગાહી

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહીને લઈ પ્રશાસન એલર્ટ બન્યું છે. ડિઝાસ્ટર વિભાગે ખેડૂતો અને સહકારી મંડળીઓને સૂચના આપી છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો માલ પલળી ન જાય તેની તકેદારી રાખવાની સૂચના આપી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

જો કે આજથી ઠંડીથી થોડી રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજથી તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી સુધી વધશે.. જેથી ઠંડીથી થોડી આંશિક રાહત મળશે. 29 જાન્યુઆરીથી ફરીથી કડકડતી ઠંડી પડશે. રાજ્યમાં બુધવારે નોંધાયેલા ઠંડીના આંકડાની વાત કરીએ તો દસ શહેરોમાં ઠંડીનો પારો દસ ડિગ્રી નીચે નોંધાયો હતો. 5.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચુ તાપમાન નોંધાયુ હતુ. તો રાજકોટમાં 8.7 ડિગ્રી, કેશોદમાં 8.9 ડિગ્રી, પોરબંદરમાં નવ ડિગ્રી, ગાંધીનગરમાં 9.2 ડિગ્રી,વલ્લભવિદ્યાનગરમાં 9.5 ડિગ્રી, ભૂજમાં 9.7 ડિગ્રી, ડીસામાં 9.8 ડિગ્રી, દિવ અને સુરેન્દ્રનગરમાં 9.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ અને અમરેલીમાં 10.4 ડિગ્રી તાપમાન તો મહુવામાં 10.6 ડિગ્રી, ભાવનગરમાં 12 ડિગ્રી, વેરાવળમાં 12.4 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, વલસાડમાં 12 ડિગ્રી, દ્વારકામાં 14.1 ડિગ્રી, તો સુરત અને દમણમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

Wheat Price Hike: ઘઉં-લોટના વધતા ભાવથી સરકારે આપી મોટી રાહત, જાણો શું લીધો મોટો નિર્ણય

Wheat Prices: ઘઉંના ભાવમાં ચાલી રહેલા વધારાને રોકવા માટે સરકાર તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે FCI ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ખુલ્લા બજારમાં તેના સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉંનું વેચાણ કરશે. જથ્થાબંધ અને છૂટક બજારોમાં ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો કરવા માટે FCI આ ઘઉંનું વેચાણ કરશે. લોટની સરેરાશ કિંમત વધીને લગભગ 38 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જે બાદ સરકારે આ નિર્ણય લીધો છે.

સૂત્રોએ જણાવ્યું કે ખાદ્ય મંત્રાલય ઓપન માર્કેટ સેલ સ્કીમ (ઓએમએસએસ) હેઠળ ખુલ્લા બજારમાં 30 લાખ ટન ઘઉંનું વેચાણ કરશે. અન્ય ઉપરાંત, ઘઉંનો સ્ટોક ફ્લોર મિલો અને વેપારીઓને વેચવામાં આવશે. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ 19 જાન્યુઆરીએ કહ્યું હતું કે ઘઉં અને લોટના છૂટક ભાવમાં વધારો થયો છે અને સરકાર ટૂંક સમયમાં વધતા દરોને નિયંત્રિત કરવા માટે પગલાં લેશે. સચિવે કહ્યું હતું કે એફસીઆઈના ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો પૂરતો સ્ટોક છે.

OMSS નીતિ હેઠળ, સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI), એક સરકારી માલિકીની એન્ટરપ્રાઈઝને, સમયાંતરે જથ્થાબંધ ગ્રાહકો અને ખાનગી વેપારીઓને પૂર્વ-નિર્ધારિત કિંમતો પર અનાજ, ખાસ કરીને ઘઉં અને ચોખાનું વેચાણ કરવાની મંજૂરી આપે છે. તેનો હેતુ ખાસ અનાજની બંધ સિઝન દરમિયાન તેનો પુરવઠો વધારવાનો અને સામાન્ય ખુલ્લા બજાર ભાવો પર લગામ લગાવવાનો છે. લોટ મિલોએ સરકારને એફસીઆઈ પાસે ઘઉંના સ્ટોકમાંથી અનાજ બજારમાં લાવવાની માંગ કરી હતી.

સ્થાનિક ઉત્પાદનમાં નજીવા ઘટાડા અને કેન્દ્રીય પૂલ માટે એફસીઆઈની પ્રાપ્તિમાં તીવ્ર ઘટાડા બાદ ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્રએ મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતનું ઘઉંનું ઉત્પાદન 2021-22 પાક વર્ષ (જુલાઈ-જૂન)માં ઘટીને 106.84 મિલિયન ટન થયું હતું જે અગાઉના વર્ષમાં 109.59 મિલિયન ટન હતું જે કેટલાક ઉત્પાદક રાજ્યોમાં હીટવેવની સ્થિતિને કારણે હતું. ગયા વર્ષે આશરે 43 મિલિયન ટનની ખરીદીની સામે આ વર્ષે ખરીદી ઘટીને 19 મિલિયન ટન થઈ છે. વર્તમાન રવિ સિઝનમાં ઘઉંના પાક હેઠળનો વિસ્તાર થોડો વધારે છે. ઘઉંના નવા પાકની ખરીદી એપ્રિલ, 2023થી શરૂ થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Embed widget