શોધખોળ કરો

ખુશખબર, ખેડૂતોને લૉન આપવા મોદી સરકારે શરૂ કરી આ યોજના, જાણો ક્યારે ને કઇ રીતે મળશે લાભ

Agriculture News: ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ કહ્યું કે, હાલમાં કૃષિ લૉનનો મોટો હિસ્સો પાક ઉત્પાદન માટે જાય છે, જ્યારે લણણી પછીની કામગીરી માટે લૉન માત્ર રૂ. 40,000 કરોડ છે

Agriculture News: પાકની લણણી બાદ ખેડૂતોને સરળતાથી લૉન મળી રહે તે માટે કેન્દ્ર સરકારે મોટી પહેલ કરી છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ રૂ. 1,000 કરોડની લૉન ગેરંટી યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યૂલેટરી ઓથોરિટી (WDRA) દ્વારા નોંધાયેલ ઈલેક્ટ્રોનિક નેગૉશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ્સ (e-NWR) સામે ખેડૂતોને લૉન આપવા માટે બેંકોની અનિચ્છા દૂર કરવાનો છે.

યોજનાની શરૂઆત કરતા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, અમે બેંકોને લણણી પછીની લૉન આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે રૂ. 1,000 કરોડનું ફંડ સ્થાપ્યું છે. આનાથી ખેડૂતોની ધિરાણની પહોંચ સરળ બનશે અને તેમને વધુ નાણાકીય સહાય મળશે.

પાક ઉપરાંત લૉનની વર્તમાન સ્થિતિ - 
ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ કહ્યું કે, હાલમાં કૃષિ લૉનનો મોટો હિસ્સો પાક ઉત્પાદન માટે જાય છે, જ્યારે લણણી પછીની કામગીરી માટે લૉન માત્ર રૂ. 40,000 કરોડ છે. તેમણે કહ્યું કે e-NWR હેઠળ લૉન માત્ર રૂ. 4,000 કરોડ સુધી મર્યાદિત છે, પરંતુ આગામી 10 વર્ષમાં તેને વધારીને 5.5 લાખ કરોડ રૂપિયા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ધ્યેય ફક્ત બેંકિંગ અને વેરહાઉસિંગ ક્ષેત્રોના સંકલિત પ્રયાસો દ્વારા જ શક્ય છે. સેક્રેટરીએ ખેડૂતોમાં બાંયધરીકૃત ધિરાણ અંગે જાગૃતિ વધારવા, ઈ-કિસાન ઉપજ નિધિ ઓનલાઈન પ્લેટફોર્મને સુવ્યવસ્થિત કરવા, ડિપૉઝિટરી ચાર્જિસની સમીક્ષા કરવા અને વેરહાઉસ રજીસ્ટ્રેશનની સંખ્યા 5,800 થી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય હસ્તીઓની ભાગીદારી 
ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી બી.એલ. વર્મા, નિમુબેન જયંતિભાઈ બાંભણીયા અને ડબલ્યુડીઆરએના ચેરપર્સન અનિતા પ્રવીણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજનાથી ખેડૂતોને તેમના પાકને સ્ટૉરેજમાં રાખ્યા બાદ લોન મેળવવાની સુવિધા મળશે. આનાથી તેમની આર્થિક સ્થિતિ તો સુધરશે જ પરંતુ ગ્રામીણ અર્થતંત્ર પણ મજબૂત બનશે.

આ પણ વાંચો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

                                                                                                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget