શોધખોળ કરો

Arvind Kejriwal News: CM કેજરીવાલને ઝટકો, કોર્ટે ઇન્સુલિન અને ડોક્ટર્સ સાથે નિયમિત VCની માંગ ફગાવી

Arvind Kejriwal News: કેજરીવાલે કોર્ટને અપીલ કરી હતી કે તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેના ડોક્ટરો પાસેથી સલાહ લેવાની મંજૂરી આપવામાં આવે

Arvind Kejriwal News:  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે. કેજરીવાલે કોર્ટને અપીલ કરી હતી કે તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેના ડોક્ટરો પાસેથી સલાહ લેવાની મંજૂરી આપવામાં આવે. ઈન્સ્યુલિન આપવા માટે પણ મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે કહ્યું કે, AIIMSની પેનલ નક્કી કરશે કે તેમને ઈન્સ્યુલિન આપવામાં આવે કે નહીં. સીએમ કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે એઈમ્સના ડાયરેક્ટરના નેતૃત્વમાં એક પેનલની રચના કરવામાં આવી હતી.

સીએમ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે. 21 માર્ચે પૂછપરછ બાદ ઇડીએ તેમની ધરપકડ કરી હતી. સીએમ કેજરીવાલે તેમની અરજીમાં માંગ કરી હતી કે તેમને તેમની પત્નીની હાજરીમાં 15 મિનિટ સુધી ડૉક્ટરને નિયમિત મળવાની મંજૂરી આપવામાં આવે.

સીએમ કેજરીવાલની અરજી પર 15 મેના રોજ સુનાવણી

બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે સોમવારે સીએમ કેજરીવાલને 15 મે માટે જાહેર કરેલા સમન્સને પડકારતી અરજીઓ પર સુનાવણીની સૂચિબદ્ધ કરી હતી. જસ્ટિસ સુરેશ કુમાર કૈતની બેન્ચે આમ આદમી પાર્ટી (AAP)ના નેતાને એજન્સી દ્વારા સબમિટ કરેલા જવાબ પર પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે.

સીએમ કેજરીવાલે જેલ પ્રશાસનને પત્ર લખ્યો છે

દરમિયાન, AAPએ સોમવારે કહ્યું કે મુખ્યમંત્રીએ તિહાર જેલના અધિક્ષકને પત્ર લખીને દાવો કર્યો છે કે તેઓ દરરોજ ઇન્સ્યુલિનની માંગ કરી રહ્યા છે કારણ કે તેમનું સુગર લેવલ વધી રહ્યું છે. સીએમ કેજરીવાલે જેલ અધિકારીઓના એ દાવાને પણ ફગાવી દીધો હતો કે એઈમ્સના ડોક્ટરોએ કહ્યું છે કે મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

જેલ સુપ્રિટેન્ડેન્ટને લખેલા પત્રમાં સીએમ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે જેલ પ્રશાસન રાજકીય દબાણ હેઠળ ખોટું બોલી રહ્યું છે. તિહાર પ્રશાસને રવિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓએ 20 એપ્રિલે AIIMSના વરિષ્ઠ નિષ્ણાતો સાથે કેજરીવાલની વીડિયો કોન્ફરન્સની વ્યવસ્થા કરી હતી જે દરમિયાન સીએમ કેજરીવાલે ઇન્સ્યુલિનનો મુદ્દો ઉઠાવ્યો ન હતો અને ડોક્ટરોએ પણ આવી કોઈ સલાહ આપી નહોતી.

કેજરીવાલની હત્યાના કાવતરાનો આપ પાર્ટીએ લગાવ્યો આરોપ

આમ આદમી પાર્ટીએ તિહાર પ્રશાસન પર ડાયાબિટીસથી પીડિત સીએમ કેજરીવાલને ઇન્સ્યુલિન ન આપવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ તેમની 'હત્યા' કરવાનું કાવતરું ઘડવાનો પણ આરોપ લગાવ્યો હતો.

પત્રમાં સીએમ કેજરીવાલે કહ્યું છે કે તિહાર પ્રશાસનના નિવેદનો ખોટા છે અને તેઓ દરરોજ ઇન્સ્યુલિનની માંગ કરી રહ્યા છે. તેમનું શુગર લેવલ દિવસમાં ત્રણ વખત વધે છે અને 250 થી 320 ની વચ્ચે રહે છે. સીએમ કેજરીવાલે પત્રમાં એમ પણ લખ્યું છે કે એઇમ્સના ડોકટરોએ ચિંતા કરવાની જરૂર નથી એવું કહ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઋણાનુબંધ
Hun To Bolish : હું તો બોલીશ : માટીના મોલે, ખેડૂતોની જમીન!
Hun To Bolish : હું તો બોલીશ : આ પનીર નહીં પચે!
Amreli News: અમરેલીના મોટા લીલીયામાં આવેલું નિલકંઠ તળાવ બન્યું પ્રદૂષિત
Patan news: પાટણમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ઈરાની ગેંગની કરી ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Embed widget