શોધખોળ કરો

ભારતની સ્વદેશી કોરોના રસી કોવેક્સિન કેટલા ટકા છે અસરદાર ? જાણો ટ્રાયલમાં શું આવ્યું સામે

માર્ચમાં ભારત બાયોટેકે ત્રીજા તબક્કના પરિણામનું પ્રથમ ડેટા જાહેર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે બીજા ડોઝ બાદ 81 ટકા સુધી કોરોના રોકી શકાય છ. ડેટામાં સંક્રમણ મામલે હોસ્પિટલમાં ભરતી થવાની સંભાવના પણ નહીંવત જોવા મળી હતી.

નવી દિલ્હીઃ ભારતની સ્વદેશી કોરોના રસી કોવેક્સિન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રીજા તબકક્કાના ટ્રાયલ ડેટામાં તે 77.8 ટકા અસરદાર સાબિત થઈ છે. ભારત બાયોટેક તરફથી કેન્દ્ર સરકારની કમિટીને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. ત્રીજા તબક્કાના ડેટા મળ્યા બાદ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ મીટિંગ કરી હતી. જેમાં કોવેક્સિન તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. હવે આગળની પ્રોસેસ માટે એસઈસી પોતાના ડેટા ડીજીસીઆઈને સોંપશે.

કોવેક્સિનને આ ટ્રાયલના પરિણામ આવ્યા પહેલા જ આશરે પાંચ મહિના અગાઉ ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ હતી. ટ્રાયલ વગર મંજૂરી મળ્યા બાદ ઘણો વિવાદ પણ થયો હતો. માર્ચમાં ભારત બાયોટેકે ત્રીજા તબક્કના પરિણામનું પ્રથમ ડેટા જાહેર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે બીજા ડોઝ બાદ 81 ટકા સુધી કોરોના રોકી શકાય છ. ડેટામાં સંક્રમણ મામલે હોસ્પિટલમાં ભરતી થવાની સંભાવના પણ નહીંવત જોવા મળી હતી.

ભારતમાં કોવેક્સિન ઉપરાંત કોવિશીલ્ડ અને રશિયાની સ્પૂતનિક વી હાલ ઉપલબ્ધ છે. સરકારે કહ્યું કે તેઓ વેક્સિનના ઉપયોગ માટે અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝર અને મોર્ડના સાથે પણ કામ કરી રહ્યા છે. 20 જૂન સુધી દેશભરમાં 28 કરોડ 87 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 86 લાખ  16 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જે ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં આપવામાં આવેલા સૌથી વધુ રસીના ડોઝ છે.

દેશમાં 91 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત ત્રીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 42,640 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1167 લોકોના મોત થયા છે.  જ્યારે 81,839 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96 ટકા છે. એક્ટિવ કેસ ઘઠીને 3 ટકાથી ઓછો થયો છે. કોરના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર

કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
General Knowledge: દુબઈથી કેટલું સોનું લાવી શકે છે ભારતીયો, જાણો ક્યારે લાગે છે દાણચોરીનો આરોપ?
General Knowledge: દુબઈથી કેટલું સોનું લાવી શકે છે ભારતીયો, જાણો ક્યારે લાગે છે દાણચોરીનો આરોપ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
General Knowledge: દુબઈથી કેટલું સોનું લાવી શકે છે ભારતીયો, જાણો ક્યારે લાગે છે દાણચોરીનો આરોપ?
General Knowledge: દુબઈથી કેટલું સોનું લાવી શકે છે ભારતીયો, જાણો ક્યારે લાગે છે દાણચોરીનો આરોપ?
Chhaava Box Office Collection Day 23: 500 કરોડ ક્લબમાં પહોંચી છાવા, જાણો 23મા દિવસે ફિલ્મે કેટલી કરી કમાણી
Chhaava Box Office Collection Day 23: 500 કરોડ ક્લબમાં પહોંચી છાવા, જાણો 23મા દિવસે ફિલ્મે કેટલી કરી કમાણી
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
Embed widget